SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ દાનધર્માદિ-વિચાર [ પર૧ શાસ્ત્રોમાં દાન, શીલ, તપ, ભાવના સ્વરૂપ ધર્મનું પ્રતિપાદન કરેલું જ છે. માટે હે આચાર્ય ! વિશેષ વિભાગને આશ્રીને આ દાનધર્મનું વિધાન અને તેનો નિષેધ સમજવો. આ વાકક્ષાર્થ કહેવાય. (૮૭૮) ૮૭૯–આગમશાસે જેનું વિધાન કરેલું હોય, તેવું જે દાન, તેમજ તે જ આગમમાં જેનું નિવારણ કરેલું હોય, એવા પ્રકારના દાનને આશ્રીને દેશનામાં વિધિ કે નિષેધ કરવામાં આવે, તે જીવહિંસાની અનુમતિ લક્ષણ દેષ વક્તાને લાગતું નથી. એટલે કે, આગમમાં દાન કરવાનું વિધાન કર્યું હોય, તેની વિધિને ઉપદેશ આપ, તેમ જ આગમમાં નિષેધ કરેલ હોય, તે નિષેધ દેશના રૂપે ઉપદેશ આપવામાં કઈ દોષ ગણેલ નથી. તેમાં આગમમાં આ પ્રમાણે વિધાન કરેલું છે કે – ન્યાયથી મેળવેલું હોય, સાધુને કપે તેવું, નિર્દોષ અન્ન કે પાણી અને આદિ શબ્દથી વસ્ત્ર, પાત્ર, ઔષધ, વસતિરૂપ દેય પદાર્થો, દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને કમયુક્ત આત્માના કલ્યાણ અર્થે સંયતોને દાન કરવું.” તથા “હે ભગવંત! તેવા રૂપવાળા શ્રમણ કે માહણ કે જેમણે પાપકર્મોનો નાશ કર્યો છે, તેનાં પચ્ચક્ખાણ પણ કરેલાં છે, તેવા મહાત્માઓને પ્રાસુક-અચિત્ત-એષણય-નિર્દોષ અશન-પાન ખાઘ, સ્વાદ્ય રૂપ પદાર્થોનું દાન આપીને તે શ્રાવક શું કરે છે?” “હે ગૌતમ ! તે શ્રાવક એકાંત નિર્જરા જ કરે છે.” - “હે ભગવંત! તેવા પ્રકારના શ્રમણ કે માહણ કે જેમણે ભૂતકાળનાં પાપકર્મની નિંદા અને ભવિષ્યકાળને અંગે સંવર કરેલ હોવાથી વર્તમાનમાં પણ પાપકર્મના પ્રત્યાખ્યાન-ત્યાગવાળા હોય, તેવા સાધુ ભગવંતને અપ્રાસુક એટલે સચિત્ત અને અનેષણય–દોષવાળા આહાર-પાણી, ખાદ્ય, સ્વાદ્ય પદાર્થોથી પ્રતિલાબે–તે તેવા દાન આપનાર શ્રાવક શો લાભ મેળવે ?” “હે ગૌતમ ! તે શ્રાવકને ઘણી નિર્જરા અને અલ્પ પાપકર્મ લાગે.” તથા તેવા પ્રકારના શ્રમણ કે માહણ જેણે ભૂતકાળના પાપની નિંદા-ગર્યો કર્યા નથી અને ભવિષ્યકાળનાં પાપનાં પ્રત્યાખ્યાન કર્યા નથી, તેને પ્રાસુક કે અપ્રાસુક, નિર્દોષ કે અનિર્દોષ એવા અશન, પાન, ખાદ્ય કે સ્વાદ્ય પદાર્થોથી પ્રતિલાભનાર શ્રાવક શ કરે છે?મેળવે છે?” તે કે, એકાંત પાપકર્મ કરનાર થાય છે. તથા મોક્ષ માટે જે દાન કહેલાં છે, તેને આશ્રીને આ વિધિ કહેલો છે. જ્યારે જિનેશ્વરોએ અનુકંપાદાનને તે ક્યારે ય પણ નિષેધ કરેલ નથી. શક્તિના સમર્થપણામાં નભાવી શકાતું હોય, તેવા કાળમાં અશુદ્ધ આહાર–પાણી ગ્રહણ કરનાર અને આપનાર બંનેને અહિતકારી ગણાય. રોગીના દષ્ટાંતથી, જે અસમર્થ હોય, નિર્વાહ કરી શકવા સમર્થ ન હોય, તેવા કાળ અને ક્ષેત્રમાં આપનાર અને લેનાર એ બંનેને હિતકારક દાન કહેલું છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy