SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ રતિ, બુદ્ધિ, ઋદ્ધિ, ગુણસુંદરીની કથાઓ [ ૪૬૧ પ્રાર્થના ન કરી. હવે રાજાએ તેઓનાં રૂપ તરફ નજર કરી, તે ચારેય સ્ત્રીઓના મસ્તકના કેશ અગ્નિની વાલા સમાન કપિલવણવાળા, ચીબા-ચપટી નાસિકાવાળી, જીર્ણ મલિન વસ્ત્ર પહેરેલી, બિલાડી સરખી માંજરી આંખવાળી, લાંબા દાંત અને લબડતા ઓષ્ઠવાળી, વાંકા મુખવાળી, જેમની યૌવનવય વીતી ગયેલી હોય તેવી સૂકાઈ ગયેલા ચરણવાળી, દરિદ્રપત્ની સમાન તુચ્છ અતિશય બીભત્સ દેખાવવાળી, રાગીઓને પણ વૈરાગ્ય ઉત્પન્ન કરનાર, આવા પ્રકારનું વિરૂપ દેખીને નિરાનંદ થયેલ રાજા ઉંડી ચિંતા કરવા લાગ્યો કે, “શું મને દષ્ટિમોહ થયો હશે? કે, મારે મતિમોહ થયું હશે? અથવા તો હું સ્વપ્રદશામાં હોઈશ કે કઈ દેવનો પ્રયોગ હશે ? અથવા તો મારા પાપનો પ્રભાવ હશે? અરે ! આ તો કોઈ વખત ન દેખેલ એવું મહાન આશ્ચર્ય થયું છે કે, “આવી વાત સાંભળી પણ નથી. અરે ! ક્ષણવારમાં આ સર્વેનું રૂપ પલટાઈ કેમ ગયું ?' આ સર્વ વૃત્તાન્ત જાણીને એકદમ ત્યાં આગળ રાજાની મહાદેવી આવી પહોંચી. નેહ-કોપ પ્રગટ કરીને તે રાજાને ઠપકો આપવા લાગી કે, “અરે ! અનાય ! આવી વહી ગયેલી હીન સ્ત્રીઓમાં તમે અનુરાગ કરો છો ? પાત્રવિશેષને ઓળખ્યા વગર આ રાજપુત્રીઓની અવગણના કરે છે ? કુલના કલંકની પણ ખેવના કરતા નથી, આ સ્ત્રીઓ તમારા તરફ વૈરાગ્ય પામેલી છે, એવા તેના ગુણને પણ તમે ઓળખી શક્યા નથી. આ પ્રમાણે તમારા કુલની મર્યાદા છોડીને તમે અમારા થઈને પારકા જણ તરફ કેમ દોડો છે ? આ પ્રમાણે રાણીએ ઘણા પ્રકારે રાજાને ઠપકાર્યો, ત્યારે લજજાથી શરમાઈ ગયેલા રાજાએ નીચું મુખ કરીને તત્કાલ વિનયંધરની સ્ત્રીઓને છોડી દીધી. જ્યારે તેઓને મુક્ત કરી, ત્યારે ફરી તેઓનાં રૂપે સ્વાભાવિકઅસલ હતાં, તે જ થઈ ગયાં. જેની આશાઓ ભાંગી પડી છે, એવો કારણ જાણવાની જિજ્ઞાસાવાળો તે રાજા હમેશાં ચિંતા સાગરમાં ડૂબેલો રહેતો હતો. કોઈક દિવસે સાંભળ્યું કે, ઉત્તમજ્ઞાન-સંપત્તિના નિધાનભૂત એવા સૂરસેન નામના આચાર્ય ભગવંત નગરના મનહર ઉદ્યાનમાં સમવસર્યા છે. પરલોક અને પોતાના પરિવાર સહિત હર્ષ પામેલ તે રાજા તેમનાં દર્શન-વંદન કરવા માટે ચાલ્યું. ત્યાં પહોંચી હર્ષ પૂર્વક વંદના કરી નીચે બેઠા. ભગવતે ધર્મકથા શરુ કરી. મોહ-કંદને ઉખેડનાર એવી ભગવંતની દેશના સાંભળ્યા પછી યોગ્ય સમય મળે, એટલે રાજાએ આચાર્ય ભગવંતને પૂછવું કે, “હે ભગવંત! પૂર્વભવમાં વિનયંધરે એવું શું પુણ્યકાર્ય કર્યું કે, દેવાંગનાઓના રૂપને જિતનાર એવા રૂપવાળી કન્યાઓ તેને જલદી પ્રાપ્ત થઈ. આ પ્રમાણે જ્યારે રાજાએ પ્રશ્ન કર્યો, ત્યારે નગરલોક અને પ્રિયા સહિત વિનયંધર એમ સર્વે કૌતુકથી ગુરુવચન સાંભળવા માટે આવી પહોંચ્યા. હવે દુંદુભિ સમાન ઘષવાળા, પાર્ષદાના લોકોને ઉત્પન્ન કરેલા મહાતષવાળા, પરહિત કરવાના સ્વભાવવાળા એવા કેવલી મહર્ષિએ યથાસ્થિત વિનયંધર કુમારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy