SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મમાં સર્વજ્ઞની આજ્ઞાની પ્રધાનતા [ ૨૧૩ તથા કેઈક નગરમાં કેઈક તપસ્વી સાધુ મહિને મહિને ઉપવાસ કરી પારણું કરતા હતા. પારણાના દિવસે તે ગામમાં લોકો ભક્તિથી સાધુ માટે તૈયાર કરી વહારાવશે–એટલે ભિક્ષાના દોષ લાગશે-અક૯ય મળશે-એમ સંભાવના કરતા અજ્ઞાત કુળની ભિક્ષા મેળવવાની ઈચ્છાથી નજીકના ગામે ગયા. ત્યાં એક મોટા કુટુંબની ભદ્રિક પરિણામવાળી, સાધુને દાન આપવાની અતિશ્રદ્ધાવાળી શ્રાવિકાએ મોટા પ્રમાણમાં ખીર રાંધીને તૈયાર કરી. જે બહુ આદર કરીને વહોરાવીશ, તો તે મુનિ નહીં ગ્રહણ કરે. તેને ગ્રહણ કરાવવાનો કોઈ અપૂર્વ ઉપાય શોધતી હતી. એવામાં તેને બુદ્ધિ ઉત્પન્ન થઈ અને નાના બાળકોને શીખવી રાખ્યું કે-“તપસ્વી મુનિ જ્યારે ભિક્ષા માટે આવે, ત્યારે તેમના સમક્ષ જ્યારે હું તમને ક્ષીર પીરસું, ત્યારે અરુચિવાળાં વચન વડે “આ ખાવા લાયક નથી”-તેમ અનાદર કરી પ્રતિષેધ કરે. બાળકેએ તેમ કર્યું. તપસ્વી મુનિએ ‘દ્રવ્યાદિકને તીવ્ર ઉપયોગ મૂકી સર્વ પ્રકારે આ નિર્દોષ આહાર છે”—એમ વિચારી કેવલી ભગવંતના વચનની આરાધનાથી પ્રધાન ઉપગ પૂર્વક ક્ષીરાજ ગ્રહણ કર્યું. તે ભોજન કરવા લાગ્યા, ત્યારે ચિંતવવા લાગ્યા કે-“હે જીવ! એષણના બેંતાલીશ દોષ વગરની ભિક્ષા ગ્રહણ કરવામાં તું છેતરાયે નથી, તો હવે ભોજન કરતી વખતે રાગદ્વષથી ન ઠગાય, તેની સાવધાની રાખજે.” ઈત્યાદિ શુભ ભાવના ભાવતાં તેઓએ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પ્રગટ કર્યું. પ્રથમના સાધુને સર્વજ્ઞની આજ્ઞાના ઉપયોગ-રહિત હોવાથી શુદ્ધ નિર્દોષ પિંડ ગ્રહણ કરતાં કરતાં કિલષ્ટ કર્મને બંધ થયે. બીજા તપસ્વી મુનિએ કુશળતા પૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર આદિનો ઉપયોગ મૂકીને તે અશુદ્ધ ગ્રહણ કર્યો, તો પણ તે કેવલજ્ઞાન ફળ અને નિર્જરા-લાભ કરનાર થયે. માટે જ શાસ્ત્રમાં કહેલું છે કે-“અચિત્તનું ભજન કરનાર હોય, પરંતુ આધાકર્મ આહારને ટાળવા પ્રયત્ન ન કરે, તો તેને કર્મબંધ કરનારો કહેલો છે અને શુદ્ધ આહારની વેષણ કરે તો કદાચ આધાકર્મનું ભજન કરે, તો પણ તેને શુદ્ધ ગણે છે.માટે આગમને વિષે શ્રવણ ઈચ્છા, શ્રવણ તેમ જ ભણવું વગેરે પ્રયત્ન કરે. સર્વ મોક્ષના આંભલાષીઓ આ આગમ એ મોક્ષને હેતુ છે, તેના પ્રયત્ન વગર મોક્ષને અભાવ સમજો. વળી કહે છે કે-“જેમ અતિશય મલિન વસ્ત્ર હોય, તો જલ તેની શુદ્ધિ કરનાર છે, તેમ અંતઃકરણરૂપી રત્નને નિર્મળ કરનાર હોય, તો આગમ શાસ્ત્ર છે-એમ પંડિતો કહે છે.” જગતને વંદનીય એવા તીર્થંકર પરમાત્માએ શાસ્ત્રમાં ભક્તિને મુક્તિની મેટી દૂતી કહેલી છે. માટે અહીં તે શાસ્ત્રભક્તિ મેળવવી, તે યથાગ્ય છે. આ જ વાત સ્પષ્ટ રીતે વિચારતા કહે છે કે – ૧૮૬– જિનવચન ઉલ્લંઘન કરવા રૂપ આજ્ઞા-બાધાથી શુદ્ધ આહારાદિ આધાકર્માદિ સર્વ એષણ કરીને શુદ્ધ પણ પિંડ મેળવ્યા હોય, તો પણ પ્રથમ સાધુ માફક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy