SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ યમુન રાજાનું દૃષ્ટાંત [ ૩૨૯ કરી. ઈન્દ્રમહારાજનું આગમન, તેમના દેહની પૂજા થઈ, એટલે યમુન રાજાને પેાતાના અનુચિત વર્તનના કારણે લજ્જા ઉત્પન્ન થઈ. ‘ અત્યંત દુષ્ટ વર્તન કરનારા મને ધિક્કાર થાઓ ’ એમ વિચારતાં પેાતાના આત્માના વધ કરવા તૈયાર થયા. તેના અભિપ્રાય જાણી ઇન્દ્રે તેમ કરતા અટકાવ્યા. અને કહ્યું કે- આ અપરાધની યથા શુદ્ધિ થાય, તેવું પ્રાયશ્ચિત્ત કરી. પછી સાધુ સમીપે ગયા, ધ શ્રવણ કર્યું.... અનુક્રમે આલેાચનાથી માંડીને પારાંચિત સુધીનાં પ્રાયશ્ચિત્તો પૂછ્યાં. ‘ મારા અપરાધનું શું પ્રાયશ્ચિત્ત ? ’ એમ પૂછ્યુ. સાધુઓએ કહ્યું કે, શુદ્ધચારિત્ર એ પ્રાયશ્ચિત્ત છે. સ` સાવદ્યયેાગના ત્યાગરૂપ પ્રત્રજ્યા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કર્યા પછી સાધુહત્યા-વિષયક અતિશય પશ્ચાત્તાપના કારણે તેણે અભિગ્રહ ગ્રહણ કર્યો કે, · ભેાજન-સમય પહેલાં જો આ અપરાધ યાદ આવી જાય, તે તે દિવસે ભેાજન ન કરવું. ઘેાડાક આહાર સીધા કે અર્ધ આહાર ગ્રહણ કર્યા પછી પણ જે અપરાધ યાદ આવી જાય,તે પણ ભેજન નહિં કરીશ.' આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરનાર તે સાધુભગવતે એક પણ દિવસ ભાજન ન કર્યું. કારણ કે, દરરાજ તે અપરાધનું સ્મરણ થતું હતું. છેલ્લે ફ્રી વ્રતેચ્ચારણ પૂર્વક અંતિમ આરાધના કરી પંડિતમરણની સાધના કરી. કાલ પામી વૈમાનિક દેવલાકમાં ઉત્પન્ન થયા. ઉપસંહાર કરતા કહે છે કે-યમુન રાજર્ષિએ આ પ્રમાણે અભિગ્રહ કર્યા, તે આ પ્રવચનમાં કલ્યાણના કારણરૂપ થયા-એમ સમજવું. (૪૫૮ થી ૪૬૫) અહિં પરમતની આશકા કરે છે— . ૪૬૬—જો જાણી-ખુજીને નિર્દયતાથી મુનિઘાત-દંડ નામના અનગારા ઘાત કર્યા અને તેથી ધિલાભના મૂળમાં અગ્નિ સળગાવ્યા, છતાં પણ યમુન રાજાને સદ્ ગતિના લાભરૂપ પરિશુદ્ધ પ્રત્રજયાની પ્રાપ્તિ થઈ, તેા પછી સાધુઓના ઉપર પ્રદ્વેષ કરનાર ક્ષુલ્લક વગેરેને થાડા દોષથી અનંત સ’સાર અને ઉપલક્ષણથી કેટલાકને અસંખ્યાત અને સખ્યાત કાળ સ`સાર કેમ થયા ? (૪૬૬) ૪૬૭—તેનું સમાધાન અહિં કહે છે કે, થાડા દોષનું પણ જો પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિવિધાન કરવામાં ન આવે, તેથી ક્ષુલ્લક વગેરેને તેના વિકાર થયા અને સ'સાર– વૃદ્ધિ થઇ. જ્યારે યમુન રાષિએ તે જ ક્ષણે આકરૂ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કર્યું. તેથી કરીને જેનું પ્રાયશ્ચિત્ત કરેલું હોય, તેવા અલ્પદોષ ફળતા નથી. આ માટે સ્થાવર વગેરે ભેદવાળા વિષના દાખલેા આપે છે. (૪૬૭) તે જ વિચારે છે— ૪૬૮—મંત્ર, તત્ર આદિના પ્રતિવિધાન વગર ખાધેલું અલ્પવિષ મૃત્યુ પમાડે, તા પછી ઘણું ખાધું હોય તે શું ન થાય? પરંતુ પ્રતિકાર કરેલા હાય, તેવા વિષને કરેલા ઉપયાગ અથવા મારેલુ' વિષ મારતું નથી, આ વાત લેાકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. (૪૬૮) પ્રતિકારને જ વિચારે છે— ૪૬૯—ગારુડશાસ્ત્રમાં પ્રસિદ્ધ મંત્ર, ઐષા જેમ કે- મરી, લિંબડાના બીજ અને સૈધવ સાથે મધ, ધૃતપાન આ સ્થાવર અને જંગમ વિષેના ઘાત કરે છે’ સના ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy