SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ ] ઉપદેશપદ-અનુવાદ કાસપુષ્પની જેમ મારું જીવિત અને જન્મ હું અતિનિફલ માનું છું. આ પ્રમાણે મદનાગ્નિથી તપેલ તે વિવિધ પ્રકારના વિકલ્પ કરતે ઉભો રહેલ હતો અને નયનના વિષયમાં તેને દેખતે હતો, એટલામાં તે મુગ્ધા કન્યા બીજે ચાલી ગઈ. તેના મિત્રો તેનો અભિપ્રાય જાણી ગયા, એટલે દેહમાત્રથી તેને ઘરે લઈ ગયા, પરંતુ તેનું મનબ્રમર તો તે કન્યાના મુખારવિંદમાં જ ચોંટી ગયું. તેણે ભજન, સ્નાનાદિ આવશ્યકોનો કામદેવના કારણે ત્યાગ કર્યો. એટલે મિત્રોએ કોઈ પ્રકારે આ વાતથી વેદશમને વાકેફ કર્યો. પુત્રના નેહાતિશયના કારણે પુરોહિતે જાતે જઈને કન્યાની માગણી કરી. તેણે પણ ઘણી પ્રતિપત્તિ-સત્કાર કરવા પૂર્વક જણાવ્યું કે, “શ્રાવતી નગરીના પુરોહિતના પુત્રને આપેલી હોવાથી તેને ન આપી. ‘ઉત્તમ પુરુષોએ સ્વીકારેલ વચન ફેરફાર થતું નથી.” રાગ-ગ્રહને વળગાડ વળગવાથી વિકાર મનવાળો, વિષમ દુઃખ પામેલો, અનેક વિકલ્પ કરવા લાગે. જો કે વેદશાસ્ત્રોની અરુચિ થઈ ન હતી, પરંતુ વિષય સંબંધી કામદેવ(વેદ)ની અભિલાષા ઉપન્ન થઈ હતી. ખરેખર આ કામ એ ઉલટો જ છે. કારણ કે, જે અતિદુર્લભ અને પરાધીન પદાર્થ છે, તેમાં અનુરાગ કરાવે છે અને જે સ્વાધીન પદાર્થો હોય, તેમાં આદર કે અનુરાગ કરાવતા નથી. કામદેવરૂપ પિત્ત જેનું ઉછળેલ છે, એવો તે ગુણસુંદરીમાં ચિત્ત સ્થાપન કરીને મંત્રનાં પદો શીખવા લાગ્યો, તેમ જ સેકડો માનતા કરવાની અભિલાષા કરવા લાગ્યો, પરંતુ ખરભૂમિમાં વાવેલું બીજ નિષ્ફલ જાય, તેમ તેનાં તે સર્વ કાર્યો નિષ્ફલ થયાં. પુણ્યરહિતનાં આરંભેલાં કાર્યો કેવી રીતે ફળીભૂત થાય ?” કઈક સમયે શ્રાવસ્તી નગ રીથી આવેલ ભાગ્યશાળી પુણ્યશર્માએ સારા મુહૂર્તમાં તે બાલાની સાથે વિધિપૂર્વક પાણિગ્રહણ-વિધિ કરી. તે પુરોહિત પુત્ર તે મૃગ-સમાન નેત્રવાળી ગુણસુંદરીને ગ્રહણ કરીને પિતાના નગરમાં ગયે. જ્યારે બીજો ખેદથી દુઃખિત થયેલો વ્યાકુલ બનેલ રાંક જે બની ગયે. કુલના અભિમાન-રહિત થઈ દેવ અને બ્રાહ્મણોનું બહુમાન જેનું ચાલ્યું ગયું છે, અનેક ખોટા સંકલ્પ-વિકલ્પ કરતો એ તે વેદરુચિ ભટ્ટ તે વખતે જાણે મદિરાપાન કર્યું હોય, ઝેર પીધું હોય, ગાંડો બન્યો હોય અને કાર્યાકાર્યાદિથી વિમુખ બનેલા હોય તેવો બની ગયે. બીજા દિવસે એવી સંભાવના કરી કે, “તેના વગર હવે જીવવાથી શું લાભ ?”—એમ વિચારી સર્વનો ત્યાગ કરીને સાકેતન ગરીથી બહાર નીકળી ગયો. તેને મેળવવાના ઉપાય ખોળવામાં તતપર બનેલે શ્રાવસ્તી ન ભરી તરફ ચાલ્યો અને કેમે કરી ગિરિદુર્ગ નામના પર્વત પાસે ભીલોની મોટી પલીમાં પહોંચ્યા. અતિવિનયપૂર્વક તેના સ્વામીની સેવા કરવા લાગ્યો. એમ કરતાં મોટા ભીલને વિશ્વાસપાત્ર બની ગયો. એક વખત એકાંત સ્થાનમાં બટુક પુરોહિતે ભીલના સ્વામીને પ્રાર્થના કરી કે, શ્રાવતી નગરીમાં પુરોહિતના ઘરમાં ધાડ પાડવા જવું.” તે વાતને સ્વીકાર કરીને પ્રથમથી સ્થાનનું જાણપણું કરીને તેવા સમર્થ ચરપુરુષ સહિત ત્યાં જઈને પુણ્યશર્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy