SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-પૂજાનાં શુભ ફૂલ [ ૫૫૧ C ત્રાસ થવાથી ત્યાંથી તે એકદમ પલાયન થયેા. જીવવાની આશા પ્રાપ્ત કરનાર એવી તેને પૂછ્યું કે, ‘તું અહિં કેવી રીતે આવી? ' ત્યારે તેણે કહ્યું કે, રાત્રિએ ઉંઘી ગઈ હતી, સુખે નિદ્રા લેતી લતી, ત્યારે કાઈ અનાય ચરિત્રવાળાએ મને અહીં આણી છે. તરત જ હું જાગી, જ્યાં નજર કરી, તે। આ કાપાલિક જોવામાં આવ્યેા. હું સૌભાગી ! પૂર્વે પણ તમારી પ્રતિકૃતિ દેખી, તે જ વખતે મેં મારા આત્મા તમાને અણુ કરેલા જ છે. અત્યારે તે આપે આપના પરાક્રમથી જ મને ખરીદ્દી લીધી છે. કુમારે પણ પાતાના વૃત્તાન્ત કહ્યો કે, તને પરણવા માટે મેં પ્રયાણ કરેલ હતું, પરંતુ હે સુંદર ! દૈવયેાગે ઘેાડાએ મને અહીં આણ્યા છે.’(૬૦) ' આ સમયે કુમારનું સૈન્ય આવી પહોંચ્યું, એટલે પુરંદરયશાને સાથે લઇ કુમારીના પિતાના ઘરે સર્વે પહોંચ્યા. અતિસ્નેહવાળા તે મનેના માટા મહાત્સવથી વિવાહ પ્રવત્યેૉ. કાલક્રમે કુંવરે પિતાની નગરીએ આવીને પિતાને પ્રણામ કર્યા. ત્યાર પછી અનેક ધનકોટી તેમ જ રાજાના ઘરને ચાગ્ય ખીજા પણ આઠગુણાં દાન રાજાએ વહુને આપ્યાં. મનેરથ થતાંની સાથે જ સિદ્ધ થયેલા કા વાળા એમના દેણુ દુક દેવની જેમ દિવ્યભાગા ભાગવતાં કાળ પસાર થતા હતા. કાઇક સમયે સીમાડાનેા કેાઇક રાજા દેશને આકુળ કરતા હતેા. તેના સમાચાર જાણ્યા પછી નિધિકુડલના પિતા તે રાજને શિક્ષા કરવા માટે અતિ રાષાયમાન ખની સમગ્ર સેના સહિત પ્રલયકાળના પવનથી ક્ષેાભિત થયેલા સમુદ્રજળના લેાલ સરખા દુષ્ટ રાજા યુદ્ધ કરવા નીકળ્યા. દેશના સીમાડા પર મહાઘાર યુદ્ધ જામ્યું. શત્રુએ છલ ઘાત કરી આ રાજાને નિધન પ્રમાડ્યો. ત્યાર પછી રાજરિવારે નિધિકું ડલ કુમારને પિતાના સ્થાને સ્થાપન કર્યાં. તેના ગાઢ પ્રતાપરૂપ અગ્નિએ સમગ્ર શત્રુગણુને ભસ્મીભૂત કરી નાખ્યું. કાઈક સમયે ત્યાં નંદિવર્ધન નામના આચાર્ય પધાર્યા. નિધિકુંડલ રાજા સપરિવાર માટા આડંબરથી તેમની પાસે ગયે. સૂરિનાં દર્શન કરી તેમને વંદના કરી. શમાંચિત ગાત્રવાળા રાજાએ આદરથી કર્ણામૃત-સમાન ધર્મ સાંભળ્યેા. જેમ નેત્રનાં પડલ દૂર થવાથી કાઇક જલ્દી દેખે છે, તેમ માહના પડદા વિનાશ પામે તે તત્ત્વને ખરાખર વિચારવા લાગ્યા. પુરંદરયશાની સાથે શ્રમણેાપાસ-ધર્મ અંગીકાર કર્યાં અને લગભગ ભાગે વિષે અનાસક્ત બુદ્ધિવાળા થયા. કેટલાક સમય ગયા પછી ક્ષીરસમુદ્ર સમાન ઉજ્જવલ યશસમૂહવાળા ગુણરત્નના કિંમતી નિધાન સરખા તેમને પ્રતિપૂર્ણ યશ નામના પુત્ર થયા. જન્માંતરમાં કરેલી જિનપૂજાના પરિણામથી ઉત્પન્ન થયેલ વિશુદ્ધ શ્રદ્ધાથી મેરુપર્યંત સરખું ઉંચું મનેાહેર જિનાયતન કરાવ્યું. પુણ્યાનુખ ધી પુણ્ય-પ્રભાવયેાગે હવે ફાઈક સમયે અનેક મુનિવરે સાથે ત્યાં સુમતિનાથ તીર્થંકર ભગવત સમવસર્યા. (૭૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy