SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ] ઉપદેશપદ-અનુવાદ ચૂકી જશે, પરંતુ ખારા સમુદ્રમાં કોઈ મીઠી વીરડી સમાન આવા દુઃષમા કાળમાં કેટલાક વિરલા આત્માઓ એવા ધર્મારાધન કરનારા હશે કે, “જેઓ ગામ, શ્રાવકો, ભક્તો વગેરેમાં મમત્વનો ત્યાગ કરનારા હશે, કષાયોને જિતવાવાળા હશે, શુદ્ધ ચારિત્ર પાળવામાં પોતાની શક્તિ છૂપાવશે નહીં. આ પ્રથમના હાથી-વમન અર્થ સમજ. (૭) (૨) વાનરના સ્વમનો ફલાદેશ જણાવતા ગુણોરૂપી વૃક્ષોમાં વિચરનારા વૃષભસમાન શાસનની ધુરાને વહન કરનારા એવા આચાર્યાદિક તે યતિરૂપી વાનર-સમાન બની ચલચિત્તવાળા અને અસ્થિર સ્વભાવવાળા થશે. સિદ્ધાંતમાં સ્થિરતાવાળા ન રહેતાં લોકહેરીમાં તણાઈને ભક્તોનાં કાર્યોને અનુસરનારા થશે. સાધુના માટે તૈયાર કરેલા આધાકમ આહારાદિકને ગ્રહણ કરી ભગવટો કરનારા થશે. ઘર, સ્વજન, શ્રાવક ઉપર મમત્વભાવ રાખનાર થશે, ઉપાધિમાં ગાઢ મૂર્છા રાખશે, પરસ્પર વારંવાર લડાઈ-ટંટા કરશે. સંયમ-વિરુદ્ધ વર્તન કરનારા થશે, અથવા ભાવ-પૂજા પામેલા સાધુઓ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરશે. પાપ-અશુચિથી પોતે લપટાશે અને બીજાને પણ લપટાવશે તથા અન્ય કોઈ પક્ષને આગ્રહ રાખી શાસનમાં વિસંવાદ પ્રવર્તાવશે. એ પ્રમાણે બીજા અન્યતીથિકેથી પણ હાસ્ય પાત્ર બનશે તથા બીજા જેઓ સારી પ્રવૃત્તિ કરતા હશે, તેને તેથી વિમુખ બનાવશે અગર તેની ખિસા-હલકાઈ કરશે. કેઈ તેને શીખામણ આપી સમજાવશે, તો તેઓ કહેશે કે, “આમ કરવામાં કઈ દેષ નથી. તું ખરી વાત સાંભળ કે, અહીં અમે કજિયા નથી કરતા, પરંતુ ન્યાય ખાતર બેલીએ છીએ. દ્રવ્યસ્તવ સાધુએ કરવા જોઈએ અને તેથી શાસનની-તીર્થની ઉન્નતિ થાય છે. આધાકર્મ સેવન કર્યા વગર ગુરુવર્ગનું ગૌરવ થતું નથી. શ્રાવકોને અક્ષરજ્ઞાન આપ્યા વગર તેઓ ખેતી, વેપાર, ગૃહનાં કાર્યો કરી શકતા નથી, વૈદક-વિદ્યાદિક વડે સાધુઓએ શ્રાવકનું રક્ષણ કરવું જોઈએ.” આ પ્રમાણે યથાશ્કેદ-પોતાની ક૯૫ના પ્રમાણે વર્તન કરનારા નિર્ગુણ ગુરુઓ ઘણા ભાગે પાંચમા આરામાં થશે, છતાં આવા કાળમાં કેટલાક શુદ્ધ ચારિત્રની આરાધના કરનારા બહુ વિરલ-ઓછા આત્માઓ થશે. આ બીજા સ્વપ્નને ફલાદેશ જણાવ્યું. (૮) (૩) લીરવૃક્ષ નામના ત્રીજા સ્વપ્નના ફલાદેશમાં ક્ષીરવૃક્ષ સમાન ઉત્તમ શ્રાવકો શાસનની પ્રભાવના કરવામાં પ્રસક્ત બનેલા હાઈ, ગુરુઓ પ્રત્યે પુત્ર માફક વાત્સલ્ય રાખનારા, ઉત્તમ વચન બોલનારા, ઉદાર મનવાળા, મહાસત્ત્વશાળી, તેમની નિશ્રારૂપ છાયામાં મુનિસિહા પ્રશાંત મનથી વાસ કરનારા હોય છે. ઉપસર્ગ–પરિષહ-ભયને ત્યાગ કરનારા, સુંદર પરાક્રમ કરનારા, અરે ! પવિત્ર સાધુઓ છે, તેઓને જન્મ અહિં સાર્થક બન્યું છે–એવી પ્રશંસા મેળવનારા છે. અખલિત શાસ્ત્રાભ્યાસ કરનારા, વસ્ત્ર, પાત્ર, પાણી, આહાર આદિ મેળવવામાં શુદ્ધિ રાખનારા, શુદ્ધ આજ્ઞાનુસાર અનુષ્ઠાન કરનારા હોવાથી નિર્વાણ-ફલને સાધનારા છે. દુઃષમા કાળના પ્રભાવથી ઘણે ભાગે તેઓ પૂર્વે હતા, તેના કરતાં પછી પ્રમાદવાળા થશે. ટંટા-કજિયા-કંકાસ કરશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy