SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ | ઉપદેશપદ–અનુવાદ ~~ તે કારણથી કર્મોદયાદિકના હેતુથી, તી-વ્યસનરૂપ જળ તરવાના હેતુરૂપ ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. કહેવું છે કે-કર્માંના ઉદય, ક્ષય, યાપશમ જે કહેલાં છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ પામીને તે ઉદયાદિક થાય છે. અહિં જે મતાંતર છે, તે જણાવે છે. તથા સ્વભાવપણાથી કેટલાક તીથ કહે છે. અહિં તાત્પર્ય એ છે કે-સમગ્ર મનુઘ્યક્ષેત્રમાં એવા કેાઈ ક્ષેત્રવિભાગ નથી કે, જેમાં અનાદિ અનંતકાળમાં અનંતા સિદ્ધિપદને ન પામ્યા હોય. તેમ જ સિદ્ધિ પામશે, માટે નિયત તી ખેલવુ ઉચિત કેવી રીતે ગણાય ? પરંતુ તથાસ્વભાવપણાના નિયમથી જીવ જ્યાં વિશિષ્ટ ગુણલાભવાળા થાય, તે તેને તેજ ‘તીથ' કહેવાય. (૨૧૨) ૨૧૩-ભક્તપરિજ્ઞા નામનું પ્રથમ, ઇંગિણી નામનું બીજું અને પાદપાપગમન નામનું ત્રીજી એમ અનશનના ત્રણ પ્રકારો કહેલા છે. તે પૈકી પાપાપગમન નામના ત્રીજા પ્રકારના અનશનની આરાધના કરીને મહાસત્ત્વવાળા તે મહાગિર ત્યાં ‘ગજાગ્રપદક’ નામના તીમાં કાળધર્મ પામીને પરિવારાદિ વિભૂતિયુક્ત મહાબુદ્ધિધન એવા વૈમાનિક દેવલાકને વિષે ઉત્પન્ન થયા. (૨૧૩) હવે આય હસ્તીસૂરિની ખાકીની વક્તવ્યતા કહે છે— અતિસુકુમાલ ૨૧૪ થી ૨૨૦-મુનિઓમાં વૃષભસમાન શ્રીઆ મહાગિરિસૂરિજી કાલ પામી ગયા પછી કાઈક સમયે જીવ'તસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે દુઃસ્થિતને અયુક્ત કરનાર આ સુહસ્તીસૂરિ નામના આચાય ઉજેણીમાં નગર બહાર પધાર્યા હતા. ગૈાચરી જનાર મુનિએને તેમણે આજ્ઞા કરી કે, · આજે લેાકાના વસવાટની વચ્ચે સાધુને ઉતરવા યેાગ્ય વસતિની માગણી કરો.' ત્યારે તેમાંથી એક સાધુયુગલ ભિક્ષા માટે ભદ્રા નામની સાવાહીને ઘરે ગયું. તેણે ગૌરવપૂર્વક ઉભા થઈ વંદન કર્યું" અને પૂછ્યું' કે, · આપ કેાના શિષ્ય છે. ?' અમે આ સુહસ્તીના શિષ્યા છીએ, અમે વસતિ મેળવવા માટે અહિં આવેલા છીએ.' એમ કહ્યુ, એટલે આનંદથી રામાંચિત અને વિકસિત દેહવાળી પેાતાને કૃતાર્થ માનતી તે મુનિયુગલને કહેવા લાગી કે, - વગર વપરાશની યાનશાળા બહુપ્રકારે મુનિઓને ઉચિત છે, તે કૃપા કરીને આપ ગ્રહણ કરી, ' એ પ્રમાણે ઉચિત કહીને ઘણા આહાર અને પાણીથી તેએને પ્રતિલાલ્યા. સાધુઓએ પણ ગુરુ પાસે જઈ ઇરિયાવહી પ્રતિક્રમીને નિવેદન કર્યું કે, ' હું ભગવંત ! ભદ્રાશેઠાણીને ત્યાં યાનશાળા પ્રાપ્ત થઈ છે. ભેાજન કર્યા પછી દિવસના અંતભાગમાં આ સુહસ્તી ગુરુ ઘણા ખાળ, વૃદ્ધ, ભિક્ષા ફરનારા ભિક્ષુકા સહિત ત્યાં પધાર્યા. અનુક્રમે જીવ'તસ્વામીની પ્રતિમાને વંદન કર્યા પછી લેાકેાને પ્રતિમધ કરવા માટે આશ્ચર્યકારી ધર્મોપદેશ આર. આ ખીજી સુભદ્રા સાવાહીને ઘણા ભાગે ભાગવનાર સુકુમાલ નામના પુત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy