SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-પૂજાનાં જન્માન્તરમાં શુભ ફલે [ ૫૬૫ તેમ પૂછયું, ત્યારે તેઓએ પરસ્પર શાસ્ત્રોની યથાયોગ્ય વિચારણા કરી, અર્થને નિશ્ચય કરી એકમતે જણાવ્યું કે, “હે દેવ ! કંઈક અધિક નવ માસ પૂર્ણ થયા પછી હીરા સરખા પુત્રને જન્મ આપશે કે, જે પરાક્રમથી સમગ્ર રાજાઓને અધિપતિ થશે. ચક્રવત થઈ નવ નિધિના વિનિયોગથી સમગ્ર ઈચ્છાઓ ફલિત કરનાર થશે. સેળ હજાર યક્ષ દેવતાઓથી આ ચક્રવર્તી રાજા રક્ષણ કરાશે. અથવા તે ભક્તિપૂર્વક પ્રણામ કરતા એવા દેવાના અનેક મસ્તકરૂપી પુષ્પમાળાઓ વડે જેમના ચરણ સેવાતા છે, એવા જરૂર તીર્થકર થશે. આજીવિકા માટે ઘણું ધન આપી અતિસત્કાર કર્યો, એટલે સ્વપ્ન પાઠકે પોતાના સ્થાને ગયા. હવે સમયે પુત્ર જન્મે, “પ્રિયંકર” એવું નામ સ્થાપન કર્યું. તે જન્મ્યો ત્યારે પૃથ્વીમંડલ શેભાયમાન અને સર્વને પ્રિય બન્યું હતું, જેથી તેનું નામ સાર્થક બન્યું. હવે ચંદ્રકાન્તાને જીવ હતો, તે તે જ નગરમાં સુમતિ નામના મંત્રીના પવિત્ર ગુણવાળા પુત્રપણે જન્મ્યો. “મતિસાગર” નામ પાડયું. તે ક્રમે કરીને યૌવન પામ્યો. તે મંત્રી અને રાજપુત્ર બંને ગાઢનેહવાળા થયા. કેટલાક કાળ વીત્યા પછી શ્રી રાજા આદર્શ માં જેતે હતા, ત્યારે પિતાના મસ્તકના કેશ વચ્ચે સફેદ વાળ જોયો. (૩૨૫) તરત તે વિચારવા લાગ્યો કે, આ મારો દેહ પણ આ પ્રમાણે વિકારભાવ પામે છે, તો પછી બીજી કઈ વસ્તુ ધ્રુવ હોય? તે આ જગતમાં સર્વ પદાર્થો પાણીના પરપોટાની જેમ દેખતાં સાથે જ નાશ પામવાના સ્વભાવવાળા છે, માટે બુદ્ધિશાળી એ આવા નાશવંત પદાર્થોમાં રાગરૂપ આસક્તિ ન કરવી. તે આ પ્રમાણે– સંપત્તિઓમાં વિપત્તિઓ જાગતી જ હોય છે. તથા અતિશય મહાન દુઃખના બીજભૂત એવું મૃત્યુ તે જીવિતની આશાના મૂલમાં રહેલું જ છે. પ્રિય, પુત્ર, પત્ની આદિના સંગમ એ દુઃસહ વિયેગનું કારણ છે, યૌવનલક્ષમી પણ અતિશય જર્જરિત ભાવ કરનારી જરાથી નાશ પામનારી છે. જેમ ગોવાળ ગાયવર્ગના પાલન-રક્ષણથી પિતાની આજીવિકા અહીં પ્રાપ્ત કરે છે, તેમ જ રાજા પણ લોકોની પાસેથી લાભનો છઠ્ઠો ભાગ લે છે. પૃથ્વીનું પાલન કરતા હોવાથી નિરંતર તેના કાર્યની ચિંતાથી દુઃખિત હોય છે. આ પ્રમાણે કિંકર સરખે લોકોની ચાકરી કરતો હોવા છતાં તે મૂઢ રાજા પિતાને નાયક માને છે. નાયકપણાના મદમાં મસ્ત બનેલો જીવ તે કોઈ પણ કાર્ય આચરે છે, જેથી કરીને પિતાના આત્માને કલુષિત બનાવી પાપકર્મોને ઉપાર્જન કરે છે. અતિસ્નેહવાળા બંધુ, પિતા, માતા આદિકને પણ લુબ્ધ અને મુગ્ધ મનુષ્ય પિતાની નિંદા થશે, તેની અવગણના કરીને તેને સનેહ નિષ્ફળ બનાવે છે. અન્ન પકાવવા માટે કંઈ મનુષ્ય ચુલ્લામાંથી હાથથી અગ્નિ બહાર કાઢે, તે તે પરિવારનિમિત્ત હોવા છતાં પિતે દાઝે છે. હિંસાદિક વિવિધ પ્રકારનાં પાપ કરનાર મનુષ્ય પાપનાં ફલો પોતે જ ભોગવનાર થાય છે–એ વાત નક્કી જ છે. આ ભેગે અને ધનને ધિક્કાર થાઓ, ઈન્દ્રિયોથી ઉત્પન્ન થયેલ આ સુખને ધિક્કાર થાઓ, પ્રિયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy