SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] ઉપદેશપદ-અનુવાદ રમતક્રીડા કાયમ રાખીને તેની ઈરછાનુસાર તેવી રીતે ચાકના ગળા પાડતા અને અક્ષરો શીખવવાનો પ્રયત્ન કરતા કે જમીન ઉપર અક્ષરો ઉત્પન્ન થઈ જતા હતા. અથવા ભાજપત્રના પાના ઉપર લખેલા અક્ષરોનું વાંચન, તે નયિકી બુદ્ધિ. તથા અક્ષર, બિન્દુ, કાને, માત્રા, પદ વગેરે પડી ગયેલા હોય, તે અક્ષરાદિકનું જ્ઞાન થવું, તે પણ નયિકી બુદ્ધિ. તેમાં અક્ષર પડી ગયેલા હેય તેનું જ્ઞાન આ પ્રમાણે જાણવું. પાકેલાં બોર દેખીને શિયાળને જે પ્રમોદ થાય છે, તે હું ધારું છું કે, સ્વર્ગ મળતાં પણ ન થાય. (અહિં પ્રમોદ શબ્દમાં “મા” પડી-ઉડી ગયો છે.) બિન્દુય્યત આ પ્રમાણે–શિયાળામાં ઠંડીથી પીડા પામતા મુસાફર ગરમ અને સુંવાળા નવા કબલને કેમ ન ઈ છે ?” ( અહિં કંબલ શબ્દના ક ઉપરનો અનુસ્વાર ઉડી ગયો છે.) (૧૦૯) ગણિત નામનું દ્વાર–અહિં ચાર ઉદાહરણ છે, તે આ પ્રમાણે –૧ અંકનાશ, ૨ સુવર્ણ યાચન, ૩ આવક-જાવક ચિંતા, ૪ ભૌતાચાર્યનું હરણું. તેમાં અંકનાશ થયા પછી ફરી તે મેળવો, તે માટેનું ઉદાહરણ–એ પ્રમાણે જાણવું કે-જુગાર રમતાં જુગારીઓ તેની નોંધ લખતાં કઈ પ્રકારે કઈ દુપ્રયોગ કરીને કોઈક અંકનો નાશ થાય છે, ત્યારે આ ચાલુ બુદ્ધિના ગે તેઓ ફરી યાદ કરી દે છે. બીજા આચાર્યો કહે છે કે–“રાજાએ આખા નગર ઉપર દંડ નાખ્યા અને સેનું માગી લીધું, તે ઉદાહરણ– કોઈક રાજાએ એક નગરમાં દંડ નાખે. અધિકારીઓએ વિચાર્યું કે, “લેકે ઉગ ન પામે, તેવી રીતે આ કર લે. તેથી લોકોને સમજાવ્યા કે, થોડા વખત પછી સેનું બમણું, ત્રણગણું મધું થવાનું છે, એટલે તમારે વહેંચણી કરી રાજાને દંડ જેટલું સેનું આપવું. થોડા કાળ પછી તેના જેટલું દ્રવ્ય તમારા હાથમાં જેમ આવી ચડશે, તેમ કરીશું. કોઈ પ્રકારની ચિંતા કે અસંતોષ ન કરે. તે પ્રમાણે નગરલેકે એ સુવર્ણ આપ્યું, થોડા કાળ પછી તેનું મેંઘું થયું એટલે વેચીને અધિકારીઓએ બમણું લાભ રાજભંડારમાં નાખ્યો અને મૂળધન નગર-લોકોને આપી દીધું. વળી ત્રીજા આચાર્યો કહે છે કે-“રાજ્યચિંતા અને કુટુંબચિંતા કરનાર પ્રસ્તુત બુદ્ધિની પ્રધાનતાવાળા પુરુષે રાજ્ય અને કુટુંબમાં નવા ધનની કેટલી કમાણી થાય છે અને મેળવેલા ધનને વિનિયોગ ક્યાં કરે ? એટલે ખર્ચ કેટલે ક્યાં કરે ? તે રૂપ જે ચિંતાનું જ્ઞાન કરવું. બુદ્ધિશાળીઓ તાંબાની વાઢી માફક આવક–ખર્ચમાં પ્રવર્તે છે. તે આ પ્રમાણે-વાઢી કે કળશનાં મુખે ઘી કે જળ ગ્રહણ કરવા માટે વિશાળ હોય છે, પરંતુ ખાલી કરવા માટે નાળચાનું મુખ બહુ સાંકડું હોય છે; તેમ ખર્ચ કરવાના પ્રસંગે ઘણું આવે છે અને આવક કરવાના પ્રસંગે ઓછા હોય છે, તેમ આવક થાય તે કરતાં ખર્ચ બહુ થોડો થોડો કરવો-એમ વ્યવહાર કરે તો, મેળ બરાબર રહે છે, - ચેથા આચાર્ય કહે છે કે, હરેલા ભતાચાર્યની સંખ્યા આ બુદ્ધિના વિષયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy