SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યસાર અને વિક્રમ સારની કથા [ ૨૩ સમુદ્રતરણ દ્વારા ધન મેળવ્યું, એ પ્રમાણે બંને સુખી થયા, તેમ જ વગર લેશે સુખવાળા થયા. તેમાં પ્રથમ દેવ-ભાગ્યની પ્રધાનતાવાળે દીન-અનાથાદિને દાન અને પિોતે કુટુંબ-સહિત વસ્ત્ર, તાબૂલ વગેરેનો ભોગવટો તે નિધાનના પ્રભાવથી કરતો હતો. બીજો સમુદ્ર ઉલ્લંઘીને મહેનત-મજૂરી રૂ૫ પુરુષાર્થ કરીને ધન મેળવી લાવ્યો અને તે ધનથી પુણ્યસારની માફક વિક્રમ સારે પણ દાન અને ઉપભોગમાં તે ધનને ઉપયોગ કર્યો. આ વૃત્તાન્ત રાજાએ સાંભળ્યો, એટલે તેઓને પૂછયું કે, “લોકોનો આ પ્રવાદ સાચો છે?” તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે, “તે વાત યથાર્થ છે. ત્યાર પછી રાજા અને બીજા મનુષ્યોએ પ્રવાદની પ્રતીતિ-ખાત્રી કરવા માટે રાજાએ પરીક્ષા કરવાનું નકકી કર્યું. પ્રથમ પુણ્યસારને એકલાને ભોજન કરવાનું નિમંત્રણ આપ્યું. ત્યાં વગર પ્રયાસે સહેલાઇથી સર્વ પ્રકારના ભોજનનો યોગ અનાયાસે પ્રાપ્ત થઈ ગયે. તેમ ભગાવલી પુણ્યકર્મના ગાઢ સંબંધથી તેને વગર પ્રયાસે આપોઆપ કોઈકના આગમનના કારણે તૈયાર ભોજન-સામગ્રી વિધિની પ્રબળતાથી મળી ગઈ. બીજા વિક્રમ સારને તેનાથી વિપરીત રીતે પુરુષાર્થ કરવા ગે ભોજન-સામગ્રી પ્રાપ્ત થઈ. તે પુરુષાર્થ કર્યો? તો કે, રાજપુત્રીને હાર તૂટી ગયે, એટલે રુદન કરવા લાગી, તેને હાર પાછો પરોવી આપવા રૂપ પુરુષાર્થ કરવાથી તેના પુરુષાર્થની ખાત્રી થઈ. (ઉપર થી ૩પ૬) આ પ્રમાણે લૌકિક દેવ-પુરુષાર્થનાં ઉદાહરણ કહીને હવે તેવા લોકોત્તર ઉદાહરણ પૂર્વના ઉદાહરણની અપેક્ષાએ હવે લોકોત્તર ઉદાહરણમાં શાસ્ત્ર પ્રસિદ્ધ પહેલાછેલ્લા એવા ભારત અને બ્રહ્મદત્ત ચક્રવર્તીનાં ઉદાહરણે જાણવાં. નેહ-સંગની સાંકળ તેડનાર ભરતનું ઉદાહરણ પ્રગટ છે. આ જ કારણે હરિભદ્રાચાયે માત્ર નામ સૂચવી વ્યાખ્યાને અનાદર કર્યો છે, છતાં સ્થાન શૂન્ય ન રહે તે માટે વિવરણકાર કંઈક કહે છે. ભરત ચક્રવર્તી શ્રી ઋષભદેવ ભગવંતના મોટા પુત્ર, ભરતભૂમિના સ્વામી, પરાક્રમથી શત્રુપક્ષને જિતીને મેળવેલા નિરવદ્ય સામ્રાજ્યવાળા ભરત મહારાજા હતા. નવનિધિના સ્વામી, અખૂટ સૌભાગ્યવાળા, અખલિત માનવાળા, ચોસઠ હજાર મનોહર સુંદરીઓના સ્વામી હતા. આદર પૂર્વક નમ્ર મહાભક્ત સામંતના હજારો મસ્તકોમાંથી સરી પડતા પુષ્પ–સમૂહથી હંમેશાં અર્ચન કરાતા ચરણ-કમળવાળા, તેઓએ છલાખ પૂર્વ સુધી રાજ્યલકમીને ભોગવટે કરી, કેઈક સમયે શ્રેષ્ઠ આભૂષણાદિકને શણગાર સજી, સ્ફટિક પાષાણમાંથી ઘડીને તૈયાર કરેલા અતિમનોહર આરિલાભુવનમાં પોતાના શરીરની શોભા દેખવા માટે પ્રવેશ કર્યો. કલ્પવૃક્ષની જેમ પિતાને પણ શેભા-સમૃદ્ધિવાળા જોયા. એટલામાં પોતાના હસ્તની એક અંગુલિકામાંથી એક આભૂષણ સરી પડયું. તે વખતે શેભા લગાર ઓછી થઈ, એટલે ભરત મહારાજા આમ ચિતવવા લાગ્યા કે, નક્કી આ શરીરની પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy