SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ ] ઉપદેશપદ-અનુવાદ કામચરિત્રને ઉત્તેજિત કરનાર એવું યૌવન ક્રમે કરીને પામ્યા, ત્યારે જિનેશ્વરને દાન આપેલ, તેના પુણ્યપ્રભાવ-ગે આ વિનયંધરની સાથે તે ચારેયનો રોગ છે. તે સમયે તે નગરમાં ઉજજવલ યશસમૂહવાળો અને યથાર્થ નામ પ્રમાણે ગુણવાળો ધર્મબુદ્ધિ નામનો રાજા હતો. લાવણ્યજળની નદી સરખી, ગુણારૂપી મણિઓથી ભરપૂર, નિષ્કલંક ચરિત્રવાળી, સુંદર દંતશ્રેણિયુક્ત, સુંદર કાંતિવાળી વૈજયંતી નામની રાણી હતી. જેની ભૂમિની સીમાઓ સારી રીતે પ્રતિષ્ઠિત થયેલી છે, તેમ જ દેશ અને ગામેથી અતિભાયમાન છે, એવી શ્રેષ્ઠ પૃથ્વીને પોતાની પત્નીની માફક જોગવતા તે રાજના નગરમાં રાજસભા વચ્ચે એવી ચર્ચા ચાલી કે, “ આપણા નગરમાં ન્યાયપુરરસર વર્તન કરનાર સૌભાગી, સુખી, શરીરે પણ સ્વસ્થ એ પુરુષ કોણ હશે ?” ત્યારે કોઈક રાજસેવકે કહ્યું કે, “આ નગરમાં અહિં સુખીઓમાં પણ અગ્રભાગ ભજવનાર બુદ્ધિશાળી મોટા શેઠના વિનયંધર નામના પુત્ર છે કે, “જેની પાસે કુબેરની જેમ અખૂટ ધન-ભંડાર છે, લોકોને મોહ પમાડનાર કામદેવ-સમાન રૂપ છે, બૃહસ્પતિને પણ આનંદ આપનાર દેવ-ગુરુ સરખું ઘણું વિજ્ઞાન છે. તેમ જ દેવાની અને વિદ્યાધરોની સ્ત્રીઓ કરતાં સુંદર રૂપવાળી, પતિની આજ્ઞા થતાં જ જેમનાં મુખકમલો વિકસિત થાય, તેવી આજ્ઞાંકિત ચાર શ્રેષ્ઠ પત્નીઓ છે. એટલે વચમાં વળી બીજે બોલી ઉઠ્યો કે, “અરે! અનાય! તું એક વણિકની સ્ત્રીના ગુણનું વર્ણન કરીને દેવાંગનાએ અને વિદ્યાધરીઓનાં રૂપની અવહેલના ન કર. કેમ કે, તેવા કેટલાક તરુણ દેવની અને અસુરોની માનતાએ એટલા માટે માને છે કે, તેમને તેવા રૂપવાળી પનીઓની પ્રાપ્તિ થાય. પરંતુ તેવી કેટલીક કામિની પિતાના રૂપને ગર્વ કરતી હોવા છતાં તે ચારેયની ચાલ, મનહર વચન વગેરેની ખૂબ આનંદથી પ્રશંસા કરે છે. આ પ્રમાણે તેમની ઘણી જ પ્રશંસા સાંભળીને ભવિતવ્યતા–ચગે રાજા તેમના વિષે રાગવાળો થયો. લોકે ગુણવાન પુરુષોને દેખવા છતાં તેવા પ્રકારના રાગવાળા થતા નથી, જ્યારે બીજાએ વર્ણવેલા નિર્ગુણ હોય, તે પણ તેના પ્રત્યે અનુરાગવાળા થાય છે. આવી જગતની સ્થિતિ છે. (૪૦) તે રાજા ધર્મબુદ્ધિવાળો હોવા છતાં ક્ષણવારમાં અધર્મ બુદ્ધિવાળો થઈ ગયો. * મદનથી મૂઢ બનેલા હોય તેવા કેની બુદ્ધિ વિપરીત થતી નથી?” એક બાજુ નિર્મલકુલ મલિન થાય છે, બીજી બાજુ કામદેવનો તાપ મને પરેશાન કરી બાળી મૂકે છે. એક બાજુ જળથી ભરપૂર બે કાંઠાવાળી નદી છે, બીજી બાજુ વાઘ છે. વચ્ચે દુઃખી થઈને રહે છું, ન આમ જવાય, ન તેમ જવાય-આવી ભયંકર મારી કરી સ્થિતિ થઈ છે. અનેક ન કરવા લાયક કુવિકલપોરૂપી લહેરોથી તણાતા ચિતા-મહાસાગરના ખેાળામાં રહેલા એવા તેણે આવા પ્રકારના આશ્વાસનરૂપ દ્વીપ પ્રાપ્ત કર્યો. નગરના લોકોને વિશ્વાસ પમાડીને તે વણિકનો કોઈક દેષ ઉત્પન્ન કરીને બલાત્કારથી તે સ્ત્રીઓને ગ્રહણ કર્યું, જેથી હું નિંદાપાત્ર ન બનું.”—એમ નિશ્ચય કરીને ખાનગી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy