SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ]. ઉપદેશપદ- અનુવાદ સ્થાને ગયા એટલે આજ્ઞા પામેલા તુચ્છ બુદ્ધિવાળા સુબંધુએ ધૂપ સળગાવી તેને અંગારો બકરીઓની લીડીઓ ઉપર જાણી જોઈને નાખ્યો. લેકની અંદર શુદ્ધ લેશ્યામાં વર્તતા ચાણક્યની નજીક સળગતે સળગતો કરીષાગ્નિ પહોંચે. આવા સમયમાં ચાણક્ય ધર્મધ્યાનમાં સજજડ એકાગ્ર ચિત્તવાળો બન્યો અને લગાર પણ પિતાના ધ્યાનથી ચલાયમાન ન થયો. અનુકંપાવાળો તે સળગતા અગ્નિમાં બળી રહેલ હતો. “ખરેખર તે ધન્ય પુરુષ છે કે, જેઓ અનુત્તર મોહસ્થાનકમાં ગયા છે, જે કારણ માટે તેઓ ના દુઃખના કારણરૂપ થતા નથી. અમારા સરખા પાપી જીવો તો ઘણા પ્રકારના જીવોને ઉપદ્રવ કરીને આરંભ–સમારંભમાં આસક્ત મનવાળા થાય છે, એ રીતે પિતાનું જીવન પાપમાં જ પસાર કરે છે. આવા જીવલેકને ધિક્કાર થાઓ. જિનેશ્વરના વચનને જાણવા છતાં મેહ-મહાશલ્યથી વિંધાયેલા મનવાળો હું આ લોક અને પરલોક–વિરુદ્ધ વર્તન કરનારે થયો છું. ખરેખર મારું ચરિત્ર કેવું છે? આ ભવમાં કે પરભવમાં મેં જે કંઈ ને દુઃખ પમાડ્યા હોય, તે સર્વે અત્યારે મને ક્ષમા આપજે, હું પણ તે સર્વે ને ખમાવું છું. રાજ્ય કરતા હતા, ત્યારે પાપાધીન થઈ જે કઈ વિવિધ અધિકરણ વગેરે એકઠાં કર્યા હોય, તે સર્વેને હું વિવિધ ત્યાગ કરું છું. તે લીંડીઓના અગ્નિમાં જેમ જેમ તે ધન્યને દેહ બળતો જાય છે, તેમ તેમ તેનાં દૂર કર્મો અંત સમયે પણ નાશ પામે છે. (૧૭) શુભભાવનાની પ્રધાનતાવાળ, પ્રધાન પરમેષ્ઠિ–મંત્રના સ્મરણમાં તત્પર બનેલે અડોલ સમાધિ પૂર્ણ ચિત્તવાળે મૃત્યુભાવને પામ્યો. દેદીપ્યમાન દેહવાળે મહદ્ધિક દેવપણે તે દેવલોકમાં ઉત્પન્ન થયો. હવે તેના મરણથી આનંદિત થયેલા તે સુબંધુ મંત્રી સમયે રાજાને પ્રાર્થના કરીને ચાણકનો મહેલ મેળવીને ત્યાં ગયે, ત્યારે ગંધની મહેકબહલાતી હતી. જેનાં દ્વાર સજજડ ખીલાઓ ઠેકીને મજબૂત બનાવ્યાં હતાં, તે જયાં અને વિચાર્યું કે, “અહિં કમાડ ખોલીને સર્વ સારભૂત દ્રવ્ય પ્રાપ્ત થઈ શકશે એટલે કમાડ તોડાવી અંદરની મંજૂષા-પેટી બહાર કાઢી. ત્યાર પછી જ્યાં સુગંધી વાસદ્રવ્ય સૂછ્યું, તેટલામાં તે ભોજપત્રમાં લખેલ વાક્ય અને તેનો અર્થ પણ સારી રીતે જાણ્યો. તેની ખાત્રી માટે એક બીજા પુરુષને તે વાસ સૂંઘાડ્યો. ત્યાર પછી તેની પાસે વિષયોનો ભોગવટો કરાવ્યો, તો તે મનુષ્ય મૃત્યુ પામ્યા–એ જ પ્રમાણે બીજી પણ વિશિષ્ટ વસ્તુઓની ખાત્રી કરી. અરે રે! તું તે મર્યો, અને મને પણ મારતો ગયે. આ પ્રમાણે અતિશય દુઃખમાં સબડતો જીવવાની ઈચ્છાથી તે બિચારે ઉત્તમમુનિની માફક પિતાનું જીવન પસાર કરવા લાગ્યા. આ વિષયમાં ચાણક્યની આ પરિણામિકી બુદ્ધિ અહિ સમજવી. જે કારણથી આ બુદ્ધિ પામ્યો, તેથી મનોવિંછિત અનશન પણ છેવટે આ બુદ્ધિના પ્રભાવથી પામી શક્યા. (૧૭૮) ગાથાઅક્ષરાર્થ– ચાણક્ય નામના દ્વારમાં પ્રથમ તે નંદ સાથે વૈરના કારણે વનમાં જઈ સુવર્ણાદિ ધન ઉપાર્જન કરવા પ્રયત્ન કરવા લાગ્યા. ત્યાર પછી રાજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy