SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] ઉપદેશપદ-અનુવાદ આપતાં ચાણક્ય કહ્યું, ત્યારે ગુરુએ પણ ચાણક્યને કહ્યું કે, “તમારા સરખા શાસનપાલકે હેવા છતાં આ સાધુઓ સુધાથી પીડાઈને નિર્ધમં બને અને આવા આચારવાળા થાય, તે સર્વ તમારો જ અપરાધ છે, પણ બીજાને નહિં. એટલે તે પગે પડીને ક્ષમા માગવા લાગ્યો કે, “મારા આ એક અપરાધની ક્ષમા આપો.” હવેથી પ્રવચનની સર્વ ચિંતા હું કરીશ.” લેકના મનમાં ચમત્કાર થયો કે, “ચાણક્ય કદાપિ આવો નમ્ર થઈને અપરાધની ક્ષમા માગે ખરે ?” હવે “ઘણું લેકોને વિરોધ પામેલા રાજાને રખે કોઈ ઝેર ખવરાવી દે” તેથી ખબર ન પડે તેવી રીતે તેના શરીરમાં ઝેરને ભાવિત કરવા લાગ્યો કે, જેથી તેને દુજેને ઝેરનો પ્રયોગ કરે, તો પણ તે ઝેર પરાભવ કરનાર ન થાય. (૧૩૦) દરરોજ ચાણક્ય પાસે રહેલો હોય ત્યારે જ રાજા ભજન કરે, કેઈક દિવસે કોઈ પણ પ્રકારે બીજા કાર્યમાં રોકાયેલા હોવાથી રાજાના ભજન–સમયે તેની ગેરહાજરીમાં ગર્ભવતી રાણીઓ સાથે બેસી ભોજન કરવા ઈચ્છા કરી. આ ભજનમાં ઝેર છે, તેને પરમાર્થ ન જાણનાર અતિપ્રેમથી પરાધીન બનેલા રાજાએ પિતાના થાળમાંથી રાણીને એક કળિયે આયે, જેટલામાં રાણીએ ઝેરવાળો કોળિયો ખાધો કે તરત ભાન ગુમાવ્યું અને પરવશ બની ગઈ. આ વાત ચાણક્યને જણાવી, એટલે તે ઉતાવળે પગલે આવી પહોંચે. ઉદરમાં રહેલા ગર્ભને હજુ કંઈ હરકત આવી નથી–એમ મારું ચોક્કસ માનવું છે–એટલે તે કાળે કરવા યોગ્યમાં દક્ષ એવા ચાણક્ય શસ્ત્ર ગ્રહણ કરીને તરત પેટની નસને વિદારણ કરી ઘણે પાકીને તૈયાર થયેલો ગર્ભ હાથથી ગ્રહણ કરી લીધું અને જુના ઘીથી ભરેલા ભાજનમાં તેને રાખીને જીવાડ્યો. અનુક્રમે શરીર પુષ્ટ થવા લાગ્યું. તેના મસ્તક ઉપર ઝેરનું બિન્દુ લાગેલું હોવાથી તેનું “બિન્દુસાર” એવું નામ સ્થાપન કર્યું. ગર્ભમાં રહેલાને જ બહાર કાઢેલો હોવાથી તેને રૂંવાડાંનો ઉદગમ ન થયો. કાલે કરીને ચંદ્રગુપ્ત મરણ પામે, એટલે તે બિન્દુસારને રાજા કર્યો. આગળ ઉથાપન કરેલા નંદરાજાના સુબંધુ નામના એક મંત્રીએ ચાણક્યનો તે અપરાધ ઉભો કરીને આ નવા રાજાના કાન ભંભેર્યા કે-“હે દેવ ! જો કે આપ મારા પ્રત્યે કૃપાવાળી વિકસિત દષ્ટિથી જોતા નથી, છતાં પણ આપનું હિત અમારા અંતરમાં વસેલું હોવાથી આપને સત્ય હકીકત જણાવવી જ પડશે કે, “આ ચાણક્ય મંત્રીએ આપની માતાનું ઉદર ચીરીને તેને મરણ પમાડી, તે આનાથી બીજો કયો ધિરી હોઈ શકે?” એમ સાંભળીને કોપ પામેલા રાજાએ પિતાની ધાવમાતાને પૂછ્યું, તેણે પણ તેમ કહ્યું, પણ મૂળથી આખી બનેલી હકીકત ન કહી. સમય થયો, એટલે ચાણક્ય આવ્ય, રાજાએ પણ તેને દેખીને ભાલાલની ભ્રકુટી ચડાવી, ધ મુખવાળા બની મુખ ફેરવી નાખ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy