SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૩૭૧ સાંભળીને પિતા વિચારે છે કે “ખરેખર, આ કોઈ ભૂત અથવા પ્રેત અવતરેલ છે જેથી આ બાળક જન્મતાં જ વાચાલની જેમ આટલું બોલે છે કે ૧૦ | વળી તે મારા પુત્રપણે હોવા છતાં પણ તેનો જન્મ મહોત્સવ કે? તેમજ હાલ કરું પણ કયાંથી? કારણકે-પ્રથમ થએલ પુત્રોએ તે મને શત્રુની જેમ ઉગ પમાડયો છે, અને ધન વેડછી નાખ્યું છે || ૧૧ ” એ પ્રમાણે વિચારતા માતાપિતાને તે પુત્રે કહ્યું કે “હે પિતા ! આપ મારા પ્રતિ શંકા ન ધરો. હું તમારે તેવા કોઈ ભાગ્યોદયથી કલ્પવૃક્ષની જેમ તમારા કુલમાં અવતર્યો છું માટે નગર બહારનાં ઉદ્યાનમાં રહેલ દેવકુલનાં દ્વારે સત્વર જઈને દસક્રોડનું નિધાન છે, તે ગ્રહણ કરે, અને ધનની ચિંતા દૂર કરે તે ધનથી મારા જન્મ મહોત્સવનાં કૃત્યે મહાન આડંબરથી ઉજવે અને બીજાં પણ અગણિત પુણ્યકૃત્યો કરે. આ ૧૨ થી ૧૪ ” એ પ્રમાણે પુત્રનું વચન સાંભળીને આશ્ચર્ય પામવાપૂર્વક હર્ષિત થએલ પિતાએ તુર્તજ તે સ્થળે જઈને વિશ્વાસુ માણસેદ્વારા ખેદાવતાં દસક્રેડનું નિધાન નિકળ્યું ! I ૧૫ ને મૂર્તિમંત સુકતની જેવા તે તથા પ્રકારનાં નિધાનને શ્રેષ્ઠી, તે દિવસે જ પિતાના ઘેર લાવ્યા. ધન અને ધર્મની પ્રાપ્તિમાં કોણ વિલંબ કરે? | ૧૬ | કૃતજ્ઞ એવા તે શ્રેષ્ઠીએ તે પુત્રને ઘણા જ આડંબરથી જન્મમહોત્સવ કર્યો, અને આ પ્રકટ દેવકુમાર છે” એમ જાણી તે પુત્રનું “દેવકુમાર' નામ સ્થાપ્યું. ૧૭ II જન્મથી જ સ્પષ્ટવાવાળે, કુશલબુદ્ધિવાળો અને અતિશય ધર્યવાળે તે પુત્ર, ક્રમે કરીને કેત્તર રૂ૫ આદિ ગુણની સાથે વૃદ્ધિ પામે. ૧૮ આ બાજુ એવું બન્યું કે-સજજનેના લેબાશમાં ચુગલી ખેર જને સર્વત્ર પથરાયા હોવાથી કેઈ માણસે આ શ્રેણીને નિધિ પ્રાપ્ત થયો હોવાની વાત કોઈપણ રીતે જાણીને રાજાને કહીઃ ૧૯ આથી ધનલુબ્ધતાથી ક્રોધિત બનેલા રાજાના આદેશથી સુભાને પિતાનાં મકાને આવતા હોવાનું જણને પ્રજ્ઞાકર શેઠ વગેરે અત્યંત કંપી ઉઠ્યા. ૨૦ના પિતાની તે ભયભીત સ્થિતિ જાણીને પાલણામાં ઝુલતા દેવકુમારે કહ્યું“હે પિતાજી! તમારે ગભરાવું નહિ, તમારા કષ્ટને હરનારો હું બેઠો છું હું રક્ષક હોયે સતે રક્ષાસપતિ પણ અહિ ઉપદ્રવ કરવા સમર્થ નથી: ધન જવાની કોઈ શંકા પણ લાવશો નહિ અને ધૈર્યધારણ કરે. જે ધનને જે દાતા છે તે ધનને રક્ષણ કરનાર પણ ખરેખર તે જ છે. ” એ પ્રમાણે બોલતો દેવકુમાર તે તુરત જ પાલણમાંથી ઉઠી સહજ રાજસુભટોને દેવકુમારે ધીની જેમ તે શ્રેષ્ઠ ચઢો, ઘરના દ્વારે જઈને ઉભે. આ કરેલ ઘેર પરાજય! બાજુ અસુરની જેમ અતિકષ્ટ વારી શકાય તેવા રાજસુભટો જે વામાં આવ્યા તેવામાં પંદર દિવસના છતાં પણ સિંહની જેવા તે વિકરાળ બાળકે, તે સુભટને શ્રેણીનાં મકાનમાં પિસ્તાં એવા તે હકાર્યા, અને ઉછળીને પાટુપ્રહારે તથા ચપેટાના પ્રહારોથી હણ્યા કે-“મુખથી “ફાધરની ઉલટી કરતા સંનિપાતના વ્યાધિવાળાની જેમ” રૂધિર વમતા થઈ ગયા અને ચકથી ફરતા હોવાની જેમ સતત ચક્કર ફરવા લાગ્યા! મધના નશાવાળાની જેમ પૃથ્વીતળ પર પડવા લાગ્યા તેમજ મૂછિતની જેમ બેભાન બની ગયા!” તેથી તે બનાવ સાંભળીને રાજાને મહાન્ કેપ ઉત્પન્ન થયે, અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy