SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કરી અને ભાવ એમ બે પ્રકારે છે. જેમ પાલકકુમારે શ્રી નેમિપ્રભુને કરેલું સાક્ષાત્ વંદન પણ દ્રવ્યવંદન અને શાસ્ત્રકુમારે ઘેર બેઠાં કરેલું ભાવવંદન. તથા શ્રીકૃષ્ણની સાથે વીરા સાળવીએ ૧૮૦૦૦ મુનિને વંદન કર્યું તે દ્રવ્ય, અને કૃષ્ણ મહારાજે કરેલું તે ભાવ ગુરૂવંદના: અહિં દ્રવ્યથી દેવવંદન, દસ ત્રિક આદિ ૨૦૭૪ બેલરૂપે અને દ્રવ્યથી ગુરૂવંદન ૪૯૨ બલરૂપે કહેલ છે તે સર્વવિધિ ચૈત્યવંદન તથા ગુરૂવંદનભાષ્યથી જાણ. તથા વ્રત-તે આવ્રતાદિ ૧૨ વતે અથવા પૌરૂષી આદિ પચ્ચક્ખાણરૂપ નિયમો જાણવા. શિક્ષા = બે પ્રકારે છે. ગ્રહણ અને આસેવન. ત્યાં સામાયિક આદિ સૂત્રનું તથા અર્થનું બ્રહણ કરવું તે ગ્રહણશિક્ષાઃ કહ્યું છે કે-“સાવારસ શ્રાવકને જઘન્યથી આઠ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટથી દશવૈકાલિકનાં ૪ અધ્યયન સુધી સૂવથી અને અર્થથી શ્રતગ્રહણ કરાવવું, અને પાંચમું અધ્યયન સૂત્રથી ન કપે, માત્ર કાળા=વ્યાખ્યાનાદિવડે અર્થથી સાંભળવું કપે.” એ ગ્રહણશિક્ષા; અને નવકાર સહિત જાગવું ઈત્યાદિ ( જાગે ત્યારથી માંડી સુવે ત્યાં સુધીમાં શ્રાવક માટે શ્રી પંચાશક આદિમાં દિનચર્યા– રાત્રિચર્યા દર્શાવેલ છે તે) દિનકૃત્યસ્વરૂપ ચયો યથાવિધિ આચરવી તે આસેવન શિક્ષા=પુનઃ પુનઃ કરવારૂપ અભ્યાસ. માનવ-જાતિ આદિ આઠ મા સ્થાને કહ્યું છે કે-ગારૂ છે ગુઢ ૨.=જાતિમદ, કુલમદ, રૂપમદ, બળદ, શ્રતમદ, તપમદ, લાભમદ એ આઠ પ્રકારને ગર્વ છે, અને તે ગર્વો અશુભ કર્મો બંધાવે છે તથા બહુ સંસાર ભમાવે છે. આ સંબંધમાં મેતાર્ય-હરિકેશી–મરીચિ વગેરેનાં દષ્ટાન્ત જાણવાં, અથવા તે સ્થાને રસગારવ-ઋદ્ધિગારવ અને શાતાગારવ એ ત્રણ ગર્વના ભેદરૂપ ગરવને ગર્વ તરીકે જાણવા. તેમાં ઘણું ધન–કુટુંબાદિ વૈભવને ગર્વ કરે તે દ્વારા કે-જે સર્વ સમૃદ્ધિપૂર્વક પ્રભુને વંદન કરવાની ઈચ્છાવાળા (કેઈએ ન કરી હોય એવી સમૃદ્ધિપૂર્વક વંદના કરું, એવા ગર્વવાળા) દશાર્ણભદ્રની જેમ આ લોકમાં જ લઘુતા અર્થ થાય છે. તથા મધુર અન્નપાનાદિમાં લોલુપતા તે રાજવ કે-જે “બહુશ્રત છતાં રસની લોલુપતાથી મથુરામાં સ્થિરવાસી બની કાળ કરી એજ નગરની ખાળમાં યક્ષ થનાર મંગુ આ ચાર્યની જેમ મહાદેષને માટે થાય છે. તથા કોમળ શમ્યા-આસન આદિ સ્પર્શેન્દ્રિયને સુખકારી સાધનેમાં આસક્તિ તે શાતાવ કે-જે દેહનાં લાલનપાલનમાંજ રસિક હોવાથી ત્રીજી નરકે ગએલ શશિરાજાની જેમ દુર્ગતિને માટે થાય છે. તથા:-- સંજ્ઞા-સવ જીવોને આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ એ જ પ્રકારે અથવા ૧૦ પ્રકારે વા ૧૬ પ્રકારે કહેલ છે. તેમાં પ્રથમની ૪ સાથે ક્રોધ-માન-માયા-લોભ-ઘ અને લેક એ છ મળી ૧૦ સંજ્ઞા કહેવાય છે આ દસેય સંજ્ઞા બેઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના ૧. પૂ. 9. શ્રી ધર્મસૂરિજી મહારાજે પોતાના અનુવાદમાં શાસ્ત્રકારમહર્ષિથી વિરુદ્ધ જઈને આ ૧૦ સંજ્ઞા એકેદ્રિય પ્રત્યેકવનસ્પતિને ય સ્પષ્ટ સ્વરૂપવાળી જણાવી છે, તે સ્વતંતવ્યરસિકતાનું તાંડવ જ છે. એકેન્દ્રિય એવી પ્રત્યેક વનસ્પતિમાં તે શાસ્ત્રકારે તે દસ સંજ્ઞાની અલગ સંભાવના કરેલ છે, છતાં તે સંભાવનાને પલટીને સ્પષ્ટ સ્વરૂપે જણાવવી તે વિદ્વાન મહાશય માટે શોચનીય ગણાય. શાસ્ત્રકાર, બેઈદ્રિયાદિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy