SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પારિણામિકી બુદ્ધિનાં ઉદાહરણા, અભયકુમારની કથા [ ૧૨૯ વારંવાર કેમ વિક્ષેપ આવ્યા ? તે માટે રાજાએ અભયને ખેલાવીને પૂછ્યું કે, ‘આમાં શે પરમાથ છે ?' એટલે ભાતાની કાથળી સૂંઘીને કહ્યુ કે, ‘આમાં ખરેખર ખરાખ ચૈ ભેગાં કરીને લાડવા બનાવ્યેા છે અને તે દ્રચૈાના સ'ચાગથી દૃષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયા છે. તે કેથળી ઉઘાડતાં જ સાચેસાચ તે પ્રગટ દેખાયા. હવે આ સર્પનું શું કરવું ? · અવળા મુખે અરણ્યમાં તેને છેડી દેવા. ’મૂકતાની સાથે જ તેની પેાતાની દૃષ્ટિથી વના અળીને ભસ્મ બની ગયાં, તેમ જ અંતર્મુહૂત્તમાં તે મરી ગયા. એટલે પ્રદ્યોત રાજા અભય ઉપર પ્રસન્ન થયા અને કહ્યુ કે, ‘બંધનમુક્તિ સિવાય બીજું વરદાન માગ,’ તા અભયે કહ્યું કે, ‘હાલ આપની પાસે થાપણ તરીકે અનામત રાખી મૂકો.' * કાઈક સમયે અનલિગિર નામના હાથી તેને ખાંધવાને સ્તંભ ભાંગીને મદાકુલ ખની દોડાદોડી કરવા લાગ્યા-એને પકડી પણ શકાતા નથી, તે રાજાએ અભયને પૂછ્યું. તેણે પ્રત્યુત્તર આપ્યા કે, વત્સદેશાધિપતિ ઉડ્ડયન નામના રાજા પ્રદ્યોતની પુત્રી વાસવદત્તા જે કળાઓમાં અને સ'ગીતમાં ઘણી કુશળ છે. તે કાળે ઉડ્ડયન સિવાય બીજો કેાઈ ગ ́ધકળામાં પ્રધાન નથી, તેને વાસવદત્તાને શીખવવા માટે પકડી લાવવા જોઇએ. તેને કયા ઉપાયથી પકડી શકાય ?-એમ અભયને પૂછ્યું, ત્યારે કહ્યું કે, તે જ્યાં હાથીને દેખે, ગાતાં ગાતાં તેને વશ કરીને બંધનસ્થાને લાવે, પરંતુ તેમાં ખેંચાયેલા પેાતાને તે ખ્યાલ ન રહે. તેણે પણ યત્રમય હાથી કરાવ્યે અને મૂકયા. દેશના સીમાડે તેને ફેરવે છે-ચરાવે છે, વનમાં રહેનાર લેાકેાથી વૃત્તાન્ત જાણ્યા, એટલે વત્સાધિપ સૈન્યસહિત તેની પાસે ગયા. સૈન્યને છેડીને પોતે મધુર શબ્દથી દિશાઓને પૂરવા લાગ્યા, જ્યાં ગાવા લાગ્યા, એટલે હાથી માટીના લેપવાળા જાણે બનાવેલા ન હોય તેમ સ્થિર બની ગયા. જ્યાં તેની નજીક ગયા, ત્યારે પહેલાં છૂપાવીને રાખેલા પુરુષાએ પકડીને તેને ઉજ્જૈણી નગરીમાં પહેાંચાડ્યો. ઉડ્ડયન રાજાને પ્રદ્યોત રાજાએ કહ્યું કે, ‘મારી એક કાણી પુત્રી છે, તેને સ'ગીત શીખવવું, પરતુ તેને નજરે દેખવી નહિં. કારણ કે, લજ્જા પામે.' વાસવદત્તાને પણ કહ્યું કે, ‘ તને ભણાવનાર અધ્યાપક શરીરે કાઢ રાગવાળા છે, માટે તારે પણ તેને ન દેખવા અને અનાદર પશુ ન કરવા, પરંતુ હે વત્સે ! તારે વિનય-આદરથી સંગીતકળા શીખવી. ' અને વચ્ચે પડદા રાખીને તેને શીખવવાનું શરુ કર્યું". ઉદયનના સુંદર સ્વરના શબ્દથી વનનાં હરણિયા જેમ ગાયનના શબ્દથી, તેમ વાસવદત્તા પણ આકર્ષાઈ. આ કુખ્ખી છે, તેથી તેને જોઈ શકાતા નથી, જોવાથી અમંગલ થાય, છતાં અત્યંત કૌતુકી અનેલી તે વિચારવા લાગી કે, આને કેવી રીતે દેખવા ?′ તેમાં મૂઢ બનેલી વાસવદત્તા સ્વરને ખરાખર પકડતી નથી, ત્યારે રાષાયમાન થયેલા ઉદયને કહ્યુ કે, હે કાણી ! આમ ચંચળતા રાખી કેમ ભણે છે ? ' તેણે પણ રાષપૂર્વક પ્રત્યુત્તર વાળ્યા કે, હે કાઢિયા ! તમે પાતાને તે જાણતા નથી.' ‘નક્કી હું જેવા કુષ્ઠી છું, તેવી જ આ કાણી હશે. ' એમ વિચારીને પડદા ખસેડી નાખ્યા. અને દેખ્યું તે નિષ્કલંક ચંદ્ર સરખા ઉજ્વલ : ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy