SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] ઉપદેશપદ-અનુવાદ પૂછવા લાગી કે, “અમારું તમને શું પ્રજન પડ્યું છે?” ત્યારે તેઓએ કહ્યું કે આ વિદ્યાધરની પુત્રી અમારી ઘણી હલકાઈ–લઘુતા કરે છે, અમારી પાછળ પડી છે, તે હવે તે અમને હેરાન ન કરે, તેમ પ્રયત્ન કર.” એમ તેઓએ નિવેદન કર્યું, એટલે માતંગીઓ કહેવા લાગી કે, “તેને વગર ભાવાળી–બેડોળ દેખાવની કરીએ, જેથી તરત પતિ તેના તરફ વૈરાગી બને.' એમ વિચારીને નગરમાં અતિભયંકર મરકી ફેલાવી. લોકે મરવા લાગ્યા, એટલે અભયે માતંગીઓને કહ્યું કે, “મરકી થવાનું કારણ શું છે? તે તમે જલદી તપાસ કરી લાવો.” તે વાતને સ્વીકાર કર્યો. તેની પ્રિયતમાના શય્યાગૃહમાં મનુષ્યનાં હાડપિંજર વગેરે વિકુવને નાખ્યાં, તથા મુખ લોહીથી ખરડીને કર્યું બનાવ્યું. રાજાને નિવેદન કર્યું કે, “હે દેવ ! તમારા ઘરમાં જ મારીની તપાસ કરે, જ્યાં તપાસ કરી તો રાક્ષસી સરખા રૂપવાળી તેને દેખી. ફરી માતંગીએને આજ્ઞા કરી કે, રાત્રે શેરીમાં તેને ઘાત કરો-કે જેથી કે ક્યાંય પણ નગરલોક ન જાણું શકે, પરંતુ માતંગીઓને દયા આવવાથી, તેમ જ તે નિર્દોષ છે–એમ મનમાં વિચારી તેને દેશના સીમાડે લઈ ગઈ. ભય પમાડીને તેને ત્યાગ કર્યો. બિચારી દીન મુખવાળી રુદન કરતી વનમાં એકદમ પલાયન થતાં તેણે ગહન અટવીમાં પ્રવેશ કર્યો. ત્યાં તાપસોના જોવામાં આવી. તેઓએ પૂછયું કે, “હે ભદ્ર! તું ક્યાંથી આવી છે?” તેણે પણ પિતાનું સમગ્ર ચરિત્ર જણાવ્યું કે, “શ્રેણિકના વંશમાં ઉત્પન્ન થયેલી છે, તું તો અમારી દૌહિત્રી છે. એમ કરીને કેટલાક દિવસ ત્યાં રાખી. ત્યાર પછી કેટલાક દિવસ પછી મોટા સાથે સાથે ઉજેણીમાં ગઈ અને ત્યાં શિવાદેવીને 4ણ કરી. (૫૦) આ પ્રમાણે જેમાં સમગ્ર શંકાસ્થાન અને દોષો ચાલ્યાં ગયાં છે–એવી તેની સાથે અભય સંસારના સારભૂત એવા વિષયો ભગવતે હતે. - હવે પ્રદ્યોત રાજાને ચાર રસ્તે ઘણાં પ્રિય હતાં. એક ૧ શિવાદેવી, ૨ અગ્નિ ભીરુ નામનો રથ, ૩ અનલગિરિ હાથી. અને ૪ લેહજંઘ નામનો લેખ વાહક(દૂત). તેને જે ઉજજેણથી દિવસે સવારે રવાના કર્યો હોય, તે ૨૫ પેજન દૂર રહેલ ભરૂચ નગરે સંધ્યા સમયે પહોંચી જાય. હવે ભરુચ-નિવાસી લોકે વિચારવા લાગ્યા કે, આ પવનવેગને મારી નાખીએ.” બીજે કઈ ગણતરી કરાય તેટલા લાંબા દિવસે ઉજજેણીથી અહિં આવે છે, જ્યારે આ લોહલંઘ તરત આવીને વારંવાર રાજાની આજ્ઞા લાવીને આપણને હેરાન-પરેશાન કરે છે તેથી વાજે ઘ(લેહજંઘ)ને ભરૂચવાસીઓ માર્ગમાં ખાવા માટે ભાતું આપવા લાગ્યા. તે લેવા ઈચ્છતો ન હતો, છતાં પરાણે અપાવ્યું. તેમાં ખરાબ દ્રવ્ય મેળવીને લાડવારૂપ તેને બનાવ્યું. તેનાથી એક કેથળી ભરીને કેટલાક યોજના ગયા પછી ભેજન કરવા તૈયારી કરવા લાગ્યો. કેઈક પક્ષીએ તેને અટકાવ્યો. તેથી ઉભે થઈને ફરી ઘણે દૂર જઈને ખાવા લાગ્યો, તે ત્યાં પણ એવી રીતે ખાતાં અટકાવ્યું. એ જ પ્રમાણે ત્રીજી વખત પણ તેને લાડવો ખાતાં રોક. વિચાર્યું કે, આમાં કંઈ પણ અત્યંતર કારણ હોવું જોઈએ. પ્રદ્યોત રાજાના ચરણ-કમળ પાસે જઈ પિતાનું કરેલું કાર્ય નિવેદન કર્યું. તથા ભોજનમાં સમર્પણ કરી. (૫૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy