SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રના આધારે અહિંસા [ ૨૧૧ છે, આ કારણથી આ અહિંસામાં જ ઉદ્યમ કરે, તેનું જ અવલંબન કરે. કેવી રીતે ?' –તે કહે છે. આ અહિંસા સિવાય બીજા જે ગુરુકુળવાસ, તેમને વિનય કરવો, શાસ્ત્રાભ્યાસ વગેરે બાકીનાં ધર્મસ્થાનકે તેમજ અહિંસાનું સ્વરૂપ, તેનું જ્ઞાન લેવું, વ્રત ગ્રહણ કરવાં, વ્રત પાલન, અહિંસાનું પાલન કેમ કરવું ? તેના ઉપાયે ક્યા? આ સર્વનો ત્યાગ કરીને કોઈ એક અચિત્ત પુષ્પ, ફલ, સેવાળ આદિકનું ભજન કરે, જનરહિત અરણ્યવાસ સેવન કરનાર અજ્ઞાન–બાલ–તપસ્વી, અગીતાર્થ કે લેકર મુનિ અહિં બીજા ધાર્મિક લોકની અંદર લૌકિકનીતિ અનુસાર “ધર્મનું સર્વસ્વ શ્રવણ કરે, સાંભળીને તેનું મનમાં અવધારણ કરો. તમારા આત્માને જે પ્રતિકૂળ લાગે, તે તમારે બીજા જીવો પ્રત્યે ન કરવું.” (૧૮૩) એ જ વાત અન્વય-વિધિથી જણાવે છે – - ૧૮૪–પહેલાં કહેલ ધાર્મિકથી વિલક્ષણ તે ધાર્મિક જ વિચારે છે કે, આ અહિંસા સ્વરૂપથી અને અનુબંધથી સમગ્ર કુશલલોકને અભિનંદન કરવા યંગ્ય છે. આ અહિંસા ગમે તેમ જાણવી શકય નથી, પરંતુ આગમશાસ્ત્રથી જાણી શકાય છે. આપ-પ્રામાણિક પુરુષના વચન સ્વરૂપ આગમે છે. કહેવું છે કે–“બુદ્ધિશાળી શ્રદ્ધાવાળા નજીકના મોક્ષગામી આત્માઓ પર કવિધિમાં પ્રાયઃ શા-આગમ સિવાય બીજાની અપેક્ષા રાખતા નથી. જગતમાં અર્થ અને કામ ઉપદેશ વગર પણ લેકે પ્રાપ્ત કરે છે, પરંતુ ધર્મ શાસ્ત્ર વગર મેળવી શકાતું નથી, માટે શાસ્ત્રમાં આદર કરવો હિતાવહ છે. પાપરૂપી રેગનું ઔષધ શાસ્ત્ર છે. પુણ્યનું કારણ શાસ્ત્ર છે, સર્વ પદાર્થને જણાવનાર–દેખાડનાર શાસ્ત્ર ચક્ષુ છે, શાસ્ત્ર સર્વ અર્થને સાધી આપનાર છે.” તથા ઘમત્તાન્ત પ્રાચપરેપ હિંસા”–પ્રમાદના યોગથી જીવ અને પ્રાણનો વિયોગ થાય, તે હિંસા--આ હિંસાને હેતુ કહેવાય. હિંસાનું સ્વરૂપ જણાવે છે–આ જગતના ત્રણે લોકમાં આધિથી, વ્યાધિથી અને ઉપાધિથી જે દુઃખ ઉત્પન્ન થાય છે, તે સમગ્ર ફલ જે હેય તે હિંસારૂપી વિષવૃક્ષનું જ છે. આનાથી વિલક્ષણ રીતે અહિંસાને જના કરવી. સૂત્ર અને અર્થરૂપ આ ગામ સહિતની પ્રવૃત્તિ અને અહિતની નિવૃત્તિના કારણરૂપ આગમશાસ્ત્ર ગુરુથી જ મેળવી શકાય છે. ગુરુનું લક્ષણ આ પ્રમાણે – શાસ્ત્રના અર્થના જાણકાર, શ્રેષ્ઠ નિઃસંગતાને પામેલા, ભવ્ય છોરૂપી કમલને વિકસિત કરનાર સૂર્યમંડલ સમાન ગુરુએ હેય છે. ગુણોનું પાલન તથા વૃદ્ધિ જેનાથી થાય અને હંમેશાં ભયારણ્યમાં સાર્થવાહ સમાન ગુરુ મહારાજ હોય છે.” બીજા સ્થાને કહેલું છે કે–“જે કારણથી શાસ્ત્રના આરંભે ગુરુને આધીન હોય છે, માટે આત્મહિતના અથીઓએ નિરંતર ગુરુની આરાધના કરવામાં તત્પર રહેવું. સંસારમાં ઉત્પન્ન થયેલા કષાયદોષને જેઓ ગુરુના સહારા વગર ઉલ્લંઘન કરવાની અભિલાષા રાખે છે, તેઓ ખરેખર ભયંકર મગરમચ્છાદિ જલચરોથી ભરપૂર એવા સમુદ્રને નાવ વગર તરવાની ઈચ્છા રેક છે.” કાલ, વિનય, બહુમાન આદિ વિધિપૂર્વક ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy