SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ] ઉપદેશપદ-અનુવાદ વિગ ઉત્પન્ન થવાથી, અગર તે કોઈ વ્યાધિનું દુઃખ ઉત્પન્ન થયું છે? આમાં જે સાચે પરમાર્થ હોય, તે કહે. - ગ્રીષ્મકાળની ગરમીથી સુકાઈ ગયેલા એવા નદી અને તળાવમાં કેટલાક દિવસો પછી ફરી શોભા ઉત્પન્ન થાય છે, ક્ષીણતા પામેલે ચંદ્ર પણ કેટલાક દિવસ પછી ફરી પૂર્ણતા પામે છે. ઝાડ ઉપરથી પલ્લો-પાંદડાં પાનખર ઋતુમાં સર્વથા ઝુંડાઈ જાય છે, તો પણ વસંતઋતુમાં વૃક્ષો પત્રોની શોભાથી સમૃદ્ધ દેખાય છે, તેમ ધીરપુરુષોને ગયેલી લક્ષમી ફરી દુર્લભ હોતી નથી. બીજી વાત એ છે કે-સુખ કે દુઃખ એ તો પૂર્વે ઉપાર્જન કરેલા સુકૃત-દુકૃતના વિપાકે છે. એ કમને જ્યારે જીવને ઉદય થાય છે, ત્યારે પોતાના કરેલા કર્મના ભગવટા વખતે શા માટે ખેદ કરે? માટે તત્ત્વ સમજેલા આત્માએ હંમેશાં સુકૃતનું ભાથું તૈયાર કરવું જોઈએ કે, જેથી જન્માંતરમાં દુસહ દુઃખ ઉદયમાં ન આવે. તેની શિખામણનાં વચનો સાંભળીને લોચને પણ ની:સાસો મૂકીને તેને કહ્યું કે, મારું પિતાનું દુશ્ચરિત્ર છોડીને મને બીજું દુઃખનું કારણ કેઈ નથી. જે તે વખતે તને મેં ઊંડા સમુદ્રમાં ફેંકી દીધે હતે, તે હૃદયમાં રહેલ દુઃખ બારીક અદશ્ય શલ્યની જેમ અતિશય સાલ્યા કરે છે. વળી કર ચરિત્રવાળા એવા મેં આ મહાસતીની અભિલાષા કરી, તે મારા હૃદયમાં જાણે બળી મરવાને ઉત્સુક થયે હોઉં તેમ નિરંતર જળ્યા કરે છે. તે પાપનું ફળ. તો મને અહિં આ લોકમાં જ મળી ગયું છે. આ હજુ ઘણો પાપી છે, એમ માનીને વિધિ મને પ્રેતવનમાં ન લઈ ગયે, અથવા તો “આને નિર્ધમ અગ્નિ માફક લાંબા કાળ સુધી સજજડ બળવા દો” એમ ધારીને પાપથી ભરેલા મને હજુ દેવે પકડી રાખેલો હશે હે મિત્ર! મારા કારણે જેટલી વખત તું વધારે ઉપકાર કરનાર થાય છે, તેટલી વખત પશ્ચાત્તાપ રૂપી અગ્નિમાં મને અંધક ફેંકનાર થાય છે.” આ પ્રમાણે વિવિધ પ્રકારનાં પશ્ચાત્તાપનાં વચને બેલતો હતો, ત્યારે ઋદ્ધિસુંદરીએ પણ તેને કહ્યું કે-“ખરેખર તું ધન્ય છે કે, તને પાપનો આટલો પશ્ચાત્તાપ થાય છે. કારણ કે, કેટલાક પાપીઓ પાપ કરીને પણ મહા આનંદ પામે છે, જ્યારે ધીરપુરુષો પ્રથમ તો પાપ કરતા નથી અને કદાચ પાપ થઈ જાય, તે પણ તેના પશ્ચાત્તાપનું દુઃખ પામે છે. આમાં તારો દોષ નથી, પરંતુ તે સર્વ દોષ જે અહીં હોય તો અજ્ઞાનની પરાકાષ્ઠાને છે. અંધ પુરુષ કૂવામાં પડે, તો કઈ ડાહ્યો પુરુષ તેને ઠપકો ન આપે. (૧૦૦) તે હવે અજ્ઞાનને ત્યાગ કર, માર્ગમાં લાગી જા, નિર્મળ જ્ઞાન ગ્રહણ કર, આત્મહિતની બુદ્ધિ ધારણ કર તથા હંમેશાં મનની વિશુદ્ધિ પ્રયત્ન કર. પાંચ ઈન્દ્રિયોરૂપી ચેર સુકૃત-ધનનું હરણ કરી જાય છે, તેનું રક્ષણ કર, જે ભવિષ્યમાં કુનિની પ્રાપ્તિ તથા દરિદ્રતા દુઃખનો સંતાપ પામી શક ન પામે હોય તો મૃગજળ(ઝાંઝવા)માં મૂંઝાએલા મૃગલાની જેમ કેટલાક પુરુષો ખોટા સુખની આશામાં તણાતા તણાતા યમરાજાના મુખમાં પડે છે, તે આપણે સાક્ષાત્ દેખીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy