SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ યંકર આ તારું ચરિત્ર આવું કેમ ?” બાલક બોલ્ય-“એ બાબત મને પૂછવાથી શું? દેવકુમારના સ્વરૂપની જેમ આ પ્રેતકુમારનું વરૂપ પણ કેવલી ભગવંત જ પ્રરૂપશે. મહાત્માઓ પોતાના ગુણોનું ઉત્કીર્તન કરતા જ નથી. કહ્યું છે કે-પિતાના ગુણોને પિતે વર્ણવે તે ગુણવાન કહેવાતું નથી. પિતાનાં ગાત્રોને પોતે મસળનારાઓને પરિશ્રમ રહિતપણું કયાંથી હોય? ” આ બાજુ ઉદ્યાનપાલકે પણ ઉતાવળે આવીને કેવલીભગવંત પધાર્યા હોવાની રાજાને વધામણી આપી. તેથી અતિર્ષિત થએલ રાજા, પ્રજ્ઞાકશ્રેષ્ઠી તથા ધન્ય શ્રેણી વગેરે વ્યવ હારીગણ, વિધિપૂર્વક કેવલીભગવંત પાસે જઈ, વંદના કરીને કેવલીએ કહેલ તે દેવ અને કેવલીભગવંતે ઉપદિશેલ પુણ્યનું તાત્પર્ય સાંભળીને યુક્તિના અને કેતકુમારને જાણ રાજાએ તે બંને કુમારને વૃત્તાંત કેવલીભગવંતને પૂછયે. પૂર્વભવ કેવલીભગવંતે પણ કહ્યું- હે રાજન ! પૂર્વકૃતકને લીધે કંઈ પણ અસંભવિત નથી. કહ્યું છે કે-જે સેંકડે મનેર વડે ય યામાં આવતું નથી, જે કવિની વાનિય વિષય હોતું નથી, જેમાં સ્વપ્નને વ્યાપાર પણ દુર્લભ હોય છે, તે વસ્તુને વિધિ પહેલા માત્રમાં બનાવી આપે છે! I ” હે વિદ્વાન રાજન ! તે બંને કુમારોને પૂર્વભવ સાંભળેઃ કે–જેથી તમે આદિનું સંશયમભવિત ગાઢ અજ્ઞાન જલદી દૂર થવા પામે. તે બંને કુમારને પૂર્વભવ આ પ્રમાણે - હસ્તિનાપુરને વિષે એક વૃદ્ધ શ્રાવિકા હતી. તે વૃદ્ધાને અનુક્રમે નામથી અને પરિણામથી સુમતિ અને કુમતિ નામે બે પુત્રો હતા. લા તે બંને શ્રાવક પુત્રો હોવા છતાં પણ વ્યાપારાદિની વ્યગ્રતાથી પ્રમાદી બન્યા થકા કાંઈપણ ધર્મ બરાબર કરતા નથી. પરા આમ છતાં સુમતિ, ધર્મકાર્યમાં રૂચિવાળો હતુંપરંતુ કુમતિ તે જવરથી પીડાતો માણસ, ધૃતમાં અરૂચિવંત હોય છે, તેમ ધર્મમાં અરૂચિવંત જ હતા | ૩ | ધર્મારાધનમાં નિષ્ણાત એવી તે વૃદ્ધા પુત્રની તેવી વતી સ્થિતિમાં મધ્યસ્થભાવે રહીને ત્રિકાલ જિનપૂજનાદિ ધર્માનુષ્ઠાન કરતી હતી, પણ મેટાઈ મનાવવાની અથી હતી! . ૪સર્વ સ્ત્રીઓમાં પિતાનું વડીલપણું અને વિધિની ચતુરાઈ હેવાથી પર્વને વિષે અગ્રેસરી થઈને સ્ત્રીઓની સાથે ફરીથી પણ પૌષધ લેતી, અને વાર્તા-નિદ્રા વગેરેથી પોષધને કાંઈક વિરાધતી પણ ખરી ! અલ્પ છતાં પણ વતમલીનતાના કારણભૂત પ્રમાદને ધિક્કાર છે. ૫ ૬ બુદ્ધિમાન સુમતિ, આ વૃદ્ધાનાં પાષાદિ કાર્ય માં અનુમતિ આપે, ચિત્તમાં આનંદ ધરે અને સર્વથા સહાયક થવાપૂર્વક પૈષધની વિધિમાં પ્રશંસા આદિ કરવાવડે અત્યંત ઉત્સાહિત કરે. પોતાના માતાપિતા પ્રતિ સુપુત્રોની એ રીત છે. . ૭૮ છે જ્યારે કુમતિ તે પૌષધાદિ ધર્માનુષ્ઠાનેમાં માતાને રક્ત દેખીને કહે છે કે - “હે માતા ! સમર્થપણામાં અને નિશ્ચિન્તપણામાં પૌષધ યોગ્ય છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં દુઃખે કરી શકાય તેવા પૌષધથી તારે શું કામ છે? અહે, માતાનું તેમાં મહાન હિત અને પિતાના પુત્ર પ્રતિનું વાત્સલ્ય તે જુઓ. કે જે પર્વના દહાડે પિતાને હાથે ખાવા પીવાનું પણ આપતી નથી ! ફેકટ જ પિતે ભૂખે મરે છે, બીજાઓને પણ ભૂખે મારે છે અને પોતાનું ઘર તજીને જયાં ત્યાં (ઉપાશ્રયે) પડી રહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy