SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ ] ઉપદેશપદ-અનુવાદ હસ્તીને વશ કરેલો છે, એવા આપના કંઠમાં ઘણી ઉત્કંઠાથી માળા આરોપણ કરી છે. આ સમગ્ર વસ્ત્રાભૂષણો પણ આપને માટે તેણે જ મોકલાવ્યાં છે – એ પ્રમાણે જેટલામાં ખેચરી કહેતી હતી, તેટલામાં સમુદ્રજળની છોળો ગમે તેમ ઉછળે તે ચારે બાજુ વિભ્રમ ફેલાતો હોય, તેમ દેખાવ કરતું ત્વરિત વેગવાળું અશ્વસન્ય ક્યાંયથી પણ આવી પહોંચ્યું. તેના તરફ શંકાદષ્ટિથી જોતા રત્નશિખ રાજાને જાણે દેવ હય, તેમ માનતા એક ઘોડેસ્વારે નામ બોલવા પૂર્વક શેક કરતાં કહ્યું કે, “હે દેવ! આ મન્મત્ત હાથી ઉપર આરૂઢ થયેલ મનુષ્ય હતા, તે હાથી અત્યારે ક્યાં ગયો? બીજું તેના શરીરે કુશલ વતે છે?” તે વચમાં ખેચરીએ કહ્યું કે, “શું તે હાથીનું હરણ કરીને અહિં આવ્યું છે કે, જેને આ પ્રમાણે ખળે છે?” ત્યારે તેણે કહ્યું કે-“એમ નથી માનતે, માત્ર તેના સાહસથી તુષ્ટ થયેલા અમારા પ્રભુ તેનાં દર્શનની અભિલાષા રાખે છે. બાકી તે મહાગંભીર એવા તેમના હૃદયમાં રહેલી હકીકત તે કોણ જાણે શકે? તો કૃપા કરીને અત્યારે તેની યથાર્થ હકીકતના સાચા સમાચાર કહો, તેનાં દર્શન નહિં થાય, ત્યાં સુધી અમારા પ્રભુને શાંતિ નહિ થાય.” ત્યારે ખેચરીએ કહ્યું કે, “આ હાથી યમરાજા સરખે ભયંકર છે, તે શું કઈ મનુષ્યથી દમી શકાય ખરો? આ દેવે જ તે હાથીને વશ કર્યો છે. તે તમારા સ્વામીએ અહિં જ રહેલા એવા તેમનાં દર્શન જલ્દી કરવાં. હે સુંદર ! માત્ર તેમનાં દર્શન કરીને જે શાંતિકાર્ય પતાવવું હોય, અહીં જ તેઓ પધારે–એ જ પરમાર્થ ગણાય.” આ સાંભળીને વિસ્મય-સહિત તેણે પોતાના વસુતેજ રાજાને હકીકત જણાવી. રાજા પણ વિચારવા લાગ્યું કે, પુણ્યના પ્રભાવ કેવા અચિંતનીય હોય છે! મુનીન્દ્રોનાં વચને કેવાં સાચાં અને સફળ હેય છે! તે જરૂર તે જ કહેલો ઉત્તમપુરુષ હશે? એમ વિચારીને પ્રધાનમંત્રીને તેની પાસે મોકલ્યો. આ સમયે વિદ્યાધરી પિતાને સ્થાને પાછી ગઈ. ત્યાર પછી વિવિધ પ્રકારના વિનય આદિના ઉપચારથી પ્રભાવિત કરીને રત્નશિખ રાજાને રાજા પાસે લઈ ગયે. મોટા મહાવતે હાથીને પણ સ્વાધીન કર્યો. ત્યાર પછી સિદ્ધ થયેલા પ્રજનવાળ વસુતેજ રાજા હર્ષ પામતે પિતાના સુગ્રીવ નામના નગરે પહોંચ્યા. ત્યાર પછી અનેક પ્રકારની કિંમતી સામગ્રીઓના સન્માન સહિત આઠ કન્યાઓ સાથે પરણાવીને તે રાજાએ રત્નશિખને પિતાના રાજ્ય પર સ્થાપન કર્યો. તેને કહ્યું કે-“હે મહાભાગ્યશાળી ! સુમંગલ નામના કેવલી ભગવંતના વચનથી સંસારનું સ્વરૂપ બરાબર જાણ્યું છે અને મને તેથી દઢ વૈરાગ્ય થયેલ છે. નરકના નિવાસના કારણ એવા રાજ્યબંધનથી હું કંટાળેલો છું. આ મારા રાજ્યને પાત્ર એ કોઈ પુરુષ અત્યાર સુધી ન મળવાથી તે જ ભગવંતે આ ગંધહસ્તીને ગ્રહણ કરશે, તે રૂપ નિશાની દ્વારા તમને અમને જણાવેલ હતા. તે હવે હું આ લોક અને પરલોક અવિરૂદ્ધ વ્યવહારથી વર્તવાની અભિલાષા રાખું છું. માટે અત્યારે મને પ્રવજ્યા ગ્રહણ કરવાની અનુમતિ આપે.” રત્નશિખે પણ દાક્ષિણ્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy