SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) વનયિકી બુદ્ધિનાં ઉદાહરણ [ ૧૧૧ પુરુષ દેખાવો ન જોઈએ. અર્થાત્ મારા સૈન્યમાં સાથે એક પણ વૃદ્ધને ન લે. તે પ્રકારે તે વિજયયાત્રામાં સપરિવાર ગયે. પરંતુ પિતાના ભક્ત એક પુત્રે ગુપ્તપણે પિતાને સાથે લીધા. કેઈક દિવસે આખા–સિન્ય પરિવારને તેવા પ્રકારના નિર્જલ જંગલમાં જતાં જતાં મધ્યાહ્ન–સમય થ અને દરેકને તૃષાનું સંકટ આવી પડ્યું, ત્યારે રાજાએ તે તરુણોને પૂછયું કે, “અરે! કઈ પ્રકારે જળવાળી પૃથ્વી જાણીને તેમાંથી પાણી ખેંચી લાવો.” અપવ બુદ્ધિવાળા તે તરુણો તેને ઉપાય ન જાણતા હોવાથી વૃદ્ધપુરુષની શોધ કરી. કેઈએ કેઈપણ વૃદ્ધપુરુષ ન મેળવ્યું. પડહો વગડાવી ઉદ્દઘોષણા કરાવી કે-“કઈ વૃધે આવીને પાણી મેળવવાને ઉપાય બતાવ.” એટલે જે પિતાને સાથે લાવ્યા હતા, તેણે પડો છો. તેના પિતાને ત્યાં લાવ્યા, પિતાએ પણ કહ્યું કે, “ અટવીમાં ગધેડાઓને છૂટા છોડી મેલે, જ્યાં તે સૂંઘવાનું કરે, ત્યાં પાણીની શેરોની પ્રાપ્તિ થશે.” તે પ્રમાણે કર્યું. ત્યાર પછી જળની પ્રાપ્તિ થઈ. બીજા આચાર્યો તે એ પ્રમાણે વ્યાખ્યા કરે છે કે-સુંઘતા સુંઘતા ગધેડા ત્યાં સુધી ગયા કે, જ્યાં જળપૂર્ણ સરોવર પ્રાપ્ત થયું. (૧૧૩) ૧૧૪–લક્ષણદ્વાર–રામની પત્ની સીતાનું હરણ થયું, મળી, ત્યાર પછી રામે ત્યાગ કરી. તે વખતે તેની શક્યોએ સીતા પાસે રાવણના ચરણ ચિતરાવ્યા. સીતાએ કહ્યું કે, “પગની ઉપર કોઈ ભાગ મેં જે નથી, માટે બીજું કાંઈ ચિતરી શકું નહિ” છતાં શેક્યોએ આગ્રહ છોડ્યો નહિં. આ હકીકત વિસ્તારથી વિવરણકાર કથા દ્વારા જણાવે છે. (૧૧૪) સીતાજી પર આળ ચડાવવું– સીતાજી પર ખા અયોધ્યા નગરીમાં રઘુવંશના નંદન દશરથ નામના રાજા હતા. પિતાના ઉત્તમ પ્રકારના વર્તનથી સુરે, અસુરો અને ખેચના ઈન્દ્રાને પણ પ્રભાવિત કર્યા હતા. તેના અંતઃપુરમાં સારભૂત એવી ત્રણ મનોહર પ્રિયતમાઓ હતી કે, જેનાં ૧ કૌશલ્યા, ૨ સુમિત્રા અને ૩ કેકેયી એવાં નામો હતાં. તે ત્રણેને અનુક્રમે (૧) રામ, (૨) લક્ષમણ અને (૩) ભરત નામના ન્યાયવંત, દેખાવડા અને નીતિનિપુણ પુત્રો હતા. કેઈક વખત કેકેયીએ દશરથ રાજાને કોઈ કાર્યમાં સહારે આપવાથી પ્રસન્ન કરેલા, તેથી તેને વરદાન આપ્યું. તેણે પણ “અવસરે માગીશ” એ વાયદો કર્યો. જ્યારે દશરથ રાજા ઉંમરલાયક થયેલા રામને પિતાના પદ પર સ્થાપન કરવા તૈયાર થયા, ત્યારે તેણે વરદાનની માગણી કરી કે-“મારા પુત્ર ભરતને રાજગાદી પર બેસાર અને રામને વનવાસ આપ.” આ જાણું દશરથ રાજા મૂંઝવણમાં પડ્યા. વિનયવંત એવા રામને આ સમાચારની ખબર પડી. સત્યવાણી બોલનાર રામ ચરણમાં નમસ્કાર કરવા પૂર્વક વિનંતિ કરી કે, “હે પિતાજી! આપ સત્ય વચનથાળા થાવ. - હું લક્ષમણ-સહિત વનમાં વિહાર કરીશ.” પુત્રવત્સલ રાજાએ પણ બીજો ઉપાય ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy