SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વદનુસૂત્ર લીને નહિ) નેકર આદિ પાસે મંગાવે ત્યારે આ વ્રતમાં પહેલે માનવના ૧ નામે અતિચાર લાગે છે. વ્રત લઈને રહેલ ગૃહ આદિ મર્યાદાની બહાર પિતાનાં કાર્ય માટે નોકર આદિને મોકલવા વિગેરેમાં ઉપયોગમાં લેવાથી આ વ્રતમાં બીજે રેશ્વર નામે અતિચાર લાગે છે. વ્રત લઈને રહેલ ગૃહ આદિની પોતે રાખેલ મર્યાદાની બહાર રહેલા માણસ પાસે પિતે મુક્ત રાખેલ મર્યાદિત સ્થલમાં જ પિતાનું કાર્ય કરાવવું હોય અને તે માટે તે માણ સને વતભંગની બીકે પ્રગટપણે બોલાવો અશક્ય હોવાથી દંભ વડે ઉચેથી ખાંસી ખોંખારા ખાવા આદિ શબ્દપ્રયોગ વડે પિતાની જાતને તે માણસ પાસે છતી કરે અને એ રીતે તે માણસને પોતાની પાસે આવવાની ફરજ પાડીને પિતાનું કાર્ય કરાવે, તે તેથી આ વ્રતમાં ત્રીજો શબ્દનપત્ત નામે અતિચાર લાગે છે. વ્રત લઈને રહેલ નિયંત્રિત મર્યાદાની બહારના માણસને પોતે (હું અહિં છું અને હું આ પ્રકારના વ્રતમાં છું, ઇત્યાદિ પ્રકારે) પિતાનું સ્વરૂપ બતાવે અથવા નિસરણી-ઝરૂખા આદિ ઉપર ચઢીને પોતે મોકળી રાખેલ મર્યાદાની બહાર રહેલા તેવા માણસનું (તે શું હિલચાલ કરી. રહેલ છે, ઇત્યાદિ પ્રકારે) રૂ૫ જુએ છે તેથી આ વ્રતમાં એથે પાનપતિનામે અતિચાર લાગે છે. વ્રત લઈને રહેલ નિયત સ્થાનની મર્યાદા બહાર રહેલા માણસને કાંકરે આદિ નાખીને પિતાને છત કરે અને તેને પૂર્વે ભળાવેલ કાર્ય સંભારી આપે છે તેથી આ વ્રતમાં પાંચમે પુરુક્ષેપ" નામે અતિચાર લાગે છે. ; દિપરિમાણ વ્રત અંગીકાર કરતી વખતે ગમનાગમનની રાખેલ મર્યાદાવાળી ભૂમિમાં પણ ગમનાગમનને યોગે થવી સંભવિત જીવહાનિ ન થાવ, એ હિસાબે તે શ્રાવક, તે છઠ્ઠા દિપરિમાણ વ્રતને પણ ટંકાવી નાંખનાર આ દસમું દેશાવકાશિક વ્રત લે છે: ૫છી પ્રમાદના યોગે તે અભિપ્રાય ભૂલીને પિતે આ વ્રતની મર્યાદામાં રાખેલ ભૂમિની બહારનાં કાર્યોને જોઈએ તે પિતે કરે કે-અન્ય પાસે કરાવે, પરંતુ તે પિતાનાં કે પરનાં ગમનાગમનમાં થતી પ્રાણીની હાનિમાં તફાવત નથી. ઉલટું અન્ય કરતાં પોતે યતનાપૂર્વક જઈ આવી શકે. માટે શ્રાવકને વ્રતની મર્યાદાની બહારની વ્યક્તિથી કામ લેવું નિવારેલ છે. બહારની વ્યક્તિ દ્વારા આમ છતાં એવી પ્રવૃત્તિ થઈ જવા પામી હોય તેમાં “મારા વ્રતને ભંગ ન થાવ' એમ વત પ્રતિની લાગણી હોવાથી ઉપર જણાવ્યા તે પાયે પ્રકારે પાંચ અતિચારે લાગે છે. તેમાંથી આ દેશાવકાશિક નામના બીજા શિક્ષાવતને વિષે દિવસ સંબંધી જે કઈ અતિચારે લાગ્યા હોય તે અતિચારનું હું પ્રતિક્રમણ કરું છું. સારા ગાથા ર૯મીનું અવતરણુ–દસમા દેશવકાશિક વ્રતનું સ્વરૂપ, તે વ્રતના અતિચારે અને તે અતિચારેનું પ્રતિક્રમણ જણાવી ગયા. હવે આ ગાથાદ્વારા ત્રીજા શિક્ષાત્રત તરીકેના અગીયારમા પૌષધવ્રતનું વરૂપ, તે વ્રતના અતિચારો અને તે અતિચારોનું પ્રતિક્રમણ જણાવાય છે. મૂલગુણ રૂપ પાંચ અણુવ્રત, તે પચ અણુવ્રતને ગુણ કરનારા ત્રણ ગુણવ્રત અને પાંચ મૂલગુણ રૂપ તે અણુવ્રતને પણ અભ્યાસથી મહાવ્રત બનાવવાની તાકાતવાળા ૪ શિક્ષાત્રમાંનાં પ્રથમનાં બે શિક્ષાત્રાનું પાલન કરવા સમર્થ બનેલ શ્રાવક, ત્યાગમાં આગળ વધવા સારૂ આ અગીયારમા પૌષધવ્રતને અંગીકાર કરે છે. નવમા સામાયિક નામનાં શિક્ષાવ્રતમાં બે ઘડીને માટે જ સાવધા આરંભ સમારંભનો ત્યાગ હતું, તે દસમા દશાવકાશિક વ્રતમાં કટકે કટકે છતાં આખા દિવસમાં સાવધ આરંભ સમારંભનો ત્યાગ વધીને વીસ ઘડીએ પહોંચાડ્યો ! આ અગી. થારમાં પૌષધવ્રતમાં વીસ ઘડીને તે ત્યાગ એક દિવસને આશ્રયીને જઘન્યથી ત્રીસ ઘડી અને કષ્ટ સાઠ ઘડીએ પહોંચાડવામાં આવે છે. પછી તે તેને અભ્યાસ પડતાં તે ભાગને આદર ઉપરાઉપર બે દિવસઆઠ દિવસ અને શ્રાવકની પૃથફ પૃથક અગીયાર પડિયાએ વહન કરવાના મહિનાઓ સુધીના કાળ પર્વત પણ પહોંચી જાય છે. આથી જ આ શિક્ષાત્રતાને સર્વ ત્યાગ ધર્મના અભ્યાસ માટેની તાલીમ રૂપે જણાવાય છે. આ પૌવત, આહાર-શરીરશોભા અધ્યક્ચર્ય અને સાંસારિક વ્યાપારરૂપ ચાર પ્રકારને “દિવસ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy