SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ] ઉપદેશપદ-અનુવાદ •འ་ས་བབ་་བས་ས་སའབསབ་སཟས་བབ་བཟའ་ છે, એમ કરે તો રેગીને રોગ દૂર કરનાર થાય છે, ઉલટા કમે-અવિધિથી સેવન કરવામાં આવે તો ખરજ વગેરે વ્યાધિ મટતા નથી. એ પ્રમાણે ઔષધની જેમ આ શુદ્ધ આજ્ઞાગ યત્નપૂર્વક સેવન કરવામાં આવે, તો અશુભાનુબંધી વ્યાધિને દૂર કરે છે. (૩૮૯). ૩૯૦–ઔષધના ઉદાહરણ સમાન આ શુદ્ધ આજ્ઞાગ અશુભ અનુબંધને ઉછેદ કરનાર કારણ હોય તો ઉપગભાવરૂપ અપ્રમાદ કહે છે. ચિત્યવંદન, આવ શ્યક, પડિલેહણ વગેરે સાધુ-શ્રાવકના અનુષ્ઠાનમાં અપ્રમાદભાવ રાખો-એમ તીર્થંકર ભગવંતે કહેલું છે. જે તેવાં અનુષ્ઠાનોમાં ઉપગ રાખવા રૂપ અપ્રમાદભાવ ન રાખ. વામાં આવે, તો અશુભાનુબંધ વ્યવ છેદને અભાવ થાય છે અને તેથી શુદ્ધ આજ્ઞારોગનો લાભ થતો નથી. પોતાનું કાર્ય ઉત્પન્ન ન કરનાર કારણભાવને કારણ કહેવાતું નથી. એ પ્રમાણે અશુભાનુબંધ ન અટકાવનાર તેના સાધનરૂપ શુદ્ધ આજ્ઞાગ લક્ષણ અપ્રમાદ તે પોતાના સ્વભાવને પ્રાપ્ત કરવા સમર્થ બની શકતો નથી. એમ તો ઘણું શુદ્ધ આજ્ઞાગવાળા અશુભાનુબંધ વ્યવછેદ ન પામ્યા હોય, તે પણ તેમનાં વર્ણન શાસ્ત્રોમાં સાંભળવા મળે છે, તે તે દેષ કેમ નહિ? ત્યારે તેને જવાબ આપતાં કહે છે કે–અશુભાનુબંધ અત્યારે વિચ્છેદ ન પામે, પરંતુ શુદ્ધ આજ્ઞાોગની સાધના કરનાર એવો તે પણ પરંપરાએ અશુભાનુબંધ વ્યવદના હેતુભૂત આજ્ઞાગ પ્રાપ્ત કરેલ માનેલો છે. જો કે, અત્યારે તો અતિગાઢ અશુભાનુબંધ અતીવ્ર આજ્ઞાગ છે, ત્યારે તે સર્વથા તેને વ્યવછેદ કરવા સમર્થ બની શકતો નથી. તો પણ સર્વથા તેને ઉછેદ કરનાર તીવ્ર આજ્ઞાયાગરૂપ કારણભાવને પામવા વડે કરીને તે સુંદર જ છે. (૩૦) આમાં હેતુ કહે છે– ૩૯૧-કર્મ વ્યાધિની ચિકિત્સા રૂપ પહેલાં સમ્યગ્દર્શનાદિ પાળેલાના ગુણને સાધુ તરફ પ્રઢષ આદિ કરીને તેને નાશ કર્યો, એટલે જે તેને વિકાર થયો અને તેથી દુર્ગતિમાં પડી તેના દુઃખોને અનુભવ કર્યો-દુર્ગતિની વેદનાઓ સહન કરી. વળી જે જન્માંતરમાં સમ્યગદર્શનાદિ પાલન કર્યા હતા-આરાધ્યા હતા, તેનો અભ્યાસ પાડ્યો હતો, તે માટે કહેવું છે કે-“ક્ષાપશમિક ભાવમાં જે શુભ અનુષ્ઠાનને દઢ પ્રયત્ન કર્યો હોય, કદાચ તે ચાલ્યું પણ જાય, તે પણ ફરી તે તે ભાવની વૃદ્ધિ કરનાર થાય છે.” તે વચનના પ્રામાણ્યથી કોઈ પ્રકારે પ્રાપ્ત કરેલા ક્ષાપશમિક ભાવના અનુષ્ઠાનોને વારંવાર કરેલો અભ્યાસ તે ઈચછેલા હેતુરૂપ અશુભાનુબંધના વ્યવછેદનું કારણ થાય છે. દષ્ટાંત અને તેનો ઉપનય કહે છે– વ્યાધિને કાબુમાં લાવનાર અખલિત સામર્થ્યયુક્ત ઔષધની જેમ આ ક્ષાપશમિક ભાવનાં અનુષ્ઠાને અભ્યાસ છે. અભ્યાસ એટલે વારંવાર તેનું અનુશીલન– ટેવ-મહાવ કરે. કોઈ રોગી મનુષ્ય કઈ પ્રકારે પ્રમાદના કારણે ચિકિત્સાકાર્યની વિધિ ન સાચવી એટલે વ્યાધિને વધારે થયે. તેની વિડંબના અનુભવ થયા પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy