SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ અનુવાદક-પ્રશસ્તિ [ ૬૦૧૭ મહારાજ એવું નામ સ્થાપન કર્યું. તે સમયે માતાજીએ અને મેં કેટલાક વ્રત-નિયમો અંગીકાર કર્યા અને સંમેતશિખરજી તીર્થ અને નગરીઓની યાત્રાઓ કરી. થોડા વર્ષ પછી સદગુરુ-સમાગમ યોગે કાયમી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. મુંબઈમાં રહી મતીનો વ્યવસાય કરવા સાથે નિરંતર સામાયિક, ધાર્મિક-વાચન, પૂજા, પ્રતિક્રમણ, વદ્ધમાનતપની આરાધના ઈત્યાદિકમાં સમય પસાર થતો હતો. કુટુંબની જવાબદારી મારી હવાથી કુટુંબને ભાર ઉઠાવનાર ના ભાઈ તૈયાર ન થાય ત્યાં સુધી માતાજી દીક્ષાની રજા ન આપતાં હોવાથી થોડો સમય રોકાવું પડ્યું. પરંતુ આયુષ્યની ચંચળતા લાગવાથી કઈ પ્રકારે માતાજીને અને સ્વજનેને સમજાવી સંવત્ ૧૯૮૪ના વૈશાખ શુક્લ એકાદશી-શાસનસ્થાપનાના શુભ દિવસે અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીના દેરાસરછના ચોકમાં ચતુર્વિધ શ્રીસંઘ, સ્વજન-કુટુંબિવર્ગની પૂર્ણ હાજરીમાં પ૦ પૂ. આગામેદ્વારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભહસ્તે મેં (હીરાચંદે) અને લઘુબંધુ અમરચંદે દીક્ષા અંગીકાર કરી અને મુનિ શ્રીહેમસાગરજી મ. અને મુનિ શ્રીઅમરેન્દ્રસાગરજી મ. નામ સ્થાપન કર્યા. કેટલાક સમય પછી વિજકરબેને અને હીરાબેને પણ દીક્ષા અંગીકાર કરી, જેમનાં સાધ્વી શ્રી દિનેન્દ્રશ્રીજી અને હર્ષલતાશ્રીજી નામ સ્થાપન કરવામાં આવ્યાં. સતત ગુરુકુલવાસમાં રહી અનુક્રમે ગ્રહણ-આસેવન-શિક્ષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય, આગમાદિ શાસ્ત્રનું યથાશક્તિ અધ્યયન કર્યું. સં. ૧૯૯ કપડવંજના ચાતુર્માસમાં ૫૦ પૂ. આગમ દ્વારકશ્રીના શુભહસ્તે તેમના દબાણથી શ્રીભગવતીસૂત્રનાં ગદ્વહન કર્યા. આસો વદિ ૨ અને ૩ ના દિવસે આગમ દ્વારકશ્રીજીના શુભ હસ્તે અનુક્રમે ગણ અને પંન્યાસ-પદવીઓ થઈ. સં. ૨૦૦૭ની સાલમાં સૂરત નગરે ૫૦ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રીમાણિજ્યસાગરસૂરિજીના વરદ હસ્તે અનિચ્છાએ શ્રીસંઘના આગ્રહને વશ બની આચાર્યપદ સ્વીકારવું પડ્યું અને સૂરિમંત્રની પાંચે પીઠનું વિધિપૂર્વક આરાધન કર્યું. ૫૦ પૂ. આગમ દ્વારકશ્રીનાં આગમવિષયગતિ પ્રવચનો શ્રવણ કરવાના વ્યસનને અંગે મોક્ષમાર્ગ તરફ પ્રીતિ પ્રગટી. પરમકૃપાળુ ગુરુજી મહારાજ સમયે સમયે બોલાવી વિશેષાવશ્યકભાષ્ય, દશવૈકાલિક સૂત્ર, તત્ત્વાર્થસૂત્ર, લલિતવિસ્તરા, પંચાશક, આચારાંગ સૂત્ર, સ્થાનાંગસૂત્ર આદિની વાચનાઓ પણ આપતા હતા. વ્યાખ્યાન-શ્રવણ-સમયે લખવાની ત્વરાના કારણે આગમ દ્વારકશ્રીનાં અનેક વ્યાખ્યાનનાં અવતરણે ઉતારી લીધાં હતાં. તેની પ્રેસ કેપીએ કરાવી, સુધારી અનેક વ્યાખ્યાન-પુસ્તકો છપાયાં, તેમ જ “સિદ્ધચક” પાક્ષિકમાં પણ જે વ્યાખ્યાને છપાયાં છે, તેમને માટે ભાગ મારાં અવતરણને છે. છેડા સમય પહેલાં આગ દ્વારક-પ્રવચનશ્રેણીને પ્રથમ વિભાગ પ્રકાશિત થયેલ - હતું. ત્યાર પછી તેના અનુસંધાનરૂપે આ૦ પ્રવચનશ્રેણી વિભાગ બીજો અને ત્રીજો એમ બે નવાં વ્યાખ્યાન-પુસ્તકો પ્રકાશિત થયાં. આગળ ગુરુમહારાજના વચનાનુસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy