SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ] ઉપદેશપદ-અનુવાદ પછી વિનયપૂર્વક તેમની પાસે ગયા. પ્રથમ પ્રણામ કર્યા, વસતિ-સ્વામીના ગૃહત્યની નજીકના સ્થાનમાં અતિસાવધાનીથી રહેલા હતા. (૨૫) તે પરિવાર સહિત ગણિની અતિઉજજવલ શીલવંતી અનેક સાધ્વીજીની વચ્ચે તારાગણની વચ્ચે ચંદ્રબિંબ શોભા પામે, તેમ અતિશેભા પામતાં હતાં. હર્ષ પામેલા હદયથી દર્શન કરી, વિનયપૂર્વક વંદના કરી. સોમાં કહેવા લાગી કે, “આ મારા પિતાજી અને મારું કુટુંબ છે. ગણિનીએ પણ ઉચિત નીતિથી તેમના તરફ દષ્ટિ કરી અને પૂછવાના અનુસારે ધર્મ પણ કહ્યો. તેમણે કયા પ્રશ્નો કર્યા અને તેના જે ઉત્તર આપ્યા છે. આ પ્રમાણે જાણવા– સોમાના સ્વજનો–લોકોમાં રૂઢ અને ભેદવાળા ધર્મમાં ધર્મ કયો? ગણિની–ત્રસ અને સ્થાવર જીવોની વિધિપૂર્વક દયા કરવી, તે ધર્મ. સોમા–ત્રણે ભુવનમાં પ્રિયસમાગમ આદિ સુખમાં સુખ કોને કહેવાય? ગણિની–તાવ, કુષ્ઠરોગ, ક્ષયરોગ-(કેન્સર) આદિ વ્યાધિનો દેહમાં અસંભવ છે. અર્થાત્ ગ હેય પછી ધન, કુટુંબ, સ્ત્રી આદિનું સુખ ગણાય નહિ. સોમા–આ બોલવું, ભેજન આપવું, વસ્ત્રદાન વગેરેમાં ક્યો સ્નેહ થાય? ગણિની–જે પરસ્પર અતિનિપુણપણે સર્વ કાર્યોમાં કોઈને ન છેતરવા, તે. સમા–ઘણુ શાસ્ત્રોના અભ્યાસમાં લોકમાં પાંડિત્ય કેનું કહેવાય? ગણિની–અલ્પશ્રતથી પણ જેને કાર્યમાં નિશ્ચય થાય, તે પંડિત કહેવાય. સોમા–ગ્રહ, રાજા, નારીવર્ગ વગેરેના ચરિત્રોમાં કોનું ચરિત્ર જાણવું દુષ્કર? ગણિની—અતિવિષમ એવા દેવ-વિધિની ગતિ-ચરિત્ર જાણવું મુશ્કેલ છે. કારણ કે, ન કરવાનું કરે અને કરવાનું ન કરે કે ઉલટું કરે, તેની કાર્યગતિ કઈ વિચિત્ર છે. સોમા—સૌભાગ્ય, વૈભવ, આભૂષણ, સુંદર ભેજન વગેરે વસ્તુઓમાં શ્રેષ્ઠ કોણ? ગણિની–જે તારાઓ સમાન ઉજવેલ ગુણને લોકોમાં પ્રકાશ થવો. સમા – બંધવ આદિ સ્વાભાવિક સ્નેહીઓ અને કરેલી સગાઈઓ રૂપ વેવાઈવગ તે લોકોમાં સુખેથી ગ્રહણ કરી શકાય કોણ? ગણિની–આચારરૂપ ધનવાળા લોકો સહેલાઈથી મનાવી–સમજાવી શકાય છે. સમા-મંત્ર, હાથી, કોપેલો સર્પ વગેરેમાં અહિં દુઃખે ગ્રહણ કરી શકાય તે કોણ? ગણિની–ઘણી વખત પ્રિય કરવા છતાં પણ આ દુર્જનલેક દુઃખેથી વશ કરી શકાય છે. સમા–હે આર્યા! સજજન લોકો અવિદ્યા કોને કહે છે, તે મને કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy