SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ ] ઉપદેશપદ-અનુવાદ ણમાં તે કોઈ જીવ નથી કે, “જે ઉદાયિરાજાના ઉગ્ર શાસનને નાશ કરે.” હવે આગળ ઉદાયી રાજાએ કઈક તેવા અપરાધથી એક રાજાનું રાજ્ય છીનવી લીધું હતું, તે રાજાને એક કુમાર તેનું વેર લેવા પાછળ લાગેલું હતું, તેણે અહિં પર્ષદામાં કહ્યું કે, “હું એકલો જ તેને વિનાશ પમાડું, માટે મને આજ્ઞા આપો.” આ રાજાએ તેની વાત સ્વીકારી. તે પાટલિપુત્ર નગરે ગયો. ઘણા ઉપાય કર્યા, પરંતુ રાજકુલમાં પ્રવેશ મેળવી શક્યો નહિં. ત્યાં સાધુઓને રોક-ટોક વગર અખલિતપણે જતા આવતા જોયા. તેણે વિચાર્યું કે, “રાજકુલમાં પ્રવેશ કરવાને આ ઉપાય સુંદર છે. તેથી દીક્ષાનાં વ્રતો સ્વીકારવા લક્ષણ સંસાર-નિષ્કમણું કાર્ય કર્યું. ચક્રવાલ સામાચારી લક્ષણવાળી સાધુકિયા ભણવાની શરુ કરી. સર્વ સાધુવિષયક વિનયમાં મહાપ્રયત્ન-આદર કરવા લાગ્યું. એ વિનય દરેકને કરતો, જેથી દરેક સાધુઓ પ્રભાવિત થયા અને વિનયમાં રત એવા અર્થવાળું, ગુણ પ્રધાનતાવાળું “વિનય રત્ન” નવું નામ સ્થાપન કર્યું. એમ વિનય કરતાં તેનાં બાર વરસ પસાર થયાં. ગુરુ મહારાજ પણ તેના ઉપર વિશ્વસ્ત બન્યા. રાજા અષ્ટમી, ચતુર્દશીએ પર્વ દિવસને પૌષધ કરતા હતા. ગુરુ સાથે રાજકુલમાં તેને પ્રવેશ થયે. પૌષધવાળા રાજા અને આચાર્ય બંને રાત્રે સુઈ ગયા. એટલે કંકલેહની છરી રાજાનું ગળું કાપવા માટે ગળા પર મૂકી, પેલો વિનય રત્ન ત્યાંથી બહાર નીકળી ગયો. ગુરુને ખબર પડી, એટલે જાગ્યા. વૃત્તાન્ત જાણે કે-અધમશિષ્ય આ કાર્ય કરીને ચાલ્યો ગયો છે, નક્કી શાસન-ઉડ્ડાહના થવાથી મારો સંસાર ઘણો લાંબો થશે.”—એમ વિચારી તે કાળે કરવા યોગ્ય કાર્યો કરી તે જ કંકલેહની છરી પોતાના ગળા ઉપર વાપરી. બંને દેવલોકે ગયા. જ્યારે પેલો બાર વરસ વ્રત પાલન કરીને અતિસંલેશ પરિણામના ચગે અનંતા ભ સુધી દુઃખમય સંસારમાં રખડશે. વિનયરત્નનું આખ્યાનક સમાપ્ત થયું. (૪૯૨ થી ૪૯૪) હવે કુંતલદેવીનું ઉદાહરણ કહે છે – જિનભવન, જિનબિંબ, જિનયાત્રાદિક સમ્યકત્વના આચારો પોતાની શોકોને કુંતલદેવી શીખવતી હતી. તે બીજી રાણીઓ પણ કુંતલાદેવી પાસે સમ્યકત્વ પામી હતી અને સમ્યકત્વની કરણી ઓ કરતી હતી. રાજ્યલક્ષમી એક ભર્તારની છે. દરેક રાણીઓ તે પતિના દ્રવ્યથી વિશેષ પ્રકારના ઉપચારવાળી પ્રભુભક્તિ કરતી હતી, તે વિષયમાં કુંતલા રાણીને સર્વેની વિશેષ પૂજા કરતી દેખી ઈર્ષ્યા ઉતપન્ન થઈ, એટલે ઈષ્પષના વિકારવાળી પુષ્પ, ધૂપ વગેરે ઉપચાર પૂજા હંમેશાં બીજી દેવીઓના કરતાં અધિક દ્રવ્યના ખર્ચવાળી પ્રભુપૂજા કરવા લાગી. એ પ્રમાણે તેને કાળ પસાર થતો હતે. કેઈક સમયે કુંતલાદેવીને મરણાવસ્થા ઉચિત માંદગી આવી. તેવી અવસ્થામાં તેવા પ્રકારના પ્રયજન યેગે પૂર્વે અનુભવેલ પટરત્ન, કંબલરત્ન વગેરે તેની પાસેથી રાજાએ ગ્રહણ કરી લીધાં. આથી તેને આર્તધ્યાનરૂપ અપધ્યાન થયું. ત્યાર પછી મૃત્યુ પામી. તે સ્થળમાં જ કૂતરીપણે ઉત્પન્ન થઈ. કેઈક કાળે કેવલી ભગવંત ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy