SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિી સૂરિ, એલગચ્છ” [ ૨૨૯ અને ઘરમાં પધારે, ત્યારે તેઓ તે પ્રમાણે કરવા લાગ્યા. આર્ય મહાગિરિ વિચારવા લાગ્યા કે, “આ સ્વાભાવિકપણે આમ અનાદર કરતા નથી એટલે વહાર્યા વગર જ તેઓ વસતિમાં પાછા ફર્યા. સંધ્યા-સમયે આર્ય સુહસ્તીને કહ્યું કે, “હે આર્ય ! તેં મારા માટે આજે અષણ કેમ કરી?” “કેવી રીતે?” એમ બ્રાન્તિપૂર્વક પૂછયું, ત્યારે જણાવ્યું કે, “શેઠને ઘરે તમે ઉભા થઈ ગયા, મારા ક૯૫-વિષયક વૃત્તાન્ત જણાવ્યા. ત્યાર પછી કુસુમપુરથી ઉજજૈણી નગરીએ જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે પરિમિત સાધુ સાથે શ્રી આર્ય મહાગિરિ પધાર્યા. ત્યાં જિનબિંબને આભવંદન કરી સાધુ-સંઘને પ્રતિબોધી ત્યાંથી દશાણે દેશમાં એલગચ્છ નામના નગરે ગયા. ત્યાં તે મહાત્મા અનશનવિધિપૂર્વક અંતિમ આરાધના કરવા માટે ગયા. પહેલાં તે નગર દશાર્ણ પુર નામથી પ્રસિદ્ધ હતું, તે અત્યારે “એલગચ્છ” નામથી ઓળખાય છે. ત્યાં કઈક દુષ્ટ અભિપ્રાયવાળા કુલપુત્રે એક શ્રાવિકા સાથે લગ્ન કર્યું. શ્રાવિકા સૂર્યાસ્ત–સમયે હંમેશાં ચોવિહારનું પ્રત્યાખ્યાન કરતી હતી, ત્યારે તેનો ભર્તાર તેની મશ્કરી કરતો કે, “શું કઈ રાત્રે ભજન કરે છે? નિરર્થક પચ્ચકખાણ કરતી તું આત્માને ફલેશ પમાડે છે. બુદ્ધિધનવાળા નિષ્ફલ કાર્યારંભ કરનારા દેતા નથી. કેઈક દિવસે તેના ભર્તા રે કહ્યું કે, “જે આમાં ધર્મ હોય તે મને પણ રાત્રિભોજનનાં પચ્ચક્ખાણ છે.” શ્રાવિકાએ પતિને કહ્યું કે, ‘તમે તે ગ્રહણ ન કરશે. કારણ કે, તમે પાલન કરી શકવાના નથી અને ભાંગી નાખશે.” પેલાએ કહ્યું કે, “હે ભોળી! કોઈ વખત મને રાત્રે ભજન કરતાં દેખે છે?” એટલે કેધ પામેલી પ્રવચનદેવીએ તેની પરીક્ષા કરવા માટે બહેનને વેષ ધારણ કરી ખાવાનું ભાણું લાવીને ત્યાં હાજર કર્યું, એટલે તે તરત ભાજન કરવા લાગ્યું. ભાર્યાએ કહ્યું કે, “તમે જાતે સ્વમુખેથી પચ્ચકખાણ કર્યું અને હવે ભાંગવા તૈયાર થયા છે. ” પતિએ જ્યાં કહ્યું કે, “આવા નકામા ખોટા પ્રલાપ કરવાથી સયું.” એમ બેલતાં જ દેવીએ પગની લાત મારી, તેની બે આંખો બહાર નીકળી ગઈ અને નીચે પડી. દેખો પણ ન ગમે તેવી સ્થિતિ જોઈ શ્રાવિકા એકદમ કરમાએલી મુખકાંતિવાળી બની ગઈ અને વિચારવા લાગી કે, “લોકો આમાં મારો દોષ કાઢશે.”—એમ ભાવતી તે ભાર્યાએ શાસનદેવીનું સ્મરણ કરી કાઉસગ્ન કર્યો. તેમાં રહેલી તે પ્રવચનને દોષ ન લાગે, શાસનની મલિનતા ન થાય-તેમ પ્રયત્ન કર્યો. તે ક્ષણે કઈ મરતા એવા કેઈક બેકડાની બે આંખે જે સજીવ પ્રદેશમાં હતી, તે તેના સ્થાનમાં સ્થાપન કરી. દેવીએ પ્રાર્થનાથી આ કાર્ય કરી આપ્યું. પ્રભાતમાં લોકોએ તેને બોકડાની આંખ લગાડેલ જોયો, ત્યારથી માંડી તે નગર એલગચ્છ(એલકાક્ષ) એ નામથી પ્રસિદ્ધિ પામ્યું. ત્યાં દશાર્ણકૂટ નામને પર્વત છે. શિખરની ઉંચાઈથી સૂર્યનો માર્ગ પણ તૂટી ગયેલ છે, તે “ગજાગ્રપદક' નામની પ્રસિદ્ધિ પામ્યું છે? તે શા કારણે તે સાંભળો– કોઈક સમયે વીર ભગવત વિચરતા વિચરતા ત્યાં પહોંચ્યા. દેવેએ સર્વ જીવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy