SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ જીર્ણ શેઠ અને અભિનવ શેઠ [ ૩૨૭ જીણું શેઠ અને અભિનવ શેઠ ૪૫૩–આ વિષયમાં મહાવીર ભગવંત છદ્મસ્થપણુમાં વિચરતા હતા, ત્યારે જીણું શેઠ અને અભિનવ શેઠ એ બે ને ભગવંતને, પારણું કરાવવાના પ્રસંગે વિધિ-ભક્તિનો ભાવ અને અભાવ થયો. તેમાં મોક્ષનું કારણ શું બન્યું છે કે, પારણા-સમયે વિધિ અને ભક્તિ કરી, તે કારણ બન્યું. (૪૫૩) આ ગાથાનું વિવેચન ત્રણ ગાથાથી કરે છે ૪૫૪-૪૫૫–શ્રી મહાવીર ભગવંત છદ્મસ્થકાળમાં વિચરતા વિચરતા વિશાલીનગરીમાં ગયા અને ચોમાસાના કાળમાં ત્યાં જ સ્થિર રહ્યા. ત્યાં જીર્ણશેઠે કામદેવના મંદિરમાં કાઉસ્સગ્ન-પ્રતિમાપણે રહેલા ભગવંતને દેખ્યા, એટલે તે હંમેશાં તેમનાં દર્શન કરવા આવતો હતો. તેમની ભક્તિ કરવાની તીવ્ર અભિલાષા તેને ઉત્પન્ન થઈ. દરરોજ તો ભગવત ગોચરી–સમયે નીકળતા ન હોવાથી જીર્ણશેઠને ચોમાસના દિવસે મનમાં એમ થયું કે, ભગવાને ચાર મહિના તો ઘણો જ આકર તપ કર્યો છે, તો આજે તે પારણું કરશે જ અને એ લાભ મને મળશે જ. જીણું શેઠ ભગવંતની ભક્તિ કરવાના અનેક મનોરથ કરતા કરતા, પોતાના ઘરના દ્વારમાં ભગવંતને આવવાની દિશામાં વિનયપૂર્વક અવલોકન કરતા રાહ જોતા જેટલામાં ઉભા હતા, તેટલામાં મહાવીર ભગવંતે અભિનવ શેઠના ઘરમાં પ્રવેશ કર્યો. તે શેઠે પોતાના માહાસ્યઔચિત્ય અને ભિક્ષા અપાવરાવી. તે સ્થાનમાં વિચરતા જભક દેએ પારણાથી સન્તુષ્ટ થઈ ત્યાં વસુધારાની વૃષ્ટિ કરી. તેનું લક્ષણ આ પ્રમાણે જાણવું. ઉત્કૃષ્ટથી સાડાબાર કેડ સેનૈયા પ્રમાણ અને જઘન્યથી સાડાબાર લાખ-પ્રમાણ વસુધારામાં વરસેલું ધન હોય છે. ત્યાર પછી લોકોમાં ‘આ કૃતપુણ્ય છે? –એવી આ નવીન શેઠની પ્રશંસા પ્રસરી. કોઇક સમયે પાર્શ્વનાથ ભગવંતની પરંપરામાં થયેલા કેવલી પધાર્યા, ત્યારે ઘણું કુતૂહલથી આકુલ ચિત્તવાળા લોકોએ પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત ! અહિં પરિપૂર્ણ પુણ્યશાળી કોણ કોણ છે? કેવલી ભગવંતે કહ્યું કે, “જીર્ણ શેઠ” (૪૫૪-૪૫૫) શંકા કરી કે, “જીર્ણ શેઠે પારણા સંબંધી મનોરથ કર્યો હતો, પણ અભિગ્રહ કર્યો ન હતો, તે તેને અહિં દષ્ટાંત તરીકે કેમ સ્થાપન કર્યો છે ?” તેના સમાધાનમાં જણાવે છે ૪૫૨--આ પારણ સંબંધી-પાત્રમાં દાન આપવાનો મનોરથ એ જ અભિગ્રહ છે, બીજું કંઈ નથી. “જે કોઈ પ્રકારે આ ભગવાન મારે ત્યાં પધારે, તે હું તેમને ભિક્ષા વહેરાવું” એ પ્રમાણે ચિંતવન કરતા હતા. અહિં કહેવાનો પરમાર્થ આ છે. સર્વ અભિગ્રહ ઈચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ એમ ચાર ભેદવાળા જણાવેલા છે. -તેમાં જીરું શેઠને ઈચ્છારૂપ તદ્દન શુદ્ધ અભિગ્રહ હતો. તે જીર્ણ શેઠ પારણુક ભેરી-શબ્દ શ્રવણકાલ સુધી તેમના પરિણામ વૃદ્ધિ પામ્યા અને તેના ફલની પરંપરાએ તેનું છેવટ મોક્ષફલમાં થયું. બીજા નવીન શેઠને તે ગૃહસ્થચિત આવેલા અતિથિને દાન આપ્યું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy