SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય શ્રાવક [ ૩૪૧ સામર્થ્યને નિગ્રહ કરવાથી ઉત્પન્ન થયેલ હેવાથી વ્રત પરિણામ-વિરતિ એ બાહ્ય સ્વરૂપ નથી, પણ આત્મસ્વરૂપ છે. જે એમ ન માનીએ, તો આ જીવ કર્મોદયથી ઉત્પન્ન થયેલા એવા વિકારવાળે, અત્રતવાળો માનવો પડે. આ કહેલા ન્યાયથી આ વ્રતના પરિણામ તે સ્વરૂપથી જીવનું લક્ષણ છે-એમ પરમાર્થથી વિચારવું જોઈએ—એટલે વિરતિ, પશ્ચફખાણ કરવાં–પાપનો પરિહાર કરે, સંયમમાં રહેવું–આ વગેરે જીવનો પિતાને સ્વભાવ છે અને વિરતિ ન કરવી, પચ્ચક્ખાણ ન કરવાં, પાપ ન છોડવાં, અસંયમમાં રહેવું–આ જીવનો વિકાર છે. તેથી કરીને “અંતરંગ અને બહિરંગ વિધિમાં અંતરંગ વિધિ બળવાન છે.” તે ન્યાયથી વ્રત પરિણામ એ બળવાન જ છે. (૧૫) હવે પહેલાં ૫૦૫ મી ગાથામાં કહેલા સત્યના બીજા ઉદાહરણને કહે છે – ૫૧૬ થી પરવટપદ્રક” નામના ગામમાં આણુવ્રત આદિ શ્રાવકનાં વ્રત ધારણ કરનાર તરીકે પ્રસિદ્ધિ પામેલ સત્ય નામનો વણિકપુત્ર હતો. કોઈક સમયે પિતાના ભાઈ સાથે પારસકૂલ નામના દ્વીપ વિષે જતો હતો. હવે પાછા આવતાં જે વૃત્તાન્ત અન્ય તે કહે છે. વહાણમાં રહેલા બીજાઓ સાથે જળમાં ઉપરના ભાગમાં રહેલા એક મહામસ્યાને દેખીને એમ કહેવા લાગ્યા કે, “આ મોટો મર્યા છે. ત્યારે આ સત્યના ભાઈએ એમ કહ્યું કે, “આ તો એક બેટ છે.” એમ તેમની સાથે વિવાદ થયો. ભાઈએ તે વિવાદ-વિષયક હેડમાં જે હારી જાઉં તો પોતાના ઘરનું સર્વસ્વ આપી દેવું. સત્યભાઈએ મના કરી કે, “આવી શરત કરવી યોગ્ય નથી.” તે પણ બલાત્કારથી હઠ કરીને પોતાની વાત પકડી રાખી અને શરતથી પાછો ન વળે. હવે આ મોટો મસ્ય છે કે બેટ છે, તેની પરીક્ષા કરવા માટે વહાણ ચલાવનાર એક પુરુષે તેની પીઠ ઉપર અગ્નિ સળગાવ્યો. ત્યાર પછી પીઠ બળવા લાગી, એટલે મત્સ્ય પાણીમાં ડૂબકી મારી. સત્યના ભાઈએ વાત શરત માન્ય ન કરી, એટલે રાજદરબારમાં વિવાદ ચાલ્યો. રાજાએ પૂછયું કે, “આ વિષયમાં સાક્ષી કોણ છે?” પ્રતિવાદીએ કહ્યું કે, “સત્ય નામનો તેને સગોભાઈ સાક્ષી છે.” રાજાના મનમાં થયું કે, “ભાઈ સાથે ભાઈ તે ભળી જાય, ભાઈ વિરુદ્ધ સાક્ષી નહિં આપે, આમ તેને સાક્ષી તરીકે લાવવો યુક્ત ન ગણાય”—એ કારણથી રાજાએ તેની પરીક્ષા આરંભી. નગરના પ્રધાનભૂત એવા વણિક આગેવાનને પૂજાસત્કાર કર્યો અને તેને ભલામણ કરી કે-“સત્યને પૂછો કે, વિવાદમાં શે સાચો પરમાર્થ છે?” શેઠે સત્ય પાસેથી સાચો પરમાર્થ જાયે, તે વાત રાજાને નિવેદન કરી, તેણે પણ પ્રતિવાદીને સર્વસ્વ સમર્પણ કર્યું. વળી સત્યની પૂજારૂપ સર્વ શ્રેષ્ઠીઓના વર્ગમાં પ્રધાનભાવને પામેલે, જેથી આખા નગરની ચિંતા કરનાર બન્યો અને આખી જિંદગી માટે નગરશેઠની પદવી અને આજીવિકા સ્વઈચ્છાનુસાર પ્રાપ્ત કરી. લોકો વિચારવા લાગ્યા કે-“સત્યે ખરેખર ભાઈના નેહની ઉપેક્ષા કરીને સત્ય વ્યવહારનું આલંબન કર્યું.” આમ થયું, એટલે ઉત્પન્ન થયેલા સંતોષવાળા વણિકે તેમનું સર્વસ્વ ધન છેડી દીધું અર્થાત્ પાછું આપ્યું. (૫૧૬ થી ૫૨૦) શ્રાવકપુત્રનું ત્રીજું ઉદાહરણ કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy