SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) એષણાસમિતિ ઉપર નંદિષેણમુનિ-કથા [ ૩૮૭ 0 (૩) એષણ સમિતિ ઉપર નંદિષેણ ઉદાહરણ– - કૃણ વાસુદેવના પિતા વસુદેવ-સ્વાભાવિક પિતાના અતુલ સૌભાગ્યના કારણે બીજા મનુષ્યના-જેમણે પિતાના સૌભાગ્યનું અભિમાન કરેલું છે, તેઓના સૌભાગ્યને ભગ્ન કરનાર એવા દશમા દશાર્વ, અન્ધકવૃણિ નામના મહારાજના પુત્ર, તે કાળે હરિવંશના કુળના પિતામહ સ્વરૂપ થયેલા છે, તેમના પૂર્વ જન્મમાં નદિષેણ મુનિ થયા અને તેઓ એષણા સમિતિમાં કેટલા ઉપગવાળા-સાવધાન–જાગ્રત હતા, તે બતાવે છે. મગધદેશમાં નન્દિ નામના ગામમાં ગૌતમ નામનો બ્રાહ્મણ હતો. કુંભારના ચકની માફક જે ગ્રામ, નગરાદિક ભ્રમણ કરે, તે ચકચર-ભિક્ષાચર કહેવાય. એમ તે ગૌતમ ચકચર હતો. તેને ધારિણી નામની ભાર્યા હતી. એ પ્રમાણે કુબધર્મ પ્રવર્તતે હતો. ત્યાર પછી કેટલોક સમય ગયા પછી ધારિણીની કુક્ષિમાં ગમે તે કોઈ ગતિમાંથી આવેલો જીવ ગર્ભ પણે ઉત્પન્ન થયો. તે સ્વભાવથી જ અભિલષિત સિદ્ધિના હેતુભૂત પુણ્યસમૂહને એકઠું નહિં કરેલ હોવાથી ગર્ભને છ મહિના થયા, એટલે પિતા મૃત્યુ પામ્યા અને જન્મતાં જ તેની માતા મૃત્યુ પામી. ત્યાર પછી તેના મામાએ તેને કોઈ પ્રકારે પાલન-પોષણ કરી વૃદ્ધિ પમાડ્યો અને નંદિષેણ” એવું નામ સ્થાપન કર્યું. તે છોકરા મામાને ઘરે ખેતી, પશુપાલન આદિ કર્મ કરવા લાગ્યો. ગૃહકાર્યમાં તેના મામા નિશ્ચિત બન્યા. એ પ્રમાણે કાળ પસાર થતું હતું, ત્યારે કેટલાક બીજાના સંકટમાં આનંદ માનનારા ઈર્ષાળુ લોકે તે નંદિ ને ભરમાવ્યું કે, “તું આ મામાનાં ચાહે તેટલાં વૈતરાં કરીશ અને તેઓ ચાહે તેટલા ધનની વૃદ્ધિ પામશે, તે પણ તેમાં તને કશે લાભ થવાનું નથી. એટલે નંદિપેણ મામાના ઘરના કાર્યમાં મંદ આદરવાળો થયે અને કાર્ય ઓછું કરવા લાગ્યો. મામાને ખબર પડી કે, “આ ગામમાં સ્વભાવથી પારકા ઘરની ચિંતા કરનારા ઉછુંખલ લોકો ઘણા છે અને તેઓ તને આડીઅવળી વાતો કરીને નકામે ભરમાવે છે, માટે તું તેમનાં વચન સાંભળીશ નહિં. બીજા લોકે તે પારકાં ઘર કેમ ભાંગે ? તેનાથી જ ખુશ થનારા હોય છે. બીજું મારે ત્રણ પુત્રીઓ છે, તેમાં સૌથી મોટી છે, તે જ્યારે યૌવનવય પામશે, ત્યારે તેનાં તારી સાથે લગ્ન કરીશ.” આ પ્રમાણે મામાએ કહ્યું, એટલે વળી પાછો મન દઈને ઘરનાં કાર્યો કરવા લાગ્યા. અનુક્રમે વિવાહ-સમય પ્રાપ્ત થયે અને વિવાહને કાર્યારંભ પિતા કરવા લાગ્યા, ત્યારે પિતાને કન્યાએ તેની સાથે વિવાહ કરવાની અનિચ્છા પ્રગટ કરી. શાથી? તે કે, “નંદિણના હેઠ જાડા-પહોળા ખુલ્લા - વળી તેના દાંત મુખ બહાર નીકળેલા છે, નાસિકા ચીબી-બેઠેલી છે, નેત્રનાં છિદ્રા અતિ ઊંડાં છે. બોલે તો તેનું વચન અપ્રિય લાગે છે, લાંબા પેટવાળે છે, છાતી સાંકડી છે, પગલાં લાંબાં ભરનારો છે, ભ્રમર ભેષ સર્પ સરખી, શ્યામ કાયાવાળા છે, સાક્ષાત્ પાપના ઢગલા સરખા એવા તેની સાથે મારે લગ્ન કરવાં નથી. એમ છતાં પરાણે લગ્ન કરશે, તે નક્કી મારે મરણનું શરણ છે.” એટલે તે ખેદ પામ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy