SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ રેહાની કથા-બુદ્ધિનાં ઉદાહરણો [ ૭૧ ૬૯–આ પ્રમાણે રોહકે કહેવાથી ખુશ થયેલા રાજાએ પુષ્પ, ફલ, ભજન વગેરે આપવારૂપ તેને સત્કાર કર્યો. રાત્રે વૃત્તાન્ત જાણવા માટે તેને પિતાની પાસે જ સ્વરાવ્યું. માર્ગમાં થાક લાગેલો હતો, જેથી પ્રથમ રાત્રિમાં જ ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. રાત્રિના પ્રથમ પહોરના છેડે જાગેલા રાજાએ “કેવા જવાબ આપે છે?” તે સાંભળવાના કૌતુકથી બોલાવ્યો, છતાં ન જા, ત્યારે સોટી અડકાડીને જગાડ્યો. પૂછ્યું કે, તું જાગે છે ?” ત્યારે ઉંઘના અપરાધથી ભય પામીને બોલ્યો કે-“જાગું છું, આપના ચરણ પાસે રહીને ઉંઘવાનો અવકાશ કેવી રીતે હોય?” રાજા-“જે જાગે છે, તો પછી તને બોલાવ્ય, છતાં મને તે જલદી ઉત્તર કેમ ન આપ્યો ?' રોહક–“હે દેવ ! ચિંતામાં વ્યાકુલ બની ગયો હતો.” રાજા–“શું ચિંતવત હતો?” રેહક–બકરીઓની વિંડીઓ ગળપણું શાથી પામતી હશે ?” રાજા–તેની ગોળાશ ક્યા નિમિત્ત થાય છે, તે તું જ જણાવ.” રોહક–“હે દેવ ! તેની જઠરાગ્નિથી. તેમના ઉદરમાં બળતા તેવા પ્રકારના સંવતંક નામના વાયુની સહાયથી ખાધેલા આહારને ભૂકકો કરી તેની વિષ્ટાની ગોળાકાર ગોળીઓ પાકી થઈ જાય છે. (૬૯) - ૭૦–પ્રથમ પહેર માફક બીજા પહેરના અને ફરી પણ સેટીને સ્પર્શ કરી જગાડીને રાજાએ તેને પૂછયું કે શું વિચારે છે ?” રોહકે કહ્યું-પીપળાનું પાન અને તેનો છેડો બેમાં લાંબું કોણ?” રાજાએ કહ્યું કે તેમાં જે પરમાર્થ હોય, તે તું જ કહે.” ઘણે ભાગે બંને સરખા જ હોય છે. પ્રાયઃ કહેવાથી કઈક વખત સમાન ન પણ હોય, તે જણાવવા માટે. આ ગાથાના પૂર્વાર્ધમાં સાતમો ગણ પાંચ માત્રાનો છે, છતાં તે બહુલા જાતિને હોવાથી દોષ નથી. બહુલા વિચિત્ર પ્રકારે થાય છે. બહુલા એટલે પાંચ માત્રાના ગણવાળી. (૭૦) ૭૧–એ જ પ્રમાણે ત્રીજા પહારના અને જાગીને પૂછ્યું. હક- ખીસકોલી ભુજ પરિસર્પ નામના પ્રાણીના શરીર ઉપર કાળા અને સફેદ ચટાપટામાં ક્યા વધારે હોય ? રાજા–કયા અધિક? તે તું જ કહે. રોહક–કાળી અને સફેદ બંને રેખાઓ (ચટાપટા) સમાન હોય. અહિં મતાંતરમાં કેટલાક આચાર્યે પુચ્છ અને શરીર બેમાં લાંબુ કોણ?—એમ રોહકે વિચાર્યું. રાજાએ તેનો જવાબ પૂછતાં રેહકે કહ્યું કે, “શરીર અને પૂંછડી બંને સમાન લાંબાં હોય. (૭૧) - ૭૨–રાત્રિના છેલ્લા પહોરમાં ત્રણ પહોર બહુ જાગેલ હોવાથી અતિ મીઠી નિદ્રા કરતા રોહકને સટીથી લગાર વધારે સ્પર્શ કરાવી જગાડ્યો. રાજાએ પૂછયું કે-“શું ચિંતવે છે?” રોહકે કહ્યું કે-“હે રાજન્ ! તમારે કેટલા પિતા છે, તેને હું વિચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy