SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ વીરાંગદ અને સુમિત્રની કથા | [ ૫૮૫ તેને આમ-તેમ જેવા લાગ્યો, એટલે મિત્ર એકદમ ત્યાંથી પલાયન થયો. તે સ્થાનમાંથી રાજકુમારને નગરમાં પ્રવેશ કરાવ્યો. પહેલાના રાજાઓની આઠ કન્યાઓ સાથે તેનાં લગ્ન કર્યા. આ પ્રમાણે અખલિત શાસનવાળું રાજ્ય-સુખ અનુભવત રહેલ હતો. હવે સુમિત્ર પણ ફરતો ફરતો કઈક સ્થળે પહોંચ્યા. ત્યાં કોઈ પુરુષષિણી “રતિસેના” નામની ગણિકાપુત્રી હતી, તેણે તેને દેખ્યો. તેના તરફ તે પુત્રીએ ઘણું નેહથી એકદમ નજર કરી. તેના અભિપ્રાયને સમજી ગયેલી તેની માતાએ સુમિત્રને ઘણા આદર અને ગૌરવથી બોલાવ્યું. તેણે વિચાર્યું કે, આ સુંદર આકૃતિવાળો અને ઘણે ધનવાન જણાય છે. કદાચ બીજાની પાસે પ્રાર્થના કરે કે, તત્ર સંકટમાં પરેશાની ભોગવનારો થાય, તો પણ તેજસ્વી દષ્ટિ અને સ્થિરવાણીવાળા પુરુષે ધનાઢ્ય હોય છે. કદાચ તેમની લક્ષમી પ્રગટપણે ન જણાય, તે પણ તેના અંગની મનોહર ચેષ્ટાથી લમી. ચાલી આવે છે, તેમ જ તેવા ભાગ્યશાળીઓને મનહર સુંદરીઓ સ્વાધીન હોય છે.” આવા પ્રકારની સંભાવના કરીને તે વડેરી ગણિકાએ સુમિત્રની શ્રેષ્ઠ સરભરા કરી. રતિસેના સુંદરીનું રૂપ દેખતાં જ ઉત્તેજિત થયેલા કામાગ્નિવાળા સુમિત્રે વિચાર્યું કે“સુવર્ણના અંકુર સમાન ગૌરાંગવાળી, રંભા-સમાન સ્થૂલ સ્તનવાળી વેશ્યાઓને એક મહાદેષ હોય છે કે, તેઓને સ્નેહ હળદરના રંગ સમાન ઉડી જતાં વાર લાગતી નથી. અથવા તે તેમને સ્નેહ ચંચળ હોય છે. ગણિકાઓ ધનમાં રાગ કરનારી હોય છે, પરંતુ મેગરાના પુષ્પ સરખા ઉજજવલ ગુણેમાં સ્નેહ કરનાર થતી નથી. માખીઓ શ્રેષ્ઠ સુગંધી ચંદનને ત્યાગ કરીને વિષ્ટા અને મૂત્રવાળા અશુચિ સ્થાનમાં આનંદ માનનારી હોય છે.” આ સર્વે હું બરાબર સમજું છું, તે પણ મારું મન બલાત્કારે આ તરુણી તરફ આકર્ષાયું છે, તે હવે કેટલોક સમય અહિં જ રોકાઉં,-એમ ધારણ કરીને તે ત્યાં રોકાય. રતિસેના સાથે સ્નેહસંબંધ થયો, કુણી ખુશ તે થઈ, પરંતુ આ કંઈ પણ આપતા નથી, છતાં પણ સંદેહ-યુક્ત આશાથી કંઈ પણ અંગના ભોગ ઉચિત પદાર્થોની માગણી કરી. ત્યાર પછી ભાર વજન તોલ કરી શકાય, તેવી લોહાગલા માફક થોડા દાનથી આ નમશે નહિં ”-એમ ચિત્તમાં વિચારીને તેણે ચિંતામણિરત્નનું સમરણ કર્યું. તેના પ્રભાવથી મહામૂલ્યવાળાં વસ્ત્રાભૂષણે આપ્યાં. કુટ્ટણ ખુશ થઈ તે પણ લેભષથી વારંવાર માગવા લાગી. સુમિત્ર પણ તેને માગે, તેમ આપવા લાગ્યો. કોઈક સમયે આશ્ચર્ય પામેલી તે ચિતવવા લાગી કે, “નક્કી તેની પાસે ચિંતામણિરત્ન હોવું જોઈએ. નહિતર આવા પ્રકારની દાનશક્તિ ક્યાંથી હોય? માટે તે જ ગ્રહણ કરી લઉં. હવે જ્યારે તે સ્નાન કરવા ઉઠ્યો, ત્યારે તેની સુતરાઉ થેલી હતી, તેમાંથી તેણે મહામણિ કાઢી લીધો. ફરી કંઈક માગણી કરી, એટલે ખલ્લક-થેલીમાં તપાસ્યું. ન દેખવાથી ૭૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy