SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ ] ઉપદેશપદ-અનુવાદ તેમના વચનરૂપ અમૃતધારાની વૃષ્ટિ પડવાથી જેને વિષયરૂપ વિષને દાહ શાન્ત થયે છે, એવો તે ઉજજવલ પ્રવવા અંગીકાર કરવા ઉદ્યત થયે. પિતાના રાજ્યપદ પર પુત્રને સ્થાપન કર્યો. પવિત્ર વિધિથી યાચિત કાર્યો કરીને સાવદ્ય કાર્યના ભીરુ એવા તેણે ભાર્યા સહિત દીક્ષા અંગીકાર કરી. તીવ્રતપસ્યા–સહિત મહાવ્રતનું પાલન કરી અનેક પ્રકારની આરાધના કરી પર્ય તે સમાધિ-મરણ પામીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. દિવ્ય ભોગભૂમિને ભાજન બન્ય, તે પુરંદરયશા પણ ત્યાં જ પાંચપલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ. ત્યાર પછી તે દેવ આ જ દ્વિીપમાં પૂર્વ વિદેહમાં પુંડરીગિણી નગરીમાં ચંદનપતિ રાજાની શ્રીચંદના નામની ભાર્યાની કુક્ષિ વિષે ઐરાવણુ હાથીના સ્વપ્રથી સૂચિત એ તે પુત્રપણે જન્મ્યો. લલિતાંગ એવું તેનું નામ સ્થાપન કર્યું. કેમ કરીને અતિશય સૌભાગ્ય સહિત યૌવન પામ્યો. દેવી પણ આ જ વિજયમાં મણિનિધિ નામના મનહર રૂપવાળા નગરમાં શિવરાજાની શિવારાણું વિષે પુત્રી ઉત્પન્ન થઈ. તરુણ લોકોના મનને ઉન્માદ પમાડતી એવી તે પુત્રીનું ઉન્માદયન્તી નામ સ્થાપન કર્યું. અનુક્રમે ઉંચા સ્તનથી ઢંકાએલ અતિ લાવણ્ય યુક્ત યૌવનવય પામી. હવે માતાએ કેઈક સમયે વિવાહ યંગ્ય બનેલી તે કન્યાને સ્નાન કરાવી, સર્વાગે મનોહર આભૂષણે પહેરાવીને પિતા પાસે મોકલી. રાજા પણ પુત્રીનું રૂપ દેખીને વ્યાકુલ બની ગયો કે, “આવા સુંદર રૂપવાળી આ પુત્રીનો રાજપુત્રમાંથી કયે વર થશે? આ વિષયમાં સ્વયંવરવિધિ કરે અને તેમાં પુત્રી પોતાની ઈચ્છા પ્રમાણે વર પસંદ કરીને વરે, તો મને અનુચિત વરના દાનનો દોષ ન લાગે. સ્વયંવર કરવા માટે અતિવિશાળ મંડપની રચના કરાવી અને દૂતને મોકલાવીને સર્વ સ્થળોથી અનેક રાજપુત્રોને આમંત્રણ આપીને ત્યાં બોલાવ્યા. ચલાયમાન વેત મને હર ચામરવાળા તથા જેમણે શ્વેત છત્ર વડે દિશાના અંતભાગો ઢાંકી દીધા છે, એવા સવે રાજપુત્ર ઉત્તમ પ્રશસ્ત દિવસે ત્યાં વિવાહ માટે આવી પહોંચ્યા. તે રાજપુત્રોમાં ચાર કુમાર ચાર વિદ્યાઓમાં કૌશલ્ય પામેલા ઘણા લોકોને આનંદ આપનાર હતા. (0) તિષ વિષયમાં સિંહકુમાર, વિમાન વિદ્યામાં તો પૃથ્વીપાલ, ગારુડવિદ્યામાં અજકુમાર અને ઘનુષવિદ્યામાં લલિતાંગકુમાર. રાજકન્યા પણ શણગાર સજીને ત્યાં આવી પહોંચી અને એમ કહેવા લાગી કે, “જ્યોતિષ, વિમાન, ધનુષ, ગારુડ વિદ્યા પૈકી જેણે એકમાં પણ કૌશલ્ય મેળવ્યું હશે, તે મારો વર થશે.” ત્યાર પછી લલિતાંગકુમારે પૂતળીનું લક્ષ્ય બાંધી તેને ધનુષવિદ્યામાં પિતાની કેવી પ્રવીણતા છે, તે બતાવી. ત્યાર પછી જેને એથી મહાઆનંદભર ઉત્પન્ન થાય છે, એવી તેણે તેના કંઠમાં ઉત્કંઠાપૂર્વક ચલાયમાન ભ્રમર-શ્રેણવાળી વરમાળા પહેરાવી. આ સમયે કઈક કામદેવથી ઉન્માદી બનેલા ખેચરે તેનું અપહરણ કર્યું. એટલે માયાવી દડાની જેમ તે અદશ્ય બની ગઈ. લલિતાંગ વગેરે રાજપુત્રે, તેનાં માતા-પિતા પોતાને પરાભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy