SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૬ ]. ઉપદેશપદ-અનુવાદ ૧૦૧૦–હવે જે તમે એમ કહે કે, “ભવ્યતા સ્વરૂપથી એક છે, તો પણ પિતાના કાર્યની ઉત્પત્તિમાં તેનું રૂપ અનિયત છે. આ કારણે કાર્યમાં ભેદ હોવા છતાં પણ તથાભવ્યતામાં ભિન્નતા નથી. કારણ કે, સ્વરૂપથી એક છે-એમ શંકા કરી કહે છેકાર્યની ઉત્પત્તિમાં સ્વભાવતાને અનિયમ છે. ભવ્યત્વના વિચિત્ર સ્વભાવ વગર તે પણ થઈ શકે નહિં. ઉપસંહાર કરતા કહે છે કે, “ભવ્યત્વની નાનારૂપતા-વિચિત્રતા છે, તે અનેકાંતથી યથાર્થ જ છે. વધારે વિસ્તાર કરવાથી હવે સયું. (૧૦૧૦) શંકા કરતા કહે છે કે, “જે ભવ્યત્વ અનેક પ્રકારનું છે અને તેના કારણે કાલભેદથી ભવ્ય જીવોને જ બીજનું આધાન આદિ આત્મગુણોનો લાભ થાય છે. તો સમ્યક્ત્વ આદિની આરાધનામાં પ્રયત્ન કરવો ઉચિત ન ગણાય, તેથી પ્રાર્થના વગર પણ ઇચ્છિત અર્થની સિદ્ધિ થશે–એમ શંકા કરતા કહે છે– ૧૦૧૧–આ ભવ્યત્વ વિવિધ પ્રકારતાયુક્ત છે, પારમાર્થિકતત્ત્વબુદ્ધિથી આ જિનપ્રવચનમાં નિરતિચાર સમ્યક્ત્વાદિ આચારનું પરિપાલન સર્વ પ્રયત્નથી આદરપૂર્વક બુદ્ધિશાળીઓએ કરવું જોઈએ. પુરુષાર્થ કર્યા વગર ઉદ્યમ–પ્રયત્ન કર્યા વગર ભવિતવ્યતાએ હાજ૨ કરેલાં કાર્યો પણ ઉત્પન્ન કરી શકતા નથી. “કાલ, સ્વભાવ, નિયતિ– એ વગેરે વચનની પ્રામાણિકતાથી બીજા પણ જે પુરુષકાર વગેરે કારણસમુદાય કહેલ છે, તેના સહારાથી તથાભવ્યત્વ, સ્વભાવ પિતાનું કાર્ય કરવા સમર્થ બની શકે છે. ૧૦૧૨–દર્શનારની તેમજ બીજા વ્રતોની વિરાધના થવા રૂપ અતિચાર વધારે સેવન કરવાની વાત તે દૂર રાખીએ, પણ અ૯૫ પણ તેમાં અતિચાર લાગી જાય તે પણ ઘણા ભાગે દારુણ ફળને આપનાર થાય છે. માટે શુદ્ધ ધર્મ—ગમાં પ્રયત્ન કરે. અહિં પ્રાયઃ એટલા માટે જણાવ્યું કે, “નિંદા-ગહણ સહિત સારી રીતે શુભ યોગો સેવવામાં આવે, તે નિરનુબંધ ફલપ્રાપ્તિ થાય છે. આમાં શરતેજ રાજાનું ઉદાહરણ સમજવું. (૧૦૧૨) તે બતાવતા પાંચ ગાથાઓ કહે છે – ૧૦૧૩ થી ૧૯૧૭–પૂર્વ વિસ્તારથી કહેલા નરસુંદર રાજાને વૃત્તાન્ત સાંભળીને પદ્માવતી નગરીમાં અગ્ર પટરાણી સહિત શ્રતેજ નામને રાજા મહાવૈરાગ્ય પામ્યા અને દીક્ષા અંગીકાર કરી. સિંહપણે સંસાર ત્યાગી, ચારિત્ર અંગીકાર કરેલું હોવાથી ઉગ્રપણે વિહાર કરી વ્રતો પાલન કરતા હતા. કેટલાક સમય થયા પછી ગજપુરમાં, સાધુસાવીઓને જે શેષકાળમાં માસક૯૫ કરવાના છે, તે માસક૯૫ થયો, ત્યારે શ્રતેજ રાજર્ષિ સાધુ-સાધ્વીઓના વર્ગ સહિત ત્યાં પધાર્યા. આ પ્રમાણે જ્યારે વિહાર પ્રવત્યો, ત્યારે નગરમાં સાધુ-સાધ્વી ગ્ય જે સુંદર આચારો તેની લોકો પ્રશંસા કરવા લાગ્યા. લેકે પ્રતિબોધ પામ્યા, મિથ્યાત્વ દૂર થવાથી અને લકે તેના વિષથી મુક્ત થવાના કારણે આખું નગર પરમાનન્દમય બની ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy