SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] ઉપદેશપદ-અનુવાદ પેાતાના દેહની રૂપલક્ષ્મીથી દેવાંગનાઓને પણ ઝાંખી પાડે, તેવા પ્રકારની પુત્રી હતી. તે નવીન−ઉદાર યૌવનવય પામી. તેમની વાહનશાળામાં રહેલી સાધ્વીએ હંમેશાં વાસ્વામીના શરદચંદ્રના સરખા નિર્મળ ગુણા પ્રશ'સતી હતી. તે આ પ્રમાણે− આ માલબ્રહ્મચારી અખંડ શીલવાળા મહુશ્રુત-અતિશય જ્ઞાનના સ્વામી, પ્રશમરસથી ભરપૂર છે. આ મહાપુરુષ અનેક ગુણાના ભંડાર છે, એમના સરખા બીજા કાઇ એક સામટા ગુણવાળા નથી. (૨૫૦) “આ જગતમાં આ બે પુરુષ! બીજાને પ્રતીતિ ઉત્પન્ન કરનાર ગણેલા છે, તેમાં સ્ત્રીઓ, બીજી સ્ત્રી જેની કામના કરતી હેાય, તેને ઇચ્છવાવાળી અને લેાક, જે પૂજ્ય પુરુષ હાય, તેની પૂજા કરનાર છે. આ પ્રમાણે સાધ્વીજીએના મુખથી તેમના ગુણે! સાંભળીને તેમનું સ્મરણ કરતી તે કન્યા તેમના વિષે ઢ અનુરાગવાળી બની. આવા પ્રકારના માનસિક અભિપ્રાયવાળી પુત્રી પિતાને એમ કહેવા લાગી કે, ‘જો મને વાસ્વામી ભર્તાર તરીકે પ્રાપ્ત થશે, તેા હું વિવાહ કરીશ, નહિંતર સળગતા અગ્નિની ઉપમાવાળા ભાગે! મારે ભાગવવા નથી. ઉત્તમકુળમાં જન્મેલી કન્યા આપેાઆપ ભર્તાર મેળવી લે છે, પરંતુ તે તેની ઇચ્છા કરતી નથી. સાધ્વીએ કન્યાને કહે છે કે, સ્વામી કદાપિ વિવાહ-લગ્ન કરે જ નહિ. ત્યારે તે કુમારી કહેવા લાગી કે, ‘જો તે વિવાહ નહીં કરશે, તે હું દીક્ષા જ ગ્રહણ કરીશ.' એમ પેાતાના મનમાં નિશ્ચય સ્થાપન કર્યા હતા. ભગવાન વસ્વામી પણ ક્રમ પૂર્વક વિહાર કરતા કરતા પાટલિપુત્ર નગરે પધાર્યા. તુષાર-હિમ સરખા ઉજજવલ તેના યશ સમૂહ શ્રવણ કરવાથી રંજિત-પ્રભાવિત થયેલ ત્યાંના રાજા પેાતાના પરિવાર સહિત સન્મુખ આવ્યો, ત્યારે ઉજજવલ રૂપવાળા કેટલાક કેટલાકના સમુદાયવાળા સાધુએને નગરમાં આવતા જોયા. રાજાએ તેમાં ઉદાર-સુંદર શરીરવાળા આવતા ઘણા મુનિવરને જોયા. એટલે પૂછ્યું કે, ‘આ જ તે વા સ્વામી ભગવંત છે કે? 'ત્યારે જવાખમાં જણાવ્યું કે, ‘આ તે જ છે, પરંતુ ખીન નથી’ એ પ્રમાણે વિકસિત નેત્રા વડે રાજા અને નગર લેાકા વડે દૂરથી તાકીતાકીને જોવાતા કેટલાક મુનિઓથી પરિવરેલા વાસ્વામીની પાસે પહેાંચ્યા. ત્યાર પછી આદર સહિત પૃથ્વીમ`ડલને અડકાડેલા મસ્તકથી રાજાએ તેમને વદન કર્યુ અને પ્રીતિ-ભકિતવાળા વચન કહેવા વડે તેમને અભિનંદન કર્યું. નગરનાં ઉદ્યાનમાં રોકાયા અને 'ક્ષીરાસ્રવ લબ્ધિ વડે ધર્મ કથા શરુ કરી. એ પ્રકારે માહના નાશ કરનારી ધમ કથામાં જણાવ્યું કે-“નિલ કલાદિ ગુણયુક્ત મનેાહર મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને બુદ્ધિશાળી મનુષ્યે મેાક્ષ માટે સજ્જડ ઉદ્યમ કરવા જોઈએ. અથ અને કામના ફૂલવાળા ધર્મ, તેમજ અથ અને કામ આ ત્રણે પરિણામથી વિચારીએ તે કપાકલ, ખલપુરુષના સમાગમ અને ઝેર-મિશ્રિત લેાજન સમાન કહેલા છે. જેમાં સ'સારના ભય નથી, * ૧ ક્ષીરાસવ, મધ્વાસર આદિ વચનલબ્ધિની વ્યાખ્યા યેગશાસ્રતા મારા અનુવાદમાંથી જોઇ લેવા ભલામણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy