SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ વંદિત્તસૂત્રની આદરી ટીકાને સરલ અનુવાદ તમારી જેમ અમારા વિનયને માટે રાજા હજુ સુધી પણ અમારા મકાને આવેલ નથી ! અને જે તે લેભી રાજાએ અમારી જોડે પણ આટલું કર્યું છે, તો અમે પણ તેને કાંઈક પ્રતિકાર ઈરછીએ છીએ. કહ્યું છે કે- પોતાના સ્વભાવમાંથી નહિ ખસનાર માણસ કરતાં પગને પ્રહાર થતાંની સાથે ઉઠીને મનુષ્યનાં મસ્તક ઉપર ચઢી બેસવાનું અપમાન કરનારી દેવા છતાં પણ ૨જ જ સારી છે. (કારણ કે તે પગપ્રહાર થતાં સ્થાનથી તે ઉઠીને? જ્યારે આ રાજા તો તેના સુભટોની આ દુર્દશારૂપ અપમાન થવા છતાં તેના સ્થાનેથી ઉછીને હજુ અહિં આવેલ નથી, ) ૧૫ નિર્બળ પુરૂષને સંકટો પરામવિત કરે છે, અને સંકટવાળા પુરૂષને ભવિષ્યકાલ ગેપવી દે છે? વળી જેણે ભવિષ્યને વિચાર કર્યો ન હોય તેવા પુરૂષને નક્કી કધુતા પ્રાપ્ત થાય છે, અને લઘુતા ધરાવનાર જનોને રાજ્યલક્ષમીનું સ્થાન નથી. / ૨ / માટે મહાત્ ઉત્સાહી મંત્રી! તું હમણાં જ જઈને રાજાને મારું આ કહેલું જણાવ કે-પૃથ્વીપતિ થવાના વિશાલ મરથવાળો આ બાળક, તને આદેશ કરે છે કે- મહાન્ અપરાધવાળા એવા તારી પાસેથી હું સમગ્ર રાજ્ય જ માગું છું. અન્યથા કોઈપણ વાતે છોડીશ નહિ. માટે વયં શાણે થઈને અથવા મારા સાથે યુદ્ધ કરીને મને સત્વર જ રાજ્ય આપી દે કે-જેથી તને પણ ઘણું જ સુખ રહેશે.” એ પ્રમાણે બાલક દેવકુમારે જણાવેલ સર્વ આદેશ મંત્રીએ જલદી જઈને રાજાને જણાવ્ય, અને રાજાએ અનન્યગતિથી તેમજ મંત્રીની બુદ્ધિથી તે આદેશને સ્વીકારી લીધો ! કહ્યું છે કે જે મંત્રી, રાજાને સાચું કહેતો નથી તે મંત્રી શાનો? વળી જે વાજા હિતસ્વી મંત્રો પાસેથી સાચું બરાબર સાંભળે નહિ તે સ્વામી શાને? નુપ અને મંત્રી બંને એક બીજાને સદા અનુકુળ હૈયે સતે સર્વ સંપત્તિઓ રતિ કરે છેઃસ્થિર થાય છે ના.” ત્યારબાદ મંત્રી સહિત રાજા, પિત દેવ પાસે જવાની જેમ તે બાળક પાસે સંબ્રમપૂર્વક આવીને નોકરાણા. ની જેમ સાચી કબુલાત સ્વીકારતો અતિ સ્પષ્ટપણે બોલ્યો-“અહા કુમારરાજ! મારું આ રાજ્ય તમારે આધીન જ છે. એગ્ય લાગે તે રીતે તેને હમણાં જ સ્વીકાર કરે, હું આદિ સર્વ ઉપર પ્રસન્ન થાવ અને વિસ્મયતાનું અપૂર્વ પિષણ કરનારા આપના સ્વરૂપને પ્રગટ કરો.” એ પ્રમાણેની રાજાની વિજ્ઞપ્તિથી સંતુષ્ટ થએલ તે બાળકે, પાલણમાં ચત્તો સૂતી થક મિતથી પ્રસન્નમુખે રાજાને પ્રત્યુત્તર આપ્યો કે-“હે રાજન્ ! અમારે હમણું રાજ્યથી સર્યું - સયું: બાલ્યાવસ્થા હેયે તે સમુદ્રની જેમ અપાર ચિતાવાળા રાજ્યભામાં કયું પ્રવેશ કરે ? માટે હમણાં તમે તમારા સ્થાને જાવ અને હૃદયમાં હર્ષ બાળકે રાજાને રાજ્ય ધારણ કરોઃ તેમજ મારા દ્વારા જેઓનું સત્વ નાશ પામેલ છે, પાછું મેંપીને સુભટોને તે તમારા સુભટો પણ જલદી સ્વસ્થ બની ઉઠા: તમે આદિને સ્વસ્થ કર્યા, પણ કેટલાક દિવસો પર્યત રાજ્યના માલીકપણાનાં સુખ અને સંપત્તિ વગેરે હે: વળી અવસરે જેમ યોગ્ય જણાશે તેમ વિચારશું, અને અમારું સ્વરૂપ છેડા જ સમયમાં કેવલિમગવંતના મુખથી તમે પોતે જાણવા ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy