SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) દષ્ટાંત રાધા-વેધ [ ૪૩ તંભ સાથે અથડાઈને ભાંગી ગયું, એટલે લોકો મોટા ઘંઘાટ કરી હસવા લાગ્યા. આ પ્રમાણે કળાવિહીન બાકીના રાજપુત્રએ જેમ-તેમ ગમે ત્યાં બાણ છોડ્યાં, પરંતુ કેઈથી કાર્યસિદ્ધિ ન થઈ. આ સમયે રાજા ઘણે વિલખો બની ગયો. લજજાથી તેની આંખે બીડાઈ ગઈ, જાણે વજન અગ્નિ શરીર પર પડ્યો હોય, તેમ મુખની છાયા ઉડી ગઈ અને આમણ-દમણે બની શક કરવા લાગ્યા. આ સમયે પ્રધાને રાજાને કહ્યું કે,–“હે દેવ ! ખેદ કરો છોડી દો, હજુ તમારો એક પુત્ર બાકી છે, માટે અત્યારે તેની પણ પરીક્ષા કરો. રાજાએ પૂછયું કે, “ક પુત્ર ?” ત્યારે મંત્રીએ આગળ રાજાનાં લખેલ વચનવાળાં અભિજ્ઞાન કરાવનાર ભાજપત્ર વંચાવ્યાં. રાજાએ કહ્યું કે, “ભલે તેને પણ લા. અતિશય અભ્યાસ કરાવેલ આ દુષ્ટ પુત્રોએ જે આચર્યું, તેવું જ આ પણ આચરશે. આવા પ્રકારના પુત્રોને ધિક્કાર થાઓ. હવે તારો આગ્રહ છે, તે તેની પણ ભલે પરીક્ષા કરો.” તે વખતે તે મંત્રીપુત્રીના સુરેન્દ્રદત્ત પુત્રને ઉપાધ્યાય સહિત હાજર કર્યો. હવે કલાભ્યાસ કરતાં, વિચિત્ર હથિયાર વાપરવાના પરિશ્રમના કારણે શરીર પર પડેલા ઉજરડા અને અણુરૂઝાયેલા ઘાવાળા પુત્રને ખોળામાં બેસાડી આનંદપૂર્વક કહ્યું કે-“હે પુત્ર ! આ પૂતળીને વીંધીને મારા મનોરથ પૂર્ણ કરી અને આ નિવૃતિ નામની રાજકન્યાને પરણ, એટલે તને. રાજ્ય પ્રાપ્તિ પણ થશે.” (૫૦) ત્યાર પછી સુરેન્દ્રદત્ત, રાજાને તેમ જ વિદ્યાગુરુને નમસ્કાર કરીને આલીદ્રાસને બેસી હિંમતપૂર્વક ધનુષદંડ ઉપાડી, નિર્મલ તેલથી ભરેલા કુંડમાં પ્રતિબિંબિત થયેલાં ચક્રના આરાની વચ્ચેનાં છિદ્રોને દેખતો હતો. બીજા કુમારોવડે મશ્કરી કરતો હતે. અગ્નિક વગેરે દાસીપુત્રો બૂમરાણ કરી વિદ્મ કરતા હતા, ગુરુજી બે બાજુ ઉઘાડી તરવારવાળા બે પુરુષને ઉભા રાખી–એમ સંભળાવતા કે, “જે લક્ષ્ય ચૂક્યો, તો હણી નાખીશું” આમ વારંવાર સંભળાવતા હતા. તેમ છતાં આ રાજપુત્રે લક્ષ્ય તરફ દષ્ટિ રાખી મહામુનીશ્વરની જેમ એકાગ્ર ચિત્ત રાખી ચક્રના આરાનાં છિદ્રો એકરૂપે થયાં, ત્યારે છિદ્ર દેખી એકદમ બાણ છોડી રાધાને વીંધી નાખી. રાધા વીંધાઈ એટલે નિવૃતિ કન્યાએ તેના ગળામાં માળા પહેરાવી. રાજા આનંદ પામ્યો અને જય જયકારના શબ્દો ઉછળવા લાગ્યા. મેટો વિવાહ-મહોત્સવ પ્રવર્તાવ્યો, તેમ જ રાજાએ રાજ્ય પણ તેને જ આપ્યું. જેમ તે કુમારે લય તાકીને ચકના છિદ્રમાંથી બાણ આરપાર કાઢી પૂતળીની ડાબી આંખ વિધી, પરંતુ બાકીના કુમારે તે કાર્ય સાધી ન શક્યા, તેમ કોઈ પુણ્યની અધિકતાવાળે આત્મા પાર વગરના ભવ-અરણ્યમાં અથડાતો મનુષ્યપણું પ્રાપ્ત કરે છે, પરંતુ પુણ્યની અધિકતા વગર બીજા છ મનુષ્યપણું ન પામતાં નરક, તિયચની હલકી ગતિ મેળવે છે. (૫૮) શ્રીમાલી વગેરે બાવીશ રાજપુત્રોએ આ કળા કેળવેલી ન હોવાથી, અભણ રહેવાથી રાધાવેધ કરવાનું લક્ષય ન મેળવી શક્યા, કારણ કે, લક્ષ્ય બીજે રાખવાથી બાણો નાશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy