SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ] ઉપદેશપદ-અનુવાદ કાન ભંભેર્યા હશે, તે હું જે કે જાણતી નથી, પરંતુ સ્વમાન્તરમાં પણ મારા શીલની મલિનતા વિષયમાં આપ શંકા ન કરશે. આપણો તે નેહ, તે પ્રેમ, એકબીજાનો વિશ્વાસ, આદર-બહુમાન, સુંદર વચનોથી બોલાવવું વગેરે હે નિર્દય ! અત્યારે એક ડગલામાં તમે વિસરી ગયા? “સ્ત્રીઓ ક્ષણમાં રાગી થાય છે, વળી બીજા ક્ષણોમાં વિરક્ત થાય છે, જ્યારે પુરુષ તો શરણે આવેલાનું આત્મભોગે પણ પાલન કરનારા હોય છે.” આ લોકપ્રસિદ્ધ ઉક્તિને તમે આજે વિપરીત બનાવી છે. “હે પિતાજી! હે માતાજી! હે બંધુ! હું તમને પ્રાણથી પણ અધિક વલ્લભ હતી, તે અત્યારે દુખી મરણથી મૃત્યુ પામતી એવી મને તમે કેમ બચાવતા નથી ? પીડાના કારણે તે ક્ષણે નિર્લજજ તેનું ઉદર અકળાવા લાગ્યું. ચિત્તમાં જાણ્યું કે, “હવે મને પ્રસૂતિનો સમય પાકી ગયો છે. નજીકની વનની ફળદ્રુપ લીલી ઝાડીમાં ગઈ એટલે ત્યાં ફૂલ સમાન વેદના ઉત્પન્ન થઈ. મહાકણથી કોઈ પ્રકારે વેદનાના અંતે બે ચરણના અંતરાલમાં દેવકુમારની ઉપમાવાળા પુત્રને દેખ્યો. મહાવિષાદ અનુભવતી છતાં તે ક્ષણે હર્ષથી તેને ગ્રહણ કર્યો. આ લોકમાં પુત્રને જન્મ થાય છે, ત્યારે આપત્તિ હોય, તો પણ વિસરી જવાય છે અને સુખાનુભવ થાય છે, મહાશકથી હૃદય ઘેરાયું હોય, તો પણ સંતોષ થાય છે, મરતાને પણ જીવિતદાન આપે છે. સારી રીતે જન્મેલા પુત્રને કહેવા લાગી કે, “હે પુત્ર! તું લાંબા આયુષ્યવાળો અને સુખી થજે, હે વત્સ! નિભંગી એવી હું તારા બીજાં શા વધામણાં કરું? એટલામાં તરફડતે પુત્ર નદી-કાંઠા તરફ ગબડવા લાગ્યો. ત્યારે ચરણથી અટકાવી તે બેલવા લાગી, “હે નિર્દય કૃતાંત ! આટલું દુઃખ આપવા છતાં હજુ તને સંતોષ થયો નથી ? હે પાપી! પુત્રને આપીને વળી પણ તેનું હરણ કરવા ઈચ્છા કરે છે ? હે ભગવતી ! નદી દેવી ! હું તને પગે પડીને દીન-વાદન કરીને વિનંતિ કરું છું કે, “નમસ્કાર કરનાર પ્રત્યે વાત્સલ્ય રાખનાર તું મારા પર કરુણા કર અને મારા બાળકનું હરણ ન કર. જે આ જગતમાં શીલ જેવી વસ્તુ હોય, જે મેં મારું શીલ કલંકિત કર્યું ન હોય, તે હે દિવ્યજ્ઞાનનેત્રવાળા ! આ બાળકના પાલનને ઉપાય કરો.” આ પ્રમાણે દીનતાથી આક્રન્દન કરતી હતી, ત્યારે કરુણ પામેલી સિંધુદેવીએ ક્ષણવારમાં તેની શોભન હાથવાળી ભુજલતિકાઓ નિરોગી બનાવી. અમૃતરસ સિંચાયે હોય, તેમ અતિશય શરીરસુખ અનુભવવા લાગી. બે હથેળી વડે બાળકને ગ્રહણ કરીને ખોળામાં સ્થાપન કર્યો. “હે દેવી! તમારે જય થાઓ, તમે આનંદ પામો, નિષ્કારણ વત્સલતા રાખનારા તમારું કલ્યાણ થાઓ. હે સ્વામિની! અતિદીન અને અનાથ બનેલી એવી મને આપે પ્રાણદાન કર્યું. હવે તે આવા પ્રકારના પરાભવના અગ્નિથી ભરખાએલી એવી મારે જીવવાનું કઈ પ્રયોજન નથી, પરંતુ વિશાલનેત્રવાળા આ વત્સને અનાથદશામાં છેડીને મરવા સમર્થ બની શકતી નથી. જે આ દેવ રૂઠયું ન હતું, અને ભયંકર અંજામ આવ્યું ન હતું, તે પુત્રજન્મનાં વધામણાં સાંભળીને તેના પિતા નગરમાં મોટે આશ્ચર્યકારી મહોત્સવ ઉજવતે. જ્યાં સુધી સ્વાર્થના કાર્યો સધાય છે, ત્યાં સુધી અનુરાગ કરે છે, પરંતુ સ્વાર્થ પૂર્ણ થાય, પિતાનાં કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy