SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રનો આદર્શ ટકાને સરલ અનુવાદ तं पि हु सपडिक्कमणं सप्परिआवं [२] सउत्तरगुणं च । खिप्पं उवसामेई, वाहिव्व सुमिक्खिओ विज्जो ॥ ३७॥ જાવાર્થ-જેમ સુશીક્ષિત વૈદ્ય વ્યાધિને વમન-જુલાબ-લાંઘણ આદિથી શીધ્ર ઉપશમાવે છે, તેમ શ્રાવક, તે અલ્પ પાપને પણ પ્રતિક્રમણ કરીને (અથવા વિચા=પ્રતિચારણા કરીને અને ઉત્તરગુણ આદરીને શીધ્ર ઉપશમાવે છે. ૩૭ વૃત્તિનો માવાર્થ-સમ્યગ્દષ્ટિ એવા શ્રાવકે કરેલું તે અલપ પાપ પણ આવશ્યકરૂપ પ્રતિક્રમણની સાથે “હા ! મેં વિપરીત કર્યું,’ એ પ્રકારે પશ્ચાતાપ સહિત (રવિવારં=પ્રતિચારણ સહિત=લાભાર્થી વણિકની જેમ આવક અને વ્યયના લક્ષવાળી પ્રવૃત્તિ સહિત) [શીધ્ર ઉપશમાવે છે, એ સંબંધ] કહ્યું છે કે- “ વ મ વ મા શરમ જ વ વહુાં છે તે જો ગિફસંસારું છે તો ઘણો =કયું કયું કાર્ય કરૂં ને કયું ન કરૂં? અથવા મેં કયું કર્યું કાર્ય અલ્પ કર્યું અથવા બહુ કર્યું ? એ પ્રમાણે જે પુરૂષ, કાર્યાકાર્યના વિચારને હૃદયમાં સંપ્રસાર કરે તે પુરૂષ પોતાનું અત્યંત હિત કરે છે. ૧” સોત્તર ર=અને ગુરૂદત્તપ્રાયશ્ચિત કરવા રૂપ ઉત્તરગુણ પૂર્વક તે અ૫ પાપને શ્રાવક શીઘ્ર ઉપશમાવે છે, કે-નિપ્રતાપ કરે છે-કે-ક્ષણ જ કરે છે. કોની જેમ ? તે કહે છે કે- “કાસ શ્વાસ, જ્જર વગેરે સાધ્ય વ્યાધિને વ્યાધિ-વ્યાધિનું કારણ અને તેનું ઔષધ વગેરેનો સુજાણું વૈદ્ય, વમન-વિરેચન-લાંઘણ વગેરે વડે ઉપશમાવી દે છે, કે-નિપ્રતાપ જ કરે છે, કે-મૂળથી નાશ કરે છે તેની જેમ.” આ પ્રમાણે ૩૭ મી ગાથાને અર્થ સંપૂર્ણ છે ક૭ . અવતરણ:-ઉપરની ૩૭મી ગાથાની વાતને જ આ ૩૮મી ગાથાગત દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે કે – जहा विसं कुछगयं मंतमूलविसारया ॥ विज्जा हणंति मंतेहिं तो तं हव निव्विसं ॥ ३८॥ જાથા-ઉદરમાં=શરીરમાં પ્રસરેલા વિષને જેમ મંત્ર અને જડીબુટ્ટીના જાણ ગારૂડિકાદિ વૈદ્યો, મંત્રોથી હણી નાંખે છે, તેથી તે વિષગ્રસ્ત માણસ નિર્વિષ થઈ જાય છે. (તેમ તે શ્રાવક પણ પ્રતિક્રમણવડે તે અ૫ પાપથી મુકત થાય છે.) ૩૮ વૃત્તિને માવા –વિષ, સ્થાવર અને જંગમ એમ બે પ્રકારે છે. સ્થિર એવા ઝેરી વૃક્ષો વગેરેનું વિષ, સ્થાવર છે, અને હરે ફરે એવા વીંછી, સર્પો વગેરેનું વિષ જંગમ છે. કેઈના ઉદરમાં જઈ શરીરમાં પ્રસરેલા તે સ્થાવર કે જંગમ વિષને જેમ ( ગારૂડ વગેરે મંત્રના -કાકડી વગેરેનાં મૂળીયાંઓના-ઉપલક્ષણથી યંત્રતંત્રાદિના) વિશારદેeગુરૂથી આમ્નાય અને અભ્યાસ પામેલ નિપુણ વૈદ્યો, (મંત્રવાદીઓ, મંત્રથી હણ નાખે છે, તેમ અને તેથી તે પાત્ર જેમ નિર્વિષ થાય છે, તેમ શ્રાવકનું અલ્પ પાપરૂપ વિષ પણ પ્રતિક્રમણથી ઉતરી જાય છે) અહિં એ વિચારવાનું છે કે-જેને ઝેર ચઢયું છે તે મનુષ્ય મંત્રાક્ષને અર્થ કાંઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy