SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વદિસત્ર આ ચોથા પ્રકારરૂપ પ્રમાદાચરણ વડે દિવસ સંબંધી જે કોઈ અતિચારે લાગી જવા પામ્યા હોય તે સર્વ અતિચારનું છેપ્રતિક્રમણ કરું છું. આ ૨૫ It પ્રથમ કહી ગયા તેમ હવે આ છવ્વીસમી ગાથાદ્વાર તે આઠમા અનર્થદંડ વિરમણવ્રતને વિષે લાગતા પાંચ અતિચારનું સ્વરૂપ અને તેનું પ્રતિક્રમણ જણાવાય છે. कंदप्पे कुकुइए, मोहार आहगरण भागअइरत ॥ दण्डाम्म अणट्टाए, तइअम्मि गुणव्वए निंदे ॥ २६ ॥ માવાઈ-બહં શબ્દનો અર્થ “અમ' થાય છે, છતાં અહિં “પરને કામને વિકાર કરાવે તેવા રાગાદિ વિકારને ઉત્તેજીત કરનારાં હાસ્ય-રતિ આદિ જન્ય વચને બોલવાં’ તેને ઉપચારથી જ તરીકે જણાવેલ છે. તેવા કામોત્પાદક વચનો બોલવાં તે અનર્થ દંડ રૂ૫ છે. એ અનર્થદંડની વિરતિવાળા શ્રાવકથી અનાભોગે કવચિત્ તેવાં હાસ્યાદિ વચને બોલાઈ જવાથી તે તેને આ આઠમા વ્રતમાં (ત્રીજ ગુણવ્રતમાં) પહેલે તiરિવાર લાગે છે. ભ્રમર-આઇ-નેત્ર-હાથ-પગ-મુખ વિગેરેના વિકારે કરવાપૂર્વક હાસ્ય પેદા કરાવે તેવી વિટચેષ્ટા કરવી, કે-જે ચેષ્ટાથી પિતાને અથવા પરને કામને વિકાર થાય, હાસ્ય થાય અને પિતાની લઘુતા થાય; તેને “પુષ્ય' કહેવાય છે. તેવા પ્રકારનું બોલવું અથવા તેવી ચેષ્ટા કરવી તે શ્રાવકને કપતું નથી, આમ છતાં તેવી ચેષ્ટાપ્રમાદવશાત-અજાણતાં થઈ જવા પામે તે આ વ્રતમાં બીજે જ ળ્યાતિવાર લાગે છે. [ આ બે અતિચારે અનર્થદંડના કમાવજી રૂ૫ ચેથા પ્રકારના ત્યાગી શ્રાવકને લાગે છે. ] અસભ્ય અને અસંબદ્ધ એવું ઘણું બોલ્યા કરવું તે મુખરતા-વાચાળપણું કહેવાય છે. (આ વાચાળપણામાં પાપપદેશને પણ સંભવ હોવાથી કવચિત અનર્થદંડના પાપોપદેશ રૂપ બીજા પ્રકારના ત્યાગી શ્રાવકને તે પાપોપદેશરૂપ અનર્થદંડ વિરમણવ્રતને વિષે અતિચારપણું સંભવે છે.) આ મુખરતા જ પ્રાયઃ સર્વ અનિષ્ટરૂપ છે, અને પર પાસે તેમ વતીને ઉપાડેલ પિતાનાં કાર્યમાં * વિદન આબે સતે તે તે મુખરતા પિતાને બહુ જ અનર્થને હેતુ નીવડે છે! બહુ વાચાળ માણસ અવસર આદિ ઔચિત્ય ના પણ અને તેમ થતાં તે અપ્રીતિ આદિ મહાન દોષનો ભાજન બને. શ્રાવકને એવી મુખરતા ક૫તી નથીઃ આ છતાં તે મુખરતા પ્રમાદવશત અનાભોગે થઈ જવા પામે છે તેથી આ વ્રતને વિષે ત્રીજો રનૌહતિવા લાગે છે. - જેના વડે આત્મા નરક આદિ દુર્ગતિને અધિકારી બને તે અધિકરણ કહેવાય છે. “કfપર મેકાળમ=પાપ બંધનું કારણ તેનું નામ અધિકરણ.” જેમ કે મુશલ-ખાંડણી વિગેરે. અને તે બંને અધિકરણથી કાર્ય કરવા માટેની ક્રિયા વખતે એ સાંબેલું અને ખાંડણીયો જોડવામાં આવે તે સંયુifપળ કહેવાય છે. જેમકે-“હળની સાથે કેશ–ધનુષ્યની સાથે તીર-ગાડાંની સાથે ધુંસરી-શીપર સાથે ઉપરવટો • જેની સહાય અને સલાહની જરૂર પડે તેવા પ્રૌઢ અને આસજન પાસેથી તે કરવા ધારેલ કામ બાબત પ્રથમ તેને અસત્ય કે અસંબદ્ધ વાત કરી હોય, પછી “કાર્ય સીધું પાર ઉતરી જશે” એમ ધારીને કાય? આદર્યું હોય; અને તેમાં કેઇના તરફથી કે કોઈ બાબતમાં સંકટ આવી પડે અથવા તો કાંઈ ગુંચ આવી પડે તે ટાઈમ તેની સલાહ કે સહાય લેવા જાય ત્યારે તે માણસ પ્રથમ કરેલ વાતના આધારે જ સલાહ કે સહાય આપી શકે તેથી પોતાને બહુ અનર્થ થાય. અષવા તો તે કાર્ય સંબંધી પ્રથમ બેટી અને અસંબદ્ધ વાત કરીને પોતાના જેવા આપ્તજનની પણ વંચના કરી હોવાની તેને ખબર પડવાથી તે આપ્તજન જ તે કાર્યમાં વિરહ પીને મહાન અનર્થ પોંચાડે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy