SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ય સહસ્તીસૂરિ અને મહારાજા સંપ્રતિ [ ૨૨૭ તેમાં જોડાયે, રથને અનુસરવા લાગ્યો. યોગ્ય સમયે પોતાના સામંત રાજાઓને નેહગર્ભિત વચનથી સમજાવ્યા કે, “હે સામત ! જે તમે મને માનતા હો તે, તમારાં પિતાનાં રાજ્યોમાં જિનમંદિરોમાં જિનેશ્વરની મોટી રથયાત્રા કરાવે. મને ધનનું પ્રયજન નથી. મને તે ખરેખર આ જ પ્રિય વસ્તુ છે. તેઓને રજા આપી. તેઓએ પિતાના રાજ્યોમાં જઈ ઘોષણા કરાવી. સીમાડાના પ્રદેશનાં રાજ્ય સાધુઓ માટે સુખેથી વિહાર થઈ શકે તેવાં તૈયાર કરાવ્યાં. તે રાજાઓ પોતાનાં રાજ્યોમાં ચેત્યની પૂજા, રથયાત્રા, સ્નાત્ર મહોત્સવ, પુપો ચડાવવા રૂપ પુષ્પપૂજા, અક્ષત આદિથી વધામણું કરવાંવગેરે પ્રકારે પ્રભુભક્તિ કરવા લાગ્યા. હવે કોઈક સમયે સંપ્રતિરાજાએ મસ્તક નમાવીને સુહસ્તસૂરિને પૂછયું કે, “હે ભગવંત! અનાય દેશમાં સાધુએ કેમ વિહાર નથી કરતા?” આચાર્ય ભગવંતે કહ્યું કે-“વિચરતા સાધુઓ જ્યાં આત્મગુણની પ્રાપ્તિ કરે, ત્યાં વિચરે”-એમ વીર ભગવંતે કહેલું છે. આચાર્ય ભગવંત પાસેથી મેળવેલા અભિપ્રાયવાળા રાજાએ પોતાના મનુષ્યને સાધુઓનો વેષ પહેરાવ્યો અને સાધુ-સામાચારી શીખવી, એટલે તેઓ સાધુના આચાર-વિચાર, ભિક્ષાવૃત્તિ વગેરે જાણીને અનાર્ય દેશમાં જઈને જે પ્રકારે સાધુ ભોજન-પાણી, ઉપાશ્રય વગેરે ગ્રહણ કરે અને બોલવા-ચાલવાને સાધુ-વ્યવહાર પણ તેઓ તે પ્રમાણે કરવા લાગ્યા. શ્રમણ-સુભટોથી ભાવિત એવા તે દેશોમાં ચારે બાજુ સાધુએ સુખેથી વિહાર કરવા લાગ્યા અને તે કારણે તે દેશના લોકો પણ ભદ્રિક બની ગયા. શત્રુસેન્યને જિતને તે રાજાએ આંધ્ર, દ્રવિડ, એવા ભયંકર દેશમાં પણ સાધુઓ સુખેથી વિચરી શકે, તેવાં સુલભ વિહાર–સ્થળે બનાવરાવ્યાં. (૨૦૦) તે સંપ્રતિ રાજા નગરના દરવાજા પર પિતાના પૂર્વભવના દરિદ્રપણાના અને ભૂખ્યાપણાના દોષવાળા પ્રસંગોનું સ્મરણ કરીને મેટાં ચિત્રામણે કરાવતો હતો અને ભિક્ષુકને ભજનનું દાન કરાવતું હતું. જેઓ તેવા પ્રકારના દુઃખી જીવને તૃપ્તિ પમાડતા હતા, તેઓને રાજાએ ગૌરવપૂર્વક જણાવ્યું કે, “દાન આપતાં જે કંઈ પણ વધારો રહે, તે તમે આદરપૂર્વક સાધુઓને દાન આપ.” (૨૦૨) ૨૦૩–“સાધુઓને યોગ્ય તમે જે કંઈ તમારું આપો, તે રાજપિંડ ન ગણાય. તેનું જે કંઈ મૂલ્ય થશે, તેથી અધિક હું અપાવી દઈશ. આ વિષયમાં તમારે બીજો કોઈ વિકલ્પ ન કરે. તેઓ મુનિઓને પૂર્ણભાવથી ભજન અને પાણી આપતા હતા. એવી રીતે બીજા કંઈ વગેરે લોકો હતા, તેમને પણ રાજાએ કહી રાખેલ હતું કે, સાધુઓને ચગ્ય જે કંઈ હોય, તે તેમના ઉપયોગ પ્રમાણે ઉદારભાવ પૂર્વક આપવું અને તેનું મૂલ્ય જે થાય, તે તમારે માગી લેવું.” આ પ્રમાણે મહાસુભિક્ષકાળ ઉત્પન્ન થયું. ત્યારે ગામ, નગર, ખાણ વગેરેમાં વિહાર કરતા કરતા મહાગિરિ આચાર્ય આર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy