SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ ] ઉપદેશપદ-અનુવાદ અજ્ઞાનથી અંધ થયેલા એવા મેં જ તારામાં દેષ ન હોવા છતાં દેષ દેખ્યો અને કમળાવાળા જેમ દીવા વિષે મંડલ ન હોવા છતાં, મંડલ દેખે છે, તેમ મેં પણ દોષની કલ્પના કરી. “કમળાના રોગવાળે બીજા પદાર્થો પીળા ન હોવા છતાં સર્વ પીળું દેખે છે.” એ કહેવત સાર્થક કરી. મારા અજ્ઞાનનું નાટક મહાપાપવાળું બન્યું છે, તે પણ હે મૃગાલિ! તારી પાસે મારે કંઈ પણ છૂપાવવા ગ્ય-અકથનીય વસ્તુ નથી. રાણીએ પોતાની બુદ્ધિથી વિભ્રમનું કારણ તેને જણાવ્યું અને જંગલમાં જે કંઈ બનાવ બન્યા, તે પોતાનું ચરિત્ર રાણીએ રાજાને જણાવ્યું. કલાવતીનું આશ્ચર્યવાળું ચરિત્ર સાંભળીને વિસ્મય પામેલો રાજા કહેવા લાગ્યું કે, “જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય હશે, ત્યાં સુધી આ મારા અપયશને પડદે વાગશે અને જ્યારે તારી શીલ-પતાકા દેવતાઓના સાંનિધ્ય સાથે સ્કુરાયમાન થશે. અર્થાત્ તારી કીર્તિ ઘણા કાળ સુધી ફેલાશે. પશ્ચાત્તાપ-અગ્નિથી સળગેલું મારું માનસ કઈ દિવસ નહિં ઓલવાય, તારા દુઃખનું સ્મરણ કરતાં મને આ ભૂલાવું સર્વથા અસાધ્ય છે. જે તારા સમાગમની આશા પણ આ ગુરુ મહારાજના વચનના પ્રતાપે જ થયેલી છે. હે સુંદરી ! બીજાં દુઃખ ભોગવવાં પડશે, તેથી ડરીને જ હું મૃત્યુ પામ્યો નથી. તે દેવીએ કહ્યું કે, “આ અત્યંત વિષમદશા હવે આ બાળકના પુણ્ય-પ્રભાવથી સમાપ્ત થાય છે એમ હું માનું છું. હવે તે મહાનુભાવ એવા આચાર્ય ભગવંતનાં દર્શન અને પ્રભાતમાં કરાવે. પ્રશાંત ચિત્તે તે વાત માન્ય કરી. આ પ્રમાણે એક બીજા પોતપોતાના કાર્યને પશ્ચાત્તાપ કરતા હતા અને ઘણાં પ્રસન્ન વચને એકબીજા સંભળાવતા હતા-એમ કરતાં નવીન ઉત્પન્ન થયેલા નેહવાળા તેઓની રાત્રિ ક્ષણવારમાં પૂર્ણ થઈ. સૂર્યોદય-સમયે બંનેએ અમિતતેજ આચાર્ય ભગવંતને વંદના કરી, તેમણે પણ શીલ-ગુણની સ્તુતિરૂ૫ ગંભીર ધર્મ દેશના આપી કે, આ શીલગુણ કુલની ઉન્નતિ કરનાર છે, જીવનું મેટું આભૂષણ હોય તે શીલ છે, શીલ એ જ મહાશૌચ છે, સમગ્ર આપત્તિને નાશ કરનાર હોય તો શીલ છે, એ વગેરે શીલનાં ફલ કહીને તથા દેવતત્ત્વનું નિરૂપણ કર્યું. ત્યાર પછી ગુરુઓના ગુણનું નિરૂપણ તેમ જ જીવાદિક પદાર્થોનું સ્વરૂપ સમજાવ્યું. એ સાંભળીને જેમની કર્મની ગાંઠ ભેદાઈ ગઈ, એવા તેમને શુદ્ધધર્મની પ્રાપ્તિ થઈ. બંને પિતાના મસ્તકથી પ્રણામ કરતા કહેવા લાગ્યા કે, “હે ભગવંત! આપે કહ્યો, તે ધર્મ સત્ય જ છે. તેમ જ આ પુત્રને સ્નેહ ત્યાગ કરે મુશ્કેલ છે, તે જ્યાં સુધી બાળકનું પાલન કરવું પડે, ત્યાં સુધી માટે ગૃહસ્થ ધર્મ આપો. એટલે સમ્યકૃત્વ-સહિત પાંચ અણુવ્રતા અને જિંદગી સુધીનું બ્રહ્મચર્ય વ્રત આપ્યું. (૪૨૫) ત્યાર પછી જયસિધુર નામના હાથીની ખાંધ પર બેસી સર્વત્ર હર્ષ ફેલાવતા રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. દેવીને સ્વીકાર કર્યા પછી કેમે કરીને પિતાના મહેલમાં ગયો. દશ દિવસ સુધી પુત્ર-જન્મનાં વધામણું અતિઉત્કૃષ્ટપણે પ્રવર્તાવ્યાં. રાજા મરથી અટક્યા, દેવીની ફરી પ્રાપ્તિ, પ્રથમ પુત્રને જન્મ થયો. આ સર્વને ત્રિવેણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy