SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્ય-સિદ્ધિનાં પાંચ કારણો [ ૧૯, જણાવેલ છે. હે શિષ્ય ! આ વાત તું બરાબર સમજી લે. (૧૬૨) તેઓ કોણ? ૧૬૩–પિતાના અને પારકા એમ બંનેના ઉપકારક એવા સાધુ કે સાધર્મિક રૂપ મિત્રોને જે સંબંધ એટલે તેમની સાથેની સર્વ અનુચિત પ્રવૃત્તિ રોકીને અને ઉચિત પ્રવૃત્તિ સાચવીને તે ભવ્યજીવોને કલ્યાણમિત્ર–ગ કરે. તેનો પેગ પણ શાથી થાય, તે જણાવતાં કહે છે કે- “ભવાંતરમાં ઉપાર્જન કરેલા પુણ્યાનુબંધી પુણ્યરૂપ કમ–પરિણામ–દેવ-ભાગ્ય તે કારણે જેમાં છે, એવો કલ્યાણમિત્ર-ગ. પુણ્યાનુબંધી પુણ્ય એ નિર્દોષ સુવર્ણના ઘટાકાર સરખું હોય છે. આવા પુણ્ય વગર પ્રાણીઓ કલ્યાણમિત્રના યોગવાળા બની શકતા નથી. એ પુણ્યવંત કલ્યાણમિત્રના યોગવાળા ક્યા કારણથી થાય ? તો કે તથાભવ્યત્વના કારણે, તે પણ અનાદિ પરિણામિકભાવરૂપ ભવ્યત્વ-એટલે સિદ્ધિગમન માટે એગ્યતા હોય, તે રૂ૫ ભવ્યત્વ, અને તથાભવ્યત્વ તે આભવ્યત્વ છે. તેમાં વિચિત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આદિ ભેદો વડે જીને બીજ-આધાનાદિના કારણરૂપ જે થાય. વળી તે હેતુ કેવા પ્રકારને ? તેવા પ્રકારના નજીકના કે દૂરના અર્થાત્ અનંતર કે પરંપરાદિ ભેટવાળા ફલના હેતુભૂત જે છેલ્લા પુગલ-પરાવર્તના કારણે પ્રાપ્ત થયેલ જીવન વીલ્લાસ, તેનાથી યુક્ત સર્વ જીવોને તથાભવ્યત્વ તે હોય જ છે, પરંતુ તેવા પ્રકારના પુરુષાર્થ – હિતને ઉદયમાં આવેલા કમં પરિણામ હેતુપણે પ્રાપ્ત થતા નથી. એ માટે પુરુષાર્થ-સહિત હેતુને ગ્રહણ કર્યો છે. પુરુષાર્થ વગર ભવ્યત્વ પરિપક્વ થતું નથી. (૧૩) શંકા કરી કે, આ પ્રમાણે અનેક કારણોથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેનું સમાધાન કરતાં કહે છે કે, સર્વ કાર્યો અનેક કાલાદિ કારણેથી ઉત્પન્ન થવાવાળાં છે, તે દર્શાવવા कालो सहाव-नियति-पुवकय पुरिसकारणेगता । मिच्छत्तं ते चेव उ, समासओ होति सम्मत्तं ॥ १६४ ।। ૧૬૪–કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ, પુરુષકાર આ કારણોને એકાંતપણે એકલાં એકલાં માને તે, મિથ્યાત્વ અને તેઓને પરસ્પર એકબીજાને છોડી ન દેવાં, પણ સાથે એકઠાંરૂપે માનવાં-તે સમ્યફ – સ્વરૂપ માનેલાં છે. (ગાથાનો તાત્પર્યા) - તેમાં કાલવાદીઓ કહે છે-કાલ એ જ એકાંતે જગતનું કારણ છે. તે આ પ્રમાણે શત, ઉષ્ણ, વર્ષા, વનસ્પતિ, પુરુષ આદિ રૂપ સર્વ જગતને ઉત્પન્ન, સિથર, વિનાશ કરવામાં, ગ્રહચાર, ગ્રહણ, સંધ્યારાગ, યુતિ, યુદ્ધ, સૂર્ય-ચંદ્રના ઉદય-અસ્ત થવા, જવું, પાછી આવવું– આ સર્વેમાં કાલ કારણ છે. કાલ વગર સર્વના અન્ય કારણ સ્વીકારવામાં આવે તો, તેનો અભાવ માને છે. કાલ એ જ સર્વભૂતોને જીણું કરે છે, કાલ એ જ પ્રજાનું હરણ કરે છે, ઉંઘતાને કાળ જગાડે છે, કાલનું ઉલ્લંઘન કેઈ કરી શકતા નથી. આ વાત ખોટી છે. તે કાળને સદ્ભાવ હોવા છતાં વરસાદ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy