SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૨ ] ઉપદેશપદ-અનુવાદ ચંદ્ર-સમાન ઉજજવલ યશ-પ્રસર ગવાતા હતા. વિવિધ પ્રકારના વાજિંત્રોના શબ્દોથી આકાલ–સ્થલ બહેરું બની ગયું હતું. આ પ્રમાણે પિતાને દેખવા માટે ઉત્સુક બનેલો તે કુમાર પિતાના નગર નજીક પહોંચે. ઘણે દૂરથી આવતા આ વિમાનને પ્રથમ નગરલોકોએ દેખ્યું. તે કેવું હતું ? તે કે, પવનથી ફરકતી દવાઓની શ્રેણીથી શેભાયમાન થયેલ છે, શિખરને અગ્રભાગ જેને, વળી મધુર કંઠવાળા ચારણને જય જયારાવ જેમાંથી સંભળાતો હતો, જે કર્ણામૃત-વૃષ્ટિની ધારા સમાન આ પ્રમાણે હતો કે, “પૃથ્વીમાં સમગ્ર રાજાઓમાં શેખરપણું પામેલા રનનાથ રાજા જય પામે કે, “જેમને સુકીર્તિવાળે સૌભાગી લોકેમાં પ્રધાનભૂત એ દેવસેન નામને પુત્ર શેભી રહેલ છે. જેટલામાં જેમની મનોરથમાળા ઉછળતી છે, એવા લોકો હજુ આગમનની વાત રાજાને નિવેદન કરે છે, તેટલામાં ક્ષણવારમાં જલદી તે રાજભવનમાં આવી પહોંચ્યો. એટલે હર્ષથી રોમાંચિત થયેલા પિતા લગાર ઉભા થયા, ત્યારે અશ્રજળશ્રેણિથી વક્ષ:સ્થળને સિંચતા અને આદરથી પૃથ્વીતલ સાથે મસ્તક-શેખર મેળવતા કુમારે પિતાના ચરણમાં નમસ્કાર કર્યો અને પિતાએ પણ તેને સર્વાગથી આલિંગન કર્યું. ત્યાર પછી ઘણા કિંમતી વસ્ત્રથી આચ્છાદિત મુખ-કમલવાળી વહુએ કંઈક દૂર રહીને રાજાના ચરણમાં પ્રણામ કર્યા. પુત્રમુખનું અવલોકન કરીને ક્ષણવાર આનંદ પામીને તેને કહ્યું કે, “હે વત્સ ! અતિ ઉત્સુક મનવાળી તારી માતાનાં દર્શન કર.” બે હસ્ત-કમળ એકઠા કરી કહ્યું, “જેવી પિતાજીની આજ્ઞા” તેમને પ્રણામ કરવા પૂર્વક વિધિથી કુમારે માતા તરફ પ્રયાણ કર્યું. ઘણા દિવસના પુત્રવિરહના કારણે સૂકાઈ ગયેલા શરીરવાળી, દુર્બળ ફિકકા પડી ગયેલ કપોલવાળી જાણે જન્માક્તર પ્રાપ્ત કરેલ હોય, તેવી પ્રથમ વખત માતાને દેખી, એટલે પુત્રનાં દર્શનથી મેઘધારાથી સિંચાએલી કદંબ પુષ્પની માળા માફક એકદમ એટલી હર્ષ પામી કે, તે અંગમાં પણ સમાતે ન હતો. વહુ-સહિત પુત્રે માતાને પ્રણામ કર્યા, માતાએ પણ “પર્વત સરખા લાંબા આયુષ્યવાળે તું થજે અને વહુને પણ આઠ પુત્રોની માતા થજે.” એવા પ્રકારનો આશીર્વાદ આપે. સાથેના પરિવારે બનેલો સર્વ વૃત્તાન્ત અહિં નિવેદન કર્યો. વાર પછી પિતાએ જણાવેલા પ્રાસાદમાં આવીને સુખેથી વાસ કરવા લાગ્યો. (૨૭૫) ક્રમ કરી રાજ્ય પ્રાપ્ત કર્યું. સર્વ પૃથ્વી સ્વાધીન કરી. પ્રલયકાળના અગ્નિ સમાન પ્રતાપથી શત્રુરૂપી વૃક્ષને જેણે હણું નાખેલા છે, એ તે દેવસેન રાજા દરરોજ વિદ્યાધરોથી લવાતાં તાજા વિકસિત અને સુગંધયુક્ત પુપિો અને સુગંધી ચૂર્ણાદિ પદાર્થોના ભેગો ચંદ્રકાન્તા ભાર્યા સાથે ભેગવતે હતો. આ પ્રમાણે અતિ ગાઢ સનેહ-સાંકળમાં જકડાએલા બંનેના દિવસે પસાર થતા હતા, ત્યારે કોઈક સમયે ચન્દ્રકાન્તા સુખે નિદ્રા કરતી હતી, ત્યારે રૂમમાં ગૃહાંગણમાં મને રમ ફલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy