SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) નયિકી બુદ્ધિનાં ઉદાહરણે, મુરુંડરાજા અને પાદલિપ્તસૂરિ [ ૧૧૩ છે, તે જોયેલું જ નથી. કે પગલાંનું સીતાએ ચિત્રેલું પ્રતિબિંબ છૂપાવીને તેઓએ એકાંતમાં રામને બતાવ્યું અને સાથે ઈર્ષ્યાથી જણાવ્યું કે, “હજુ પણ તેના પ્રત્યેનો સ્નેહભાવ સતા છોડતી નથી, તેને આ પ્રત્યક્ષ પૂરા દે.” સીતા ઉપર રામને અણગમે ઉત્પન્ન કરાવનારી આ વનયિકી બુદ્ધિનો શો ઉપાય કર્યો. આ સર્વ હકીકત રામાયણની કથામાં વિસ્તારથી જણાવેલી છે, વિસ્તારના અર્થીઓએ ધ્યાનપૂર્વક ત્યાંથી જાણી લેવી. (૩૦) ગાથા અક્ષરાર્થ–સીતાએ ચિત્રેલા રાવણના ચરણનું પ્રતિબિંબ જે શક્યએ. પ્રોજન ઉભું કરીને ચિત્રાવ્યું, તે રૂપ લક્ષણ, રામની પત્ની સીતાનું રાવણે હરણ કર્યું, તેને પાછી લાવ્યા પછી લોકો આડું-અવળું બોલવા લાગ્યા તેથી રામે સીતાની અવજ્ઞા કરી, એ કારણે સીતા શેક કરવા લાગી. કેઈ વખતે શક્ય વડે પ્રેરાયેલી સીતાએ રાવણના ચરણો આલેખ્યા. ઉપરનો ભાગ મેં જોયું નથી, તેથી એકલા ચરણો જ આલેખ્યા. પ્રાપ્ત થયેલા સીતાના છિદ્રથી રામને વાકેફ કર્યા. અર્થાત્ સીતા હજુ રાવણને મેળવવાની અભિલાષાવાળી વર્તે છે.”—એમ શોકોએ રામને સીતાનું રાવણનું અર્થી પણું કથન કર્યું. અહિં “અર્થિતા શાસને” એની વ્યાખ્યા કરી તો પણ અસ્થિત્તા સાસણે” એવો જે પ્રાકૃત પાઠ છે, તે પ્રાકૃતલક્ષણ–વશે થયો છે, પ્રાકૃતમાં એમ કહેવું છે કે-“બિન્દુઅનુસ્વાર અને દ્વિર્ભાવ લોપ કર્યા હોય અગર ન હોય ત્યાં આપ્યા હોય, તે પણ અર્થ તો પૂર્વે રહેલો હોય તે જ કાયમ રહે છે.” (૧૧૪). ૧૧૫–ગ્રંથી નામનું દ્વાર–મુરુંડરાજાને ગુમ છેડાવાળું સૂતર, સરખી કરેલી લાકડી અને મીણન ડાભડો મોકલાવ્યું. તેણે પાદલિપ્તસૂરિને બતાવતાં તેમણે મીણ ગળાવી છેડો શોધી આપે, લાકડીને તરાવી તથા તૂ બડાને સીવરાવ્યું. એમ ગાથાર્થ જણાવ્યો. હવે વિવરણુકારે વિસ્તારથી ગાથાનો અર્થ સમજાવ્યા છે– મુસંડ રાજા અને પાદલિપ્તસૂરિ–પાટલિપુત્ર નગરમાં મુરુંડ નામને રાજા હતો. પિતાને જ્ઞાની માનતા કેઈકે તે રાજાની પર્ષદાની પરીક્ષા કરવા માટે જેને અગ્રભાગ જાણી ન શકાય તેવું સૂતર, ઉપર-નીચે સરખો ગોળ દંડ અને મીણથી લેપ કરેલ ગોળાકાર ડળે મોકલ્યો. તેવા પ્રકારના જાણકાર નિષ્ણાતોને બતાવ્યા. ત્યાર પછી અનુક્રમે વિહાર કરતાં પાદલિપ્તાચાર્ય ત્યાં પધાર્યા; રાજકુલમાં પધારેલા તેમને આ પદાર્થો બતાવ્યા. તેમણે ગરમ જળથી મણ ઓગાળીને સૂતરનો અગ્રભાગ કે છેડો મેળવ્યો. ગોળ લાકડી નદીના જળમાં વહેતી મૂકીને તરાવી, તેમાં જે ભાગ વધારે વજનદાર હતો, તે બહુ ડૂબવા લાગ્યું, તેથી કાનું મૂળ તે છે–તેવો નિર્ણય કર્યો. મીણ લપેટેલો ગોળ ડાભડો અતિઉષ્ણ જળમાં ડૂબાડી મણ ઓગાળી, તેનું ઢાંકણું પ્રગટ કરી ઉઘાડ્યું. પછી પોતે છિદ્ર વગરનું-મોટા પ્રમાણવાળું એક તુંબડું ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy