SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ થી વદતુ શાક કહાડાની સાથે હાથે-ધંટીના એક પાની સાથે ઘંટીનું બીજું પડ, વિગેરે' તે સંયુક્ત અધિકરણને જે ભાવ તે સંધિર તા. વિવેકી શ્રાવકે તેમ ગાડી અને ધુંસરી આદિને જીને તૈયાર કરેલાં રહેવા દેવાં નહિ. કારણ કે-ઈ માગવા આવે તો તેને વગર અડચણે નિવારી શકાય. (એ પ્રમાણે અમ પણ અન્ય ગૃહસ્થાએ પિતપતાના ઘરમાં સળગાવ્યા ન હોય ત્યાં સુધી શ્રાવકે સળગાવવો નહિ. કે જેથી બીજો કોઈ માગવા જ ન આવે. એ રીતે ગાયો વિગેરેને ચરવા મોકલવાનું-હલ ગાડું વિગેરે વહન કરવાનું વિગેરે કાર્યમાં શ્રાવકે પહેલ ન કરવીઃ કારણ કે તેમાં તે તે અધિકરણની પરંપરાને પ્રવર્તાવ્યાને દોષ છે.) આ રીતે સંયુક્તાધિકરણતા શ્રાવકને ક૫તી નથી. આમ છતાં પ્રમાદવશાત રહી જવા પામેલ હોય છે તેથી અનર્થદંડના હિંમવાર રૂ૫ ત્રીજા પ્રકારના પરિહારવાળા શ્રાવકને હિસપ્રદાન અનર્થદંડ વિરમણવ્રતમાં થે સંયુધિરાતિવાર લાગે છે. પિતે ભેગપભોગ પરિમાણમાં ભેગેપભેગને માટે જે વસ્તુઓ જેટલા પ્રમાણમાં મોકળી રાખી હોય, તે વસ્તુઓમાંથી પોતે સ્નાનાદિ અવસરે તેલ-આમળાં હિંગેરે વસ્તુ જેટલી કામની હોય તેટલી જ-તેટલા પ્રમાણુની જ વસ્તુ તળાવ-નદી કે કુવા આદિ સ્થાને લઈ જવી. વધારે લઈ જવાથી વસ્તુને વધારે દેખીને બીજાઓ તે તે વસ્તુ માગીને સ્નાનાદિમાં પ્રવે તેથી શ્રાવકને અનર્થદંડ થાય, માટે આરંભેલ કાર્યમાં ખપ કરતાં વધારે વસ્તુ ઘરબહાર લઈ જવી નહિ. [મૂળ તે શ્રાવકે ગુડે જ થતતાપૂર્વક સ્નાન કરવાનું છે. ઘરે સ્નાન કરવાની સવળતા ન હોય તે તેલ આમળાં વડે ઘરે માથું મસળીને અને તે દ્રવ્ય ખંખેરી નાખીને પછી જ તળાવ આદિને કિનારે બેઠાં જલને ગળીને ખપ પૂરતા જલથી થતાપૂર્વક સ્નાન કરવાનું છે.] આમ છતાં પ્રમાદષથી ખપ કરતાં કવચિત ઉપયોગ કરતાં અધિક વસ્તુ લઈ જવાનું બની જવા પામ્યું હોય અને તે વધેલી વસ્તુ અન્ય યાચતાં આપવી પડી વિગેરે પ્રવર્તન થયું હોય તે તેથી અનર્થદંડના અનાવરણ રૂપ એવા પ્રકારના પરિહારવાળા શ્રાવકને પ્રમાદાચરણ અનર્થદંડની વિરતિમાં પાંચમે મારિરિતરિવાર લાગે છે. આઠમા અનર્થદંડ વિરમણ (ત્રીજા-ગુણ) વ્રતને વિષે તે પાંચે અતિચારો પૈકી મને દિવસ સંબંધી જે કઈ અતિચારે લાગ્યા હોય તે આંતચારોની હું નિંદા કરું છું. ૨૬ ગાથા ર૭મીનું અવતરણ:-પાંચ મહાવ્રતનો સ્વીકાર કરવામાં અશક્ત એવા શ્રાવકે સ્વીકારેલાં તેની સંખ્યા બાર છે. તેમાં પ્રથમનાં પાંચ મૂલગુણ રૂપ અણુવતિ છે, અને તે પછીનાં ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવતે છે. પ્રથમનાં પાંચ અણુવ્રત રૂપે મૂલગુણમાં ગુણવૃદ્ધિ કરનારા હેવાથી તે પછીના ત્રણ વ્રતોને ગુણવત કહેવાય છે, અને સાધુ મહાત્માઓ વડે પાલન થતા પાંચ મહાવ્રત રૂ૫ મહાન ધર્માનુજાનેની તાલીમના અભ્યાસ રૂપ હોવાથી તે ગુણવતાની પછીનાં ચાર તેને શિક્ષાત્રત કહેવાય છે. “શિક્ષાવ્રત’ શબ્દમાંના “શિક્ષા’ શબ્દનો અર્થ શીખામણ-ઠપકે વિગેરે પણ થાય છે; પરંતુ અહિં “ અભ્યાસ” અર્થ લેવાના છે. ગાથા ૨૬ સુધીમાં પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતનું સ્વરૂપ, તેમાં લાગતા અતિચારે અને તે અતિચરેનું પ્રતિક્રમણ જણાવી ગયાઃ હવે આ ૨૭મી ગાથાથી અનુક્રમે બાકીના ચાર શિક્ષાત્રતાનું સ્વરૂપ, તેમાં લાગતા અતિચારે અને તેનું પ્રતિક્રમણ જણાવાય છે. પ્રથમ વર્ણવ્યાં તે આઠેય વત, થાવાળા છે તેમ જ શ્રાવકને જીવનમાં એક જ વાર ગ્રહણ કરવાના અને ચાવજીવન પર્યંત પાલન કરવાનાં હોય છે, અને હવે કહેવાય છે તે ચાર શિક્ષાબતે, છે. - ર૫ને તે જીવનમાં મુહૂર્ત-ચાર પહોર-આઠ પહોર- આદિ તરીકે અનેક વખત ગ્રહણ કરવાનાં રને પાળવાનાં હોય છે. આ શિક્ષાત્રતાનાં અનુક્રમે-સામયિક; દેશાવકાશ; પાપધ અને અતિથિસંવિભાગ એમ ચાર સામે છે. અભ્યાસ અર્થવાચક “શિક્ષા’ શહણ અને આસેવન એમ બે પ્રકારે છે. “અરેમિ મતે ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy