SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપઃ-અનુવાદ 0 પૂર્ણતા કાણુ પ્રાપ્ત કરી શકે છે? તે હું કુમાર ! તને વધારે શું કહેવું? હવે ફરી સમાગમ જલ્દી થાય, તેવા તેમ જ આપણી પ્રીતિની વૃદ્ધિ થાય, તેવા પ્રયત્ન તું કરજે. સ્વપ્નમાં પણ કલાવતી સ`ખ'ધી ચિંતા તમારે કોઈએ ન કરવી. કારણ કે, રત્ન કાઈ ને ચિંતા કરાવતું નથી.' જયસેનકુમારે પણ વળતા જવાબ આપ્યા કે, · આપે કહ્યું તે સત્ય જ છે. તે વાતમાં ફેરફાર હાઈ શકે નહિ.' બીજી આગળ મારી સાથે પિતાજીએ કહેવરાવેલ છે, તે પણ આપને નિવેદન કરુ છું કે— ૪૭૪ ] આપને કલાવતી થાપણ તરીકે અણુ કરેલી છે, હવે આપે હમેશાં સંકટ કે ઉત્સવ–સમયમાં તેનું રક્ષણ-ચિંતા કરવી.' આ પ્રમાણે કહીને વિરહાગ્નિથી ધ્રૂસકે ધ્રૂસકે રડતી કલાવતીને સાન્ડ્ઝન આપીને રાજાથી વિદાયગિરિ અપાતે અને કેટલાંક ડગલાં સુધી અનુસરાતા કુમાર પોતાના નગર તરફ પ્રયાણ કરવા લાગ્યા. અનુક્રમે દેવશાલ નગરે પિતાને મળ્યા. હર્ષ પામેલા કુમારે વિવાહાદિકને સર્વ વૃત્તાન્ત જાગ્યેા. સ`પૂર્ણ થયેલા મનેારથવાળા શ'ખરાજા પણ પ્રિયાના ક્ષણવાર વિરહ સહન ન કરતા, તેની સાથે ભાગે ભાગવવા લાગ્યા. લગીર વાર પણ તેની ગેરહાજરીમાં મનની શાંતિ પામી શકતા ન હતા. તેના માટે પેાતાનું જીવન પણ ચાછાવર કરવાની જરૂર પડે તા અર્પણ કરવા તૈયાર હતા. તેની જ કથામાં સમય પસાર કરતા રહેલા હતા. વધુ કેટલુ' કહેવું ? તેનું શરીર કાર્યો કરે, પરંતુ ચિત્ત તે! જ્યાં કલાવતી હોય, ત્યાં જ રહેતું. સવ અંતઃપુર પણ કલાવતીના નામથી જ એળખાવા લાગ્યું. રાજાના વિશાલ હૈયાને પણ તેણીએ એવું રોકી લીધુ કે, ત્યાં બીજી કોઈ પણ પ્રિયા સ્થાન મેળવી શતી ન હતી. કલાવતી જે કે કાઇ દિવસ ઝૂ હું ખેલવાનુ' જાણતી ન હતી કે ચાડી પેશુન્ય કરવાનું તેના સ્વભાવમાં ન હતું. ઇર્ષ્યાને આધીન થતી ન હતી, તેમ જ પાતાના સૌભાગ્યના ગવ` પણ ન હતે. બીજાને પ્રિય વચનથી ખેલાવવાનું, ઉચિત વિનય, આદર-સત્કાર-સન્માન કરવાનું, દુઃખીએ વિષે દયા અને શીલપાલન જાણતી હતી. રાજા એકાંત તેના વિષે ખૂબ જ અનુરાગી બની ગયા, વળી પરિવાર પણ તેના પ્રત્યે રંગાઇ ગયા, અરે ! શાકચવળ પણ તેના વિવિધ પ્રકારના ગુણાની પ્રશંસા કરવા લાગ્યા. સુખ-સમુદ્રમાં ડૂબેલી સ્વર્ગનાં સુખને પણ તણુંખલા સમાન માનતી, એવી તેના શિયાળાના દિવસે। માક જલ્દી પસાર થતા દિવસે કેટલા ગયા ? તે પણ ખખર પડતી નથી. હવે કાઈક મધ્યરાત્રિ-સમયે સુખે સૂતેલી હતી, ત્યારે દિવ્ય ચંદનના લેપથી વિભૂષિત, ક્ષીરસમુદ્રના જળથી પૂર્ણ, વિજળીના ઢગલા સરખા ઉજવલ, કમલપત્રથી ઢંકાએલ, પેાતાના ખેાળામાં સ્થાપન કરેલ, વિશિષ્ટ મણિરત્ન જડેલ સુવણૅ કળશ જોયા. તરત જ જાગીને રાજાને જગાડીને કહ્યું કે, હે દેવ! મને આવા પ્રકારનુ સ્ત્રમ દેખવામાં આવ્યું છે.' રાજાએ કહ્યું કે, ‘ હે પ્રિયે ! આપણા કુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન આહ્લાદક, કુલમાં કલ્પવૃક્ષ સમાન સર્વના મનારથા પૂર્ણ કરનાર, કુલદીપક, કુલમ દિરના ધ્વજ સમાન એવા ભાગ્યશાળી પુત્ર તને જન્મશે.’ (૧૭૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy