SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પરિણામિકી બુદ્ધિનાં ઉદાહરણો, શ્રાવક [ ૧૪૩ ૧૩૫–-કોઈક નગરમાં કોઈક વ્રતધારી કેદખાના સરખા ગૃહવાસમાં પાપથી ડરનારા, પરસ્ત્રી સાથે રમણ ન કરવાની પ્રતિજ્ઞાવાળા શ્રાવકને ઉદાર ભૂષણેથી અલંકૃત શ્રેષ્ઠ વસ્ત્ર પહેરેલ એવી પત્નીની સખીને દેખી તેને કામાવેગ વિષવેગની જેમ વધવા લાગ્યો. તેની ચિકિત્સા ન થવાના કારણે લાંઘણ કરનારની માફક તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું અને દેડકાંતિ ઉડી ગઈ. તેની ભાર્યાએ પૂછયું કે, “વગર કારણે આમ તમે એકદમ કેમ દુબળા દેખાવ છો ?” ખૂબ આગ્રહ કર્યો, ત્યારે કહ્યું. પત્નીએ પ્રત્યુત્તર આપ્યો કે, “આમાં શી મોટી વાત છે? આ એક સામાન્ય કાર્ય છે.” આ કારણે ખેદ કરવાની જરૂર નથી. હું તેવું કરીશ કે, જેથી તમારા મને રથની સિદ્ધિ થાય.” સંધ્યા–સમયે પિતાની સખીનાં આભૂષણો અને વસ્ત્રો પહેરી લાવીને શાહમાં અંધકારમાં રહેલી હતી. ત્યાં પેલાએ પ્રવેશ કર્યો અને મનોવાંછિત પૂર્ણ કર્યા. ત્યાર પછી તે પિતાના વ્રત ખંડન માટે ભારી પશ્ચાત્તાપ કરતાં કહેવા લાગ્યો કે, “શીલ ખંડિત કરનાર મને ધિક્કાર થાઓ. ત્યારે પિતાની પનીએ રતિકાળ સમયે કરેલી ચેષ્ટા યાદ કરાવવા પૂર્વક કહ્યું કે, “એ હું પોતે જ હતી, તે ન હતી.” તે પણ મનમાં ગાઢ દુભાવા લાગે. અતિકલુષ પરિણામ કરવાથી પણ મેં મારું વ્રત તો ભાંગ્યું. આચારમાં તલ્લીન બહુશ્રુત એવા સુગુરુના ચરણકમળમાં આલોચના કરી પ્રતિકમણ કર્યું. ગુરુએ તેને કહ્યું કે, “હવેથી દરથી તેનું દર્શન વર્જવું.” આ તારી ભાર્યાએ કામશત્રુના હથિયારના ઘા થયા હતા, તે જાણે રૂઝાવી નાખ્યા ન હોય, તે પણ કુત્સિત પ્રયોગથી ઉઘાડા થાય છે, પછી તે પ્રકાશરૂપ થાય છે, જે કારણથી દોષદષ્ટિથી ફરી ઉછળે છે, માટે મોટાઓએ તેનાં દર્શનથી દૂર રહેવું. પતિએ ફરી વિનંતિ કરી. પત્નીની પરિણમિકી બુદ્ધિના પ્રભાવથી અશુભ ગતિમાં પડતાને ધારી રાખ્યું અને સગતિમાં પહોંચાડ્યા. (૧૨) અક્ષરાર્થ-શ્રાવક નામના દ્વારમાં ભાર્યાની બહેનપણમાં રાગ પ્રગટ્યો, રાગની અધિકતાથી દુર્બલ શરીર જોઈને ભાર્યાને દુર્બલ શરીર થવાના કારણમાં શંકા થઈ બહેનપણીનાં વસ્ત્ર-આભૂષણ લાવી પતિને સંતેષ પમાડ્યો. ત્યાર પછી પતિને થયું કે, “અરે! મેં દુષ્કત કયું!” એ પ્રકારે સાચો સંવેગ થયે, તે વાત પોતાની પત્નીને સાચે સાચી કરી. ભાર્યાએ પણ સાચી હકીકત કહી કે, “જ હતી, બીજી કઈ ન હતી.” તે પણ ભાવભેષના કારણે હું પરસ્ત્રી–સેવન કરનારો બન્યો. એ દોષ ગુરુ પાસે પ્રગટ કર્યો. ગુરુએ હિત શિખામણ આપતાં જણાવ્યું કે, હવે તારે તેના તરફ નજર ન કરવી” પરદારાનાં પચ્ચક્ખાણ ફરી પણ કરાવ્યાં. (૧૩૫) ૧૩૬–સુપ્રતિષ્ઠ નામના નગરમાં શ્રી સંગત નામનો મોટો રાજા હતા. તેને પિતાના પ્રાણાધિક મનદવિતા નામની દેવી હતી. તેની સાથે પાંચ પ્રકારના વિશ્વાસ ઉત્પન્ન કરાવનારા ભોગે રાજા ભગવતો હતે-એમ કરતાં ઘણો સારો કાળ પસાર થયે. - હવે કઈક સમયે વૈદ્યો પણ જેને ઉપાય ન કરી શકે તેવા અસાધ્ય રોગથી વણસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy